Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટર્મ પૂર્ણ થવાના 3 દિવસ પહેલા મેંદરડા તા.પં. પ્રમુખનું રાજીનામું:અનુસૂચિત જાતિના હોવાથી ભેદભાવ રાખી અધિકારીઓ ફાઈલ અટકાવી રાખતા હોવાનો આક્ષેપ

    14 hours ago

    જૂનાગઢ જિલ્લાના મેંદરડા રાજકારણમાં આજે મોટો ભૂકંપ આવ્યો છે. મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખ જયકિશનભાઈ મનસુખભાઈ માકડીયાએ તાલુકા વિકાસ અધિકારી અને બાંધકામ શાખાના ઇજનેરના નકારાત્મક વલણ અને કથિત જ્ઞાતિવાદ આધારિત ભેદભાવથી કંટાળીને પોતાના પદ પરથી તાત્કાલિક અસરથી રાજીનામું ધરી દીધું છે. પ્રમુખે જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખીને ગંભીર આક્ષેપો કર્યા છે કે અધિકારીઓ દ્વારા લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રતિનિધિનું અપમાન કરવામાં આવે છે અને વિકાસના કામોમાં જાણીજોઈને અડચણો ઊભી કરવામાં આવે છે. જાતિવાદ અને સત્તાના દુરુપયોગના ગંભીર આક્ષેપો ​રાજીનામા પત્રમાં જયકિશનભાઈએ અત્યંત આક્રોશ સાથે જણાવ્યું છે કે, હું અનુસૂચિત જાતિનો ચૂંટાયેલ પ્રતિનિધિ હોવાથી મારી સાથે ભેદભાવપૂર્ણ અને દબાણભર્યો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. આ માત્ર મારું વ્યક્તિગત અપમાન નથી, પરંતુ સમગ્ર દલિત સમાજના સ્વાભિમાન પર પ્રહાર છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં આક્ષેપ કર્યો છે કે તાલુકા વિકાસ અધિકારી સવર્ણ જ્ઞાતિના હોવાથી તેઓ અનુસૂચિત જાતિના પ્રમુખનું વર્ચસ્વ સ્વીકારી શકતા નથી અને તેમને કામ કરતા અટકાવી રહ્યા છે. ​ત્રણ વખત આયોજન સમિતિની બેઠક રદ કરાઈ ​પ્રમુખે રાજીનામા માટેના મુખ્ય કારણોમાં વહીવટી તંત્રની મનસ્વીતા ગણાવી છે. જેમાં 9 સપ્ટેમ્બર, 2025ની બેઠકમાં અધિકારીઓ હાજર હોવા છતાં TDOએ મિનિટબુકમાં તેમની સહીઓ છેકી નાખી તેમને ગેરહાજર બતાવ્યા અને કોઈપણ ચર્ચા વગર બેઠક મુલત્વી રાખી હોવાનું ઠરાવ્યું. તા.26 ફેબ્રુઆરી-2026ની બેઠકમાં કોરમ પૂર્ણ હોવા છતાં, પંચાયત અધિનિયમની ઉપરવટ જઈને 'ઇજનેર હાજર નથી' તેવું મૌખિક બહાનું કાઢી બેઠક રદ કરવામાં આવી. 16 માર્ચ,2026ની આયોજન બેઠકમાં આગામી 16 માર્ચના રોજ નક્કી થયેલી બેઠક પણ ગઈકાલે ટેલિફોનિક જાણ કરી રદ કરી દેવામાં આવતા પ્રમુખનો ધીરજ ખૂટી ગઈ હતી. ​'નામનો પ્રમુખ બની રહેવું મંજૂર નથી: પ્રમુખ' ​જયકિશનભાઈએ વધુમાં જણાવ્યું હતું કે પ્રજાએ મને વિકાસના કામો કરવા માટે મતો આપ્યા છે. પરંતુ જો TDO અને મદદનીશ ઇજનેર સતત ફાઈલો અટકાવતા હોય અને લોકહિતના નિર્ણયો અમલમાં ન આવવા દેતા હોય, તો માત્ર ખુરશી પર બેસી રહેવાનો કોઈ અર્થ નથી. મારું રાજકીય અસ્તિત્વ ખતમ કરવાના બદઈરાદાથી આ અધિકારીઓ કામ કરી રહ્યા છે. ​ઉચ્ચ સ્તરે રજૂઆત અને તપાસની માંગ ​આ રાજીનામાની નકલ માત્ર જિલ્લા વિકાસ અધિકારીને જ નહીં, પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પંચાયત મંત્રી, રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ-જનજાતિ આયોગ નવી દિલ્હી અને વિકાસ કમિશનરને પણ મોકલવામાં આવી છે. પ્રમુખે માંગ કરી છે કે જવાબદાર TDO અને ઇજનેર સામે નિષ્પક્ષ તપાસ કરી કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જો યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં પ્રજાને સાથે રાખી મોટા લોકશાહી આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. ​વહીવટી તંત્ર અને ચૂંટાયેલા જનપ્રતિનિધિ વચ્ચેના આ ગજગ્રાહને કારણે મેંદરડા તાલુકાના વિકાસના કામો હાલ અટકી પડ્યા છે.જેની સીધી અસર સ્થાનિક પ્રજા પર પડી રહી છે. હવે જોવાનું એ રહેશે કે જિલ્લા વહીવટી તંત્ર આ મામલે શું પગલાં ભરે છે. આ સમગ્ર મામલે મેંદરડાના તાલુકા વિકાસ અધિકારી સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, આગામી 17 માર્ચના તેમનો કાર્યકાળ પૂરો થાય છે. અને જે જ્ઞાતિ ભેદભાવની વાત કરવામાં આવી છે તે મામલે હું કંઈ જાણતો નથી કારણ કે હું અહીં થોડો સમય પહેલા જો ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યો છું.
    Click here to Read More
    Previous Article
    વાપીમાં 20 સિટી બસો શરૂ, 10 રૂટ પર દોડશે:ટૂંકા અંતર માટે રૂ. 5, લાંબા અંતર માટે મહત્તમ રૂ. 10 ભાડુ, મુસાફરોની સુવિધામાં વધારો
    Next Article
    બનાસકાંઠામાં લોક અદાલત યોજાઈ:12,049 કેસનો નિકાલ, રૂ. 26.35 કરોડનું સેટલમેન્ટ થયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment