Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    29 વર્ષીય માતાએ 4 મહિનાના દીકરાને મારી આપઘાત કર્યો:સુરતમાં સોસાયટીના ટોઇલેટમાં જઈ પહેલાં પુત્રને એસિડ પીવડાવ્યું પછી પોતે પીધું, ડિલિવરી બાદ માનસિક તબિયત લથડી હતી

    1 week ago

    સુરતના સરથાણા વિસ્તારમાંથી એક અત્યંત આઘાતજનક અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. સરથાણાના યોગીચોક પાસે આવેલી એવન હાઇટ્સમાં રહેતી એક 29 વર્ષીય પરિણીતાએ પોતાના માત્ર 4 મહિનાના માસૂમ દીકરાને એસિડ પીવડાવી પોતે પણ એસિડ ગટગટાવી લેતા બંનેના મોત નીપજ્યા છે. ડિલિવરી બાદ માનસિક તબિયત લથડવાના કારણે માતાએ આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું પ્રાથમિક વિગતોમાં બહાર આવ્યું છે. આ કરુણ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. પિયરમાં ડિલિવરી માટે આવી હતી, દોઢ વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા મળતી માહિતી મુજબ, મૂળ અમરેલી જિલ્લાના ધારીના વતની અને હાલ સરથાણા યોગીચોક સ્થિત એવન હાઇટ્સમાં પરિવાર સાથે રહેતી 29 વર્ષીય ધારાના લગ્ન આશરે દોઢ વર્ષ પહેલાં જ થયા હતા. ધારા પોતાની ડિલિવરી માટે પિયરમાં આવી હતી અને ચાર મહિના પહેલાં જ તેણે એક સ્વસ્થ માસૂમ દીકરા રીશાનને જન્મ આપ્યો હતો. ઘરમાં દીકરાના જન્મથી ખુશીનો માહોલ હતો, પરંતુ આ ખુશી લાંબો સમય ટકી શકી નહોતી. ડિલિવરી બાદ માનસિક તબિયત લથડી, બે-ત્રણ દિવસથી અન્નનો ત્યાગ કર્યો હતો સ્થાનિક સૂત્રો અને કૌટુંબિક વિગતો અનુસાર, ધારા છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારીથી પીડાતી હતી અને તેની દવાઓ પણ ચાલી રહી હતી. બાળકના જન્મ એટલે કે ડિલિવરી બાદ તેની માનસિક સ્થિતિ વધુ બગડી ગઈ હતી. તેની તબિયત સતત લથડતી જતી હોવાથી પરિવાર પણ ચિંતામાં હતો. માનસિક તણાવ એટલો વધી ગયો હતો કે છેલ્લા બે-ત્રણ દિવસથી ધારાએ જમવાનું પણ છોડી દીધું હતું અને તે ભારે ડિપ્રેશનમાં હોવાનું દેખાઈ આવતું હતું. શૌચાલયમાં જઈ પહેલા દીકરાને એસિડ પીવડાવ્યું, પછી પોતે પીધું સોમવારે(1 જૂન) સાંજના સમયે આ કરુણાંતિકા સર્જાઈ હતી. ધારા પોતાના 4 મહિનાના માસૂમ દીકરા રીશાન મનીષભાઈ કોટડીયાને તેડીને સોસાયટીના ગ્રાઉન્ડ ફ્લોર પર ગઈ હતી. ત્યાં આવેલા શૌચાલયમાં જઈને તેણે અગમ્ય કારણોસર પહેલા પોતાના કાળજાના ટુકડા એવા 4 મહિનાના માસૂમ રીશાનને એસિડ પીવડાવી દીધું હતું. ત્યારબાદ નિર્દિષ્ટ માનસિક સ્થિતિમાં ધારાએ પોતે પણ એસિડ ગટગટાવી લીધું હતું. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને પરિવારજનો તાત્કાલિક દોડી આવ્યા હતા અને બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ માસૂમ બાળક અને માતા બંનેના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી એકસાથે માતા અને 4 મહિનાના માસૂમના મોતના પગલે હોસ્પિટલ પરિસરમાં પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. ઘટનાની જાણ થતાં જ સરથાણા પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડિલિવરી પછી થતા ડિપ્રેશનના કારણે આ પગલું ભરાયું છે કે અન્ય કોઈ કારણ છે, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સુરતમાં 4 વર્ષના પુત્ર સાથે માતાનો આપઘાત 13 ફેબ્રુઆરી, 2026એ સુરતના ઉમરા વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી, જેમાં 26 વર્ષીય ડિવોર્સી માતા પૂનમ શાહે પહેલા પોતાના વહાલસોયા પુત્રને ગળાફાંસો આપ્યો અને ત્યાર બાદ પોતે પણ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ કરુણ પગલાં પાછળ પૂનમના પૂર્વ પતિ કરણ શાહ દ્વારા કરવામાં આવતી કનડગત અને માનસિક ત્રાસ જવાબદાર હોવાનો પરિવારનો આક્ષેપ હતો. વાંચો સંપૂર્ણ સમાચાર સુરતમાં પતિ, પત્ની અને પુત્રનાં રહસ્યમય મોત 10 ફેબ્રુઆરી, 2026એ સુરતના લાલગેટ વિસ્તારમાં પતિ, પત્ની અને પુત્રનાં રહસ્યમય મોતથી હડકંપ મચ્યો હતો. ત્રણેયની બોડી ઘરના અલગ અલગ રૂમમાંથી મળી હતી. 40 વર્ષીય ફૈઝના પરિવારમાં પત્ની, એક દીકરો અને એક દીકરી છે. ઘટનાની આગલી રાત્રે જ ફૈઝ પત્ની મુબીના અને દીકરા નોમાન સાથે ઘરે આવ્યો હતો. જ્યારે દીકરી દાદીના ઘરે જ રહી હતી. જેથી તેનો બચાવ થયો હતો. હવે ફૈઝના પરિવારમાં માત્ર એક દીકરી જ રહી છે. વાંચો સંપૂર્ણ સમાચાર તુષાર ઘેલાણીએ ટ્રિગર દબાવ્યું ને ગોળી માથું ફાડી દીવાલ સાથે અથડાઈ 1 ફેબ્રુઆરી, 2026ની રાત સુરતના ઘેલાણી ફેમિલી માટે આઘાતની રાત બની ગઈ હતી. ઘરમાં લાડલી દીકરીના લગ્નની તૈયારીઓ ચાલી રહી અને તુષાર ઘેલાણીએ પોતાની જ પિસ્તોલ દ્વારા આત્મહત્યા કરતાં માતમ છવાઈ ગયો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    Mehbooba Mufti sees a lesson in Ladakh talks with Centre
    Next Article
    અમદાવાદમાં બોલાચાલી બાદ યુવકને છરીના ઘા મારી પતાવી દીધો:જીવ બચાવવા દોડ્યો પણ રસ્તા પર જ ચક્કર ખાઈ ઢળી પડ્યો, લોહીનો રેલો ચાલ્યો, બહેનનું હૈયાફાટ રૂદન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment