Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતને ઈન્ટરનેશનલ એર મેપ પર મુકનાર પહેલી ફ્લાઈટ પર ગ્રહણ:28 માર્ચથી સુરતથી શારજાહની ઉડાન બંધ, એરલાઇન્સે રૂટનું બુકિંગ બંધ કરી દેતા મુસાફરોમાં રોષ

    1 week ago

    સુરત શહેર માટે અત્યંત માઠા સમાચાર સામે આવ્યા છે. શહેરની સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય ઉડાન તરીકે ગૌરવવંતું સ્થાન ધરાવતી સુરત-શારજાહ ફ્લાઈટ આગામી 28 માર્ચથી બંધ થવા જઈ રહી છે. એરલાઇન્સ દ્વારા આ રૂટનું બુકિંગ બંધ કરી દેવામાં આવતા સુરતવાસીઓમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, વર્ષોના સંઘર્ષ બાદ 16 ફેબ્રુઆરી 2019ના રોજ આ ઐતિહાસિક ફ્લાઈટ શરૂ થઈ હતી, જેની સાથે સુરતીઓનું ભાવનાત્મક જોડાણ જોડાયેલું છે. મિડલ ઈસ્ટમાં યુદ્ધથી એર કનેક્ટિવિટી પર માઠી અસર હાલમાં મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) દેશોમાં ચાલી રહેલી યુદ્ધ જેવી તણાવપૂર્ણ સ્થિતિને કારણે એર કનેક્ટિવિટી પર માઠી અસર પડી છે. સુરતથી ઓપરેટ થતી એર ઈન્ડિયા એક્સપ્રેસ અને ઈન્ડિગોની દુબઈ તરફની ફ્લાઈટ્સ પહેલેથી જ સ્થગિત રાખવામાં આવી છે. શારજાહ રૂટને પડતો મૂકવાનો નિર્ણય સૂત્રોના જણાવ્યા અનુસાર, એર ઈન્ડિયા એક્સપ્રેસ હવે સુરતથી માત્ર દુબઈ સેક્ટર પર જ ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે, જેના કારણે શારજાહ રૂટને પડતો મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મનાય છે. કઈ કઈ ફ્લાઈટ્સ હાલમાં બંધ છે? સુરત એરપોર્ટ પરથી હાલમાં આંતરરાષ્ટ્રીય ઉડાનોની સ્થિતિ ડામાડોળ છે. એર ઈન્ડિયા એક્સપ્રેસની સુરત-દુબઈ (IX 273) અને દુબઈ-સુરત (IX 274) તેમજ ઈન્ડિગોની સુરત-દુબઈ (6E 1507) અને દુબઈ-સુરત (6E 1508) ફ્લાઈટ્સ પણ હાલમાં બંધ છે. આ સંજોગોમાં શારજાહ ફ્લાઈટ પણ બંધ થતા સુરતના હજારો ડાયમંડ અને ટેક્સટાઈલ વેપારીઓ કે જેઓ નિયમિત ખાડી દેશોમાં અવરજવર કરે છે, તેઓ માટે મુશ્કેલી ઊભી થશે. સંસ્થા અને મુસાફરો દ્વારા વિરોધ WWWAS (વર્કિંગ વિધ્ધ વ્હીલ્સ એન્ડ વિંગ્સ ઓફ સુરત)ના સભ્ય સંજય જૈને આ નિર્ણય અંગે ઘેરા દુખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, આ ફ્લાઈટ માત્ર મુસાફરીનું સાધન નહોતી પરંતુ સુરતની આંતરરાષ્ટ્રીય ઓળખનું પ્રતીક હતી. આ રૂટ પર મુસાફરોનો સારો પ્રતિસાદ અને પૂરતું બુકિંગ હોવા છતાં તેને બંધ કરવી એ સુરત સાથે અન્યાય સમાન છે. આ નિર્ણયથી પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ફરી શરૂ કરવા માટે સુરતવાસીઓની માંગ સુરતવાસીઓની માંગ છે કે આ ફ્લાઈટને કોઈ પણ સંજોગોમાં બંધ ન કરવામાં આવે. શહેરની આંતરરાષ્ટ્રીય છબી મજબૂત કરવા માટે અને વેપારીઓની સુવિધા માટે આ ઉડાન ચાલુ રાખવી અનિવાર્ય છે. જો આ સેવા બંધ થશે તો સુરતીઓએ ફરીથી ઈન્ટરનેશનલ ટ્રાવેલિંગ માટે મુંબઈ કે અમદાવાદ એરપોર્ટ પર નિર્ભર રહેવું પડશે. લોકો ઈચ્છી રહ્યા છે કે સત્તાધીશો આ મામલે મધ્યસ્થી કરે અને ફ્લાઈટ ફરીથી કાર્યરત થાય.
    Click here to Read More
    Previous Article
    તમિલનાડુમાં NDAની સીટ શેરિંગ પર ટુંક સમયમાં નિર્ણય:AMMK નેતા દિનાકરને અમિત શાહ સાથે મુલાકાત કરી; કેરળના ત્રિશૂરમાં નોમિનેશનને લઈને વિવાદ
    Next Article
    અમરેલીમાં મુખ્યમંત્રી રૂ. 25.23 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે:APMCમાં 2 લાખ ચોરસ ફૂટના શેડ સહિત 10 કાર્યોનું ઉદ્ઘાટન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment