Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આઈસ્ક્રીમની દુકાનમાં નોકરી કરતો 27 વર્ષીય યુવાન બન્યો કોર્પોરેટર:કોર્પોરેશનમાં બેસીને લોકોના પ્રશ્નો ઉઠાવશે, કહ્યું- 'મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે મને ટિકિટ મળશે'

    5 days ago

    રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ એક સામાન્ય કાર્યકર પર ભરોસો મૂકીને લોકશાહીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાજકોટના વોર્ડ નંબર 3માંથી ભાજપની ટિકિટ પર જીત મેળવનાર 27 વર્ષીય અજય મજેઠીયા છેલ્લા 10 વર્ષથી આઈસ્ક્રીમની દુકાનમાં સામાન્ય નોકરી કરતા હતા. સામાન્ય બેકગ્રાઉન્ડ ધરાવતા અને 15 સભ્યોના સંયુક્ત પરિવારમાં રહેતા આ યુવાને પોતાની મહેનત અને પક્ષ પ્રત્યેની નિષ્ઠાને કારણે આજે કોર્પોરેટર સુધીની સફર ખેડી છે. 'સપનામાં પણ ટિકિટની અપેક્ષા નહોતી' તેમ જણાવતા અજયભાઈ હવે પોતાની નોકરી છોડીને પોપટપરા અને રેલનગર જેવા વિસ્તારોના પાયાના પ્રશ્નો ઉકેલવા માટે કટિબદ્ધ થયા છે. સંયુક્ત પરિવાર અને સંઘર્ષમય જીવન રાજકોટના પોપટપરા વિસ્તારના એક નાનકડા મકાનમાં રહેતા 27 વર્ષીય અજય મજેઠીયાએ અત્યંત સંઘર્ષ વચ્ચે રાજકારણમાં સફળતા મેળવી છે. તેમનો 15 સભ્યોનો મોટો પરિવાર એકસાથે સંયુક્ત કુટુંબમાં વસે છે. આર્થિક સ્થિતિ સામાન્ય હોવાથી તેમના પિતા કારખાનામાં મજૂરી કામ કરે છે, જ્યારે કાકાઓ રિક્ષા અને લારી ચલાવીને ગુજરાનમાં મદદરૂપ થાય છે. અજયભાઈએ પણ ઘરની જવાબદારી ઉપાડવા ધોરણ 10 પછી છેલ્લા 10 વર્ષથી આઈસ્ક્રીમની દુકાનમાં નોકરી કરી હતી. આટલા વર્ષોના વ્યક્તિગત સંઘર્ષ છતાં ભાજપ પ્રત્યેની તેમની નિષ્ઠા અડગ રહી અને તેઓ સક્રિય કાર્યકર તરીકે પક્ષમાં કાર્યરત રહ્યા હતા. અણધારી સફળતા અને પક્ષનો ભરોસો અજય મજેઠીયાએ જણાવ્યું કે, પક્ષના નિયમ મુજબ તેમણે સેન્સ આપી હતી, પરંતુ તેમને સપનામાં પણ વિચાર નહોતો કે પક્ષ તેમના જેવા સામાન્ય યુવાનને ટિકિટ આપશે. ભારતીય જનતા પાર્ટીએ પાયાના કાર્યકરની કદર કરતા તેઓ હવે કોર્પોરેટર તરીકે ચૂંટાઈને પ્રજાની સેવા કરવા સજ્જ થયા છે. આ મોટી જવાબદારી મળતા જ તેમણે પ્રજાના પ્રશ્નો ઉકેલવા માટે પોતાની 10 વર્ષ જૂની નોકરી પણ છોડી દીધી છે. સ્થાનિક પ્રશ્નો ઉકેલવાનો નિર્ધાર વોર્ડ નંબર-3માંથી વિજેતા બનેલા અજયભાઈના વિસ્તારમાં અનેક પડતર પ્રશ્નો છે, જેમાં પોપટપરાનું નાળું મુખ્ય સમસ્યા છે. ચોમાસામાં સામાન્ય વરસાદમાં પણ અહીં પાણી ભરાઈ જવાથી સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. પોતે આ વિસ્તારમાં જ ઉછર્યા હોવાથી તે ગલી-ગલીની સમસ્યાઓથી વાકેફ છે. તેઓ હવે ધારાસભ્ય ઉદય કાનગડ અને સિનિયર કોર્પોરેટર નરેન્દ્રસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વિકાસલક્ષી કામોને પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ રહેશે. લોકશાહીની સુંદરતા અને કાર્યકરોમાં ઉત્સાહ રાજકારણમાં મોટા માથાઓના વર્ચસ્વ વચ્ચે ભાજપ દ્વારા છેવાડાના માનવીને તક આપવામાં આવતા અન્ય નાના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકોનું માનવું છે કે જે વ્યક્તિ પોતે ગરીબી અને સંઘર્ષમાંથી પસાર થઈ હોય, તે જ સામાન્ય જનતાની પીડાને સાચા અર્થમાં સમજી શકે છે. હવે જોવાનું એ રહેશે કે આઈસ્ક્રીમની દુકાનથી કોર્પોરેશન સુધી પહોંચેલા અજયભાઈ પોપટપરાના વર્ષો જૂના પ્રશ્નોને કેટલી ઝડપે ઉકેલી શકે છે.
    Click here to Read More
    Previous Article
    ઠગોનો આતંક:શહેરમાં 60 દિવસમાં રૂ. 100 કરોડથી વધુની છેતરપિંડી, એક વૃદ્ધે તો હાર્ટ સર્જરી માટે બચાવેલા રૂપિયા ગુમાવ્યા
    Next Article
    આજે 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ:આ વોટ્સએપ નંબર અથવા વેબસાઈટ પર 4 સ્ટેપ્સ ફોલો કરી જોઈ શકાશે માર્કશીટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment