Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં ભગવાન મહાવીર સ્વામીનો 2600મો જન્મ કલ્યાણક મહોત્સવ ઉજવાયો:ભવ્ય શોભાયાત્રા નીકળી, રાજકીય અગ્રણીઓ જોડાયા

    6 days ago

    વલસાડમાં ભગવાન મહાવીર સ્વામીનો 2600મો જન્મ કલ્યાણક મહોત્સવ ઉજવાયો હતો. આ નિમિત્તે મોટા બજાર સ્થિત જૈન મંદિરથી એક શોભાયાત્રા નીકળી હતી, જે શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. આ શોભાયાત્રા સવારે 10 કલાકે આઝાદ ચોક ખાતે પહોંચી હતી. તેમાં જૈન મુનિઓ અને ભગવાનનો રથ સામેલ હતા. આ પ્રસંગે પ્રદેશ ભાજપ મંત્રી સોનલબેન સોલંકી અને વલસાડ નગરપાલિકાના પ્રમુખ માલતીબેન ટંડેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આઝાદ ચોક ખાતે ભગવાનના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. તેમની સાથે અનેક જૈન અગ્રણીઓ પણ જોડાયા હતા. શોભાયાત્રામાં જોડાયેલા જૈન મુનિઓ અને ભગવાનના રથનું નગરના વિવિધ વિસ્તારોમાં શ્રદ્ધાળુઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અનેક સ્થળોએ મુનિ ભગવંતોનું સન્માન પણ કરાયું હતું. મોટી સંખ્યામાં જૈન સમાજના ભાઈ-બહેનો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને શોભાયાત્રામાં જોડાયા હતા. સોનલબેન સોલંકીએ જણાવ્યું હતું કે, ભગવાન મહાવીર સ્વામીનો 'અહિંસા પરમો ધર્મ' અને 'જીવો અને જીવવા દો'નો સંદેશ આજે પણ પ્રસ્તુત છે. તેમણે સૌને ભગવાન મહાવીરના માર્ગે ચાલવા આહવાન કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ભરૂચ શ્રીમાળી પોળ જૈન દેરાસરમાં મહાવીર જયંતિની ઉજવણી:શ્રદ્ધાળુઓએ પૂજા-અર્ચના કરી, ધાર્મિક વાતાવરણમાં ધન્યતા અનુભવી
    Next Article
    Microsoft Upgrades Copilot With Multi-Model AI To Improve Workflow

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment