Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુમકુમ મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનની ૨૪૫મી જયંતી મહોત્સવ:26 માર્ચે સાધુ પ્રેમવત્સલદાસજીનો વિશેષ પોડકાસ્ટ કાર્યક્રમ

    17 hours ago

    અમદાવાદના મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ ખાતે સદ્ગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ ભગવાનની ૨૪૫મી જયંતી પ્રસંગે ત્રિદિવસીય મહોત્સવ ઉજવાશે. આ મહોત્સવ ૨૬ થી ૨૮ માર્ચ દરમિયાન યોજાશે. આ વર્ષે મહોત્સવનું મુખ્ય આકર્ષણ પરંપરાગત ભક્તિ-સત્સંગ સાથે આધુનિક ટેક્નોલોજીનો સમન્વય છે. મહોત્સવના પ્રથમ દિવસે, ૨૬ માર્ચના રોજ સાંજે ૬:૩૦ વાગ્યે એક વિશેષ પોડકાસ્ટ કાર્યક્રમ યોજાશે. આ પોડકાસ્ટમાં મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજી અને જાણીતા પ્રવક્તા પ્રો. અશ્વિનભાઈ આણદાણી શ્રી સ્વામિનારાયણ ભગવાનના જીવનના આદર્શો, સામાજિક સુધારા અને વર્તમાન સમયમાં આધ્યાત્મિકતાની પ્રસ્તુતતા અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આજના યુવાનોને તેમની ભાષામાં ભગવાનનો શાંતિ, સદાચાર અને નીતિમય જીવનનો સંદેશ સમજાવવાનો છે. ડિજિટલ માધ્યમ દ્વારા ભગવાનના સંદેશને વ્યાપક ફલક ઉપર પહોંચાડવાનો આ એક નવતર પ્રયોગ છે. આ કાર્યક્રમના પ્રારંભે સાંજે ૪:૩૦ થી ૬:૩૦ દરમિયાન સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરવામાં આવશે. ૨૭ માર્ચના રોજ સવારે ૯:૩૦ થી ૧૧:૦૦ વાગ્યા સુધી ધૂન, કીર્તન અને પારાયણ વાંચન કરવામાં આવશે. બપોરે ૨:૩૦ થી રાત્રીના ૧૦:૦૦ વાગ્યા સુધી સ્વામિનારાયણ મહામંત્રની ધૂન અને શ્રી હરિનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનને પારણિયામાં ઝુલાવવામાં આવશે અને સંતો-ભક્તો દ્વારા સમૂહ આરતી કરવામાં આવશે. ૨૮ માર્ચના રોજ સવારે ૮:૩૦ થી ૧૧:૩૦ વાગ્યા સુધી કુમકુમ મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજનો ૩૪મો પાટોત્સવ ઉજવાશે. આ પ્રસંગે ષોડશોપચારથી પૂજન, અર્ચન અને પુષ્પાભિષેક કરવામાં આવશે, ત્યારબાદ અન્નકૂટ ધરાવવામાં આવશે. આ ત્રિદિવસીય મહોત્સવ દરમિયાન શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી અને શ્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામી શ્રી સ્વામિનારાયણ ભગવાનના જીવન કવન ઉપર મહિમાગાન કરશે. આ પ્રસંગે ગુજરાતભરના અને દેશ-વિદેશના ભક્તો દર્શન અને સત્સંગનો લાભ લેવા પધારશે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં આવતીકાલે 23 શોભાયાત્રાઓ નિકળશે:રામનવમી પર્વે વડોદરા પોલીસ એલર્ટ મોડ પર, પોલીસ ડ્રોન, સીસીટીવી કેમેરા, બોડી વોર્ન કેમેરાથી સજ્જ, ધાબા પોઇન્ટ, ડીપ ધાબા પોઇન્ટ પર ચેકિંગ વધુ કડક કરાશે
    Next Article
    મુખ્યમંત્રીનો ‘નાગરિક દેવો ભવઃ’ અભિગમ:રાજ્ય સ્વાગતમાં 3512 રજૂઆતોનો ત્વરિત ઉકેલ લાવી વહીવટી તંત્રને અપાયા કડક આદેશો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment