Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક જ સ્થળે 25,000 ઓક્સિજનયુક્ત વૃક્ષોનું વાવેતર:પાટીલે કહ્યું- પર્યાવરણનું સંતુલન જાળવવું એ આપણા સૌની નૈતિક ફરજ, ભેસ્તાન મૂર્તિ રેસીડેન્સી રોડ ખાતે કાર્યક્રમ યોજાયો

    9 hours ago

    સુરતમાં આજે 28 જૂન પર્યાવરણની રક્ષા કાજે એક નવો કીર્તિમાન સ્થાપિત થયો છે. દેશના PM નરેન્દ્ર મોદીના દેશવ્યાપી આહવાન ‘એક પેડ મા કે નામ’ અભિયાનને સાર્થક કરતા સુરત મહાનગર BJP દ્વારા એક મેગા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા મૂર્તિ રેસીડેન્સી રોડ ખાતે આયોજિત આ વિશેષ ઝુંબેશ અંતર્ગત એક જ દિવસમાં 25,000 જેટલા ઓક્સિજનયુક્ત વૃક્ષોનું રોપણ કરીને પ્રકૃતિ વંદના કરવામાં આવી હતી. 'પર્યાવરણનું સંતુલન જાળવવું એ આપણા સૌની નૈતિક ફરજ' આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અને નવસારીના સાંસદ સી. આર. પાટીલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે છોડ રોપીને આ મહાઅભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, ગ્લોબલ વોર્મિંગના આ યુગમાં પર્યાવરણનું સંતુલન જાળવવું એ આપણા સૌની નૈતિક ફરજ છે. વડાપ્રધાન દ્વારા શરૂ કરાયેલું ‘એક પેડ મા કે નામ’ અભિયાન માત્ર એક સરકારી કાર્યક્રમ નથી, પરંતુ ધરતી માતા અને આપણી જન્મદાત્રી માતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું એક પવિત્ર માધ્યમ છે. તેમણે સુરત ભાજપ અને સ્થાનિક વહીવટી તંત્રના આ સરાહનીય પ્રયાસને બિરદાવ્યો હતો. 25,000 છોડના સંપૂર્ણ જતન અને ઉછેર માટે લોકોએ સામૂહિક પ્રતિજ્ઞા લીધી આ કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા એ રહી કે અહીં માત્ર વૃક્ષોનું રોપણ કરીને સંતોષ માનવામાં આવ્યો નહોતો, પરંતુ વાવવામાં આવેલા તમામ 25,000 છોડના સંપૂર્ણ જતન અને ઉછેર માટે ઉપસ્થિત હજારો નાગરિકોને સામૂહિક પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. ગ્રીન સુરતના આ સંકલ્પમાં હજારોની સંખ્યામાં સ્થાનિક રહીશો, પર્યાવરણ પ્રેમીઓ અને સંગઠનના કાર્યકરો ઉત્સાહભેર જોડાયા હતા. મિયાવાકીની યોજનાથી વાવેલા વૃક્ષો ખૂબ જ જલ્દી મોટા થઈ જશે જળશક્તિ મંત્રી સી આર પાટીલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના આહવાનના કારણે પૂરા દેશમાં ગામડે-ગામડેથી લઈને શહેરો સુધી દરેક જગ્યા પર લોકોએ એક-એક વૃક્ષ વાવવાની શરૂઆત કરી હતી. મિયાવાકીની આ યોજના અનુસાર ખૂબ જ જલ્દી આ વૃક્ષો મોટા થઈ જશે. અને આ જે તમામ વૃક્ષો વાવ્યા છે, તે ઓક્સિજન યુક્ત વૃક્ષો છે. તેના કારણે શહેરમાં ઓક્સિજન પણ વધશે. લોકોને જે હવામાં ઓક્સિજનની જરૂરિયાત છે, ધીમે-ધીમે પ્રદૂષણના કારણે તેની અંદર જે અછત આવી રહી છે, તેને ઓછી કરવા માટે આ ઓક્સિજન યુક્ત વૃક્ષ વાવવું એ અત્યંત આવશ્યક છે. મિયાવાકીની જે સિસ્ટમ છે તે ઓછી જગ્યામાં વધારે વૃક્ષો વાવે છે અને તેનો ખૂબ મોટો ફાયદો પણ થાય છે. તો આજે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ સુરત મહાનગરપાલિકા, કલેક્ટર કચેરી અને પોલીસ કમિશનર તથા તમામ સંસ્થાઓનો સહયોગ લેતા ભારતીય જનતા પાર્ટીએ આ સહયોગથી આજે આટલા 25,000 વૃક્ષો વાવ્યા છે. મેયર માયા માવાણી સહિતના નેતાઓએ વૃક્ષારોપણ કર્યું હતું આ મેગા વૃક્ષારોપણ અભિયાનમાં સુરત મહાનગરપાલિકાના મેયર માયાબેન માવાણીએ પણ સક્રિયપણે ભાગ લઈને વૃક્ષારોપણ કર્યું હતું. તેમની સાથે સુરત મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ, સ્થાનિક ધારાસભ્ય સંગીતા પાટીલ સહિત ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ, કાઉન્સિલરો અને સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોએ નાગરિકોને પોતાના ઘર આંગણે પણ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેને મોટું કરવા અપીલ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    સિદ્ધપુર કોર્પોરેટર આમીરખાને પોલિયો બૂથની મુલાકાત લીધી:બાળકોને પોલિયોના ટીપાં પીવડાવી અભિયાનમાં ભાગ લીધો
    Next Article
    PM Modi Maan Ki Baat | PM મોદીનો મનકી બાત કાર્યક્રમનો આજે 135મો એપિસોડ | PM Modi Speech | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment