Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ મુસ્લિમ સમાજ ત્રણ મોટા પ્રોજેક્ટ હાથ ધરશે:આરોગ્ય, શિક્ષણ, આવાસ માટે હોસ્પિટલ, સંકુલ, 250 મકાન બનશે

    2 days ago

    ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં સમસ્ત મુસ્લિમ સેવા સમાજે સમાજના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સમાજના આગેવાનોની બેઠકમાં આરોગ્ય, શિક્ષણ અને આવાસ જેવી મૂળભૂત જરૂરિયાતોને ધ્યાનમાં રાખી ત્રણ મોટા પ્રોજેક્ટ હાથ ધરવાનો સંકલ્પ કરાયો છે. આ પ્રોજેક્ટ્સમાં મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, નર્સરીથી કોલેજ સુધીનું આધુનિક શિક્ષણ સંકુલ અને ગરીબ પરિવારો માટે 250 મકાન બનાવવાનો સમાવેશ થાય છે. સમસ્ત મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ અફઝલ પંજાએ જણાવ્યું હતું કે વેરાવળમાં 50 હજારથી વધુ મુસ્લિમ વસ્તી હોવા છતાં, સમુદાય માટે કોઈ સુવિધાસભર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ નથી. આના કારણે સામાન્ય અને ગરીબ પરિવારોને સારવાર માટે મોટા શહેરોમાં જવું પડે છે અને ભારે ખર્ચ ભોગવવો પડે છે. આ સમસ્યાના નિરાકરણ માટે સમાજના આગેવાનો સાથે ચર્ચા કરીને આ નિર્ણય લેવાયો છે. આ આયોજન મુજબ, સોમનાથ ટોકીઝ વિસ્તારમાં ગીર સોમનાથ જિલ્લા સમસ્ત મુસ્લિમ સમાજના પ્રથમ પ્રમુખ સ્વ. હાજી ફારૂકભાઈ મોલાનાના વિશાળ મકાનમાં ટૂંક સમયમાં મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ શરૂ કરાશે. આ હોસ્પિટલનો મુખ્ય ઉદ્દેશ્ય નફો કમાવવાનો નહીં, પરંતુ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને રાહત દરે સારવાર પૂરી પાડવાનો રહેશે. હોસ્પિટલમાં ગાયનેકોલોજીસ્ટ, પીડિયાટ્રિક નિષ્ણાત, એમ.ડી. મેડિસિન, એમ.એસ. સર્જન અને ઓર્થોપેડિક સર્જન જેવા વિવિધ વિશેષતા ધરાવતા ડોકટરોની સેવાઓ ઉપલબ્ધ કરાશે. શિક્ષણ ક્ષેત્રે પણ સમાજે દુરંદેશી આયોજન કર્યું છે. સમાજ દ્વારા સાડા પાંચ હજાર ગજથી વધુ વિસ્તારની જમીન મેળવી લેવામાં આવી છે, જ્યાં નર્સરીથી લઈને કોલેજ સુધીનું આધુનિક શિક્ષણ સંકુલ ઉભું કરવામાં આવશે. આ સંકુલનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે અને તેઓ સમય સાથે કદમ મિલાવી શકે તે છે. આ ઉપરાંત, ખારાકુવા અને જી.આઈ.ડી.સી. વિસ્તારમાં કામ કરતા ગરીબ પરિવારોને પોતાના ઘરનું સપનું સાકાર થાય તે માટે અલગ અલગ વિસ્તારમાં આશરે 250 મકાનો બનાવવાનો સંકલ્પ પણ કરાયો છે. સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ, રમઝાન ઈદ બાદ આ ત્રણેય મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર કામગીરી શરૂ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    નવસારી SPએ પત્ની સાથે દિવ્યાંગ બાળકોને ભોજન પીરસ્યું:મમતા મંદિર શાળાના 450 બાળકો માટે સ્નેહભોજનનું આયોજન
    Next Article
    Gir Somnath Farmers | ગીર સોમનાથના ખેડૂતો માથે સંકટના વાદળો | Unseasonal Rain | Agriculture News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment