Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં નદીકાંઠેથી યુવાનનો મૃતદેહ મળ્યો:25 વર્ષના યુવકની લોહીલુહાણ હાલતમાં લાશ મળી, હત્યાની આશંકા, પોલીસ તપાસ શરૂ

    2 days ago

    જામનગરના રણજીત સાગર રોડ પર પ્રણામી નગર નજીક નદી કાંઠેથી આજે 25 વર્ષીય તપેન્દ્ર જંનકર સાવન નામના યુવાનનો લોહીલુહાણ મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે આ ઘટનામાં હત્યાની આશંકા વ્યક્ત કરીને તપાસ શરૂ કરી છે. ઘટનાસ્થળેથી મૃતક યુવાનની બાજુમાંથી લોહીથી ખરડાયેલો એક પથ્થર મળી આવ્યો હતો. વધુમાં, નદીના પાણીમાંથી GJ 11 BF 6143 નંબરનું એક એક્ટિવા પણ મળી આવ્યું હતું. આ બનાવની જાણ થતાં જ જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જે.એન. ઝાલા, સિટી એ. ડિવિઝનના પીઆઈ વી.એમ. ડોડીયા અને એલ.સી.બી.ની ટીમ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મૃતકના માથા અને પગના ભાગે ઇજાના નિશાન જોવા મળ્યા હતા. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન તપેન્દ્ર જંનકર સાવન (ઉં.વ. ૨૫) નેપાળી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે શંકા વ્યક્ત કરી છે કે કોઈ અજાણ્યા શખ્સે બોથડ પદાર્થ વડે માથામાં હુમલો કરીને તેની હત્યા કરી હોઈ શકે છે. પોલીસે એક્ટિવાના રજીસ્ટ્રેશન નંબરના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આસપાસના વિસ્તારોમાં કોઈ નેપાળી યુવાન ગુમ થયો છે કે કેમ તે અંગેની માહિતી મેળવવા માટે પણ પોલીસની ટીમો કાર્યરત છે. પોલીસે મૃતદેહનો કબજો લઈ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે અને તપાસ આગળ વધશે.
    Click here to Read More
    Previous Article
    પાટણ પોલીસે ₹63 લાખનો વિદેશી દારૂનો નાશ કર્યો:જિલ્લાના ત્રણ પોલીસ સ્ટેશનના ગુનાઓમાં જપ્ત જથ્થાનો નિકાલ
    Next Article
    Commercial Pilot Says His Plane Hit By Drone Over US Airport

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment