Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ‎:અમદાવાદમાં 24% દર્દીઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના એન્ટિબાયોટિક્સ દવાઓ લે છે! સૌથી વધુ પ્રમાણ 5 વર્ષથી નાના બાળકોમાં જોવા મળ્યું છે

    9 hours ago

    અમદાવાદમાં સામાન્ય શરદી-ખાંસી કે તાવમાં ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના સીધી એન્ટિબાયોટિક દવાઓ ખરીદવાનું જોખમ વધી રહ્યું છે. GMERS મેડિકલ કોલેજ દ્વારા ઓગણજ વિસ્તારના 549 પરિવારોના 2278 લોકો પર એક રિસર્ચ કરવામાં આવ્યું હતું. આ રિસર્ચ મુજબ, 15.3% લોકોએ બીમારીની હિસ્ટ્રી આપી હતી, જેમાંથી 33.5% દર્દીઓએ સારવાર માટે એન્ટિબાયોટિક્સ લીધી હતી. ચિંતાજનક બાબત એ છે કે 24% લોકોએ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના જ એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કર્યો હતો. દર્દીઓએ સેલ્ફ-મેડિકેશન, મેડિકલ સ્ટોર પરથી સીધી ખરીદી, મિત્રોની સલાહ, જૂના પ્રિસ્ક્રિપ્શન, ઊંટવૈદ્યો કે સ્થાનિક હેલ્થકેર વર્કર્સના માધ્યમથી આ દવાઓ મેળવીને સીધો ઉપયોગ કર્યો હતો. ચિંતાજનક બાબત એ છે કે, એન્ટિબાયોટિક્સ આપવાનું સૌથી વધુ 52.6% પ્રમાણ 5 વર્ષથી નાના બાળકોમાં જોવા મળ્યું. આઈસીએમઆર જર્નલમાં પ્રકાશિત આ સંશોધન તબીબોની ટીમ રશ્મિ શર્મા, પરિતા પટેલ, નિર્મિકા પટેલ, સંજુ ગજ્જર, બ્રિજેશ પટેલ, આર્યેશ ચાંદેગરા અને નિરવ બાપટ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. સૌથી વધુ તાવ અને પેટની બીમારીની દવા લેવાઈ સૌથી વધુ તાવ (54.7%) અને પેટની બીમારીઓ (42.7%) માટે આ દવાઓ લેવાઈ હતી. ત્યારબાદ શરદી-ખાંસી/શ્વસનતંત્રની બીમારીમાં (41.0%) દવાઓ લેવાઈ હતી. જેમાં ખાસ કરીને ‘એમોક્સિસિલિન અને ક્લેવ્યુલેનિક એસિડ’નો સૌથી વધુ વપરાશ નોંધાયો છે. WHOની ગાઈડલાઈન મુજબ એન્ટિબાયોટિક્સને ‘AWaRe’ (એક્સેસ, વોચ, રિઝર્વ) કેટેગરીમાં વહેંચવામાં આવી છે. ગંભીર સંજોગોમાં જ અપાતી ‘વોચ’ કેટેગરીની દવાઓનો 60% દર્દીઓએ સીધો ઉપયોગ કર્યો હતો. તબીબોની પ્રિસ્ક્રિપ્શન પેટર્ન પણ ચિંતાજનક અભ્યાસ મુજબ, માત્ર 22.2% દર્દીઓને જ એન્ટિબાયોટિક્સ ચાલુ કરતા પહેલા લોહી કે પેશાબના બેઝિક લેબ ટેસ્ટ કરાવવાનું સૂચન કરાયું હતું. કોણે કેટલી એન્ટિબાયોટિક્સ લીધી? દર્દીનો વર્ગ વપરાશ 5 વર્ષથી નાના બાળકો 52.6% બાળકો (18 વર્ષથી નીચેના) 42.6% વયસ્કો (પુખ્ત વયના) 28.1% ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના એન્ટિબાયોટિક્સનો ઉપયોગ અત્યંત ચિંતાજનક છે. 18 વર્ષથી નીચેના બાળકોમાં તેનો 42.6% વપરાશ છે. ભવિષ્યમાં ‘એન્ટિ-માઈક્રોબિયલ રેઝિસ્ટન્સ’ (AMR) ની ગંભીર કટોકટી સર્જાશે, જેથી સામાન્ય બીમારીઓમાં પણ દવાઓ અસરહીન બની જશે. - ડૉ. રશ્મિ શર્મા, ડિપા. કોમ્યુનિટી મેડિસીન, GMERS મેડિકલ કોલેજ, વ્યૂ
    Click here to Read More
    Previous Article
    ગ્રાઉન્ડ રિપોર્ટ:આડેધડ ખોદકામથી શેલા સહિતના 9 વિસ્તારમાં પાવર કટ, લોકો ત્રાહિમામ
    Next Article
    'Every District Seen As Country': Why Kingfisher Maker Is Going Hyperlocal In Maharashtra

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment