Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    24 વર્ષથી શિક્ષણ અધિકારી વગરનું મનપા:જૂનાગઢ મહાનગરપાલિકામાં 24 વર્ષથી શિક્ષણ અધિકારીની પોસ્ટ ગાયબ; મધ્યમ અને ગરીબ વર્ગના બાળકોના ભવિષ્ય સાથે ચેડાં થતા હોવાના વિરોધ પક્ષના ગંભીર આક્ષેપો

    2 days ago

    જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાપનાને 24 વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં, આશ્ચર્યજનક રીતે હજુ સુધી અહીં શિક્ષણ અધિકારી એટલે કે શાસનાધિકારીની પોસ્ટ કાર્યરત કરવામાં આવી નથી. વર્ષ 2002 માં મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારથી અત્યાર સુધી, એટલે કે વર્ષ 2026 સુધીમાં અનેક શાસકો બદલાયા પરંતુ શિક્ષણના માળખામાં કોઈ સુધારો થયો નથી. હાલમાં જૂનાગઢ શહેરની સરકારી પ્રાથમિક શાળાઓનો વહીવટ મહાનગરપાલિકાને બદલે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે. આ ગંભીર બેદરકારીને કારણે વિરોધ પક્ષે આક્ષેપ કર્યો છે કે શાસકોને માત્ર રોડ, રસ્તા અને ગટરના કામોમાં જ રસ છે કારણ કે ત્યાં ભ્રષ્ટાચારની તક રહેલી છે, જ્યારે શિક્ષણમાં કોઈ આર્થિક ફાયદો ન દેખાતો હોવાથી તેની સતત અવગણના કરવામાં આવી રહી છે. એટલું જ નહીં જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા જે ટેક્સ વસૂલવામાં આવે છે જેમાં પણ શિક્ષણ ઉપકર તરીકે પૈસા વસૂલવામાં આવી રહ્યા નું વિરોધ પક્ષે જણાવ્યું છે. ​વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ આ મામલે આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે જૂનાગઢમાં શિક્ષણ ક્ષેત્રે વહીવટ સાવ કથળ્યો છે. અન્ય મહાનગરપાલિકાઓમાં શાસનાધિકારીઓ દ્વારા શાળાઓનું સંચાલન વ્યવસ્થિત રીતે કરવામાં આવે છે, પરંતુ જૂનાગઢમાં ભાજપના લાંબા શાસન છતાં સ્થિતિ જૈસે થી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે શહેરના નાગરિકો શિક્ષણ વેરો ભરે છે, છતાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂડું પાડવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. જો મહાનગરપાલિકા આ શાળાઓનો વહીવટ સંભાળે તો સ્થાનિક સ્તરે સુવિધાઓ સુધરી શકે, પરંતુ સત્તાધીશો માત્ર મોટી ગ્રાન્ટ આવતી હોય તેવા કામોમાં જ મગ્ન છે. ટેકનિકલ સ્ટાફના અભાવે પણ અબજો રૂપિયાના કામો કરવામાં આવે છે કારણ કે તેમાં 'કટકી' મળી રહે છે, જ્યારે શિક્ષણ ક્ષેત્રે આવી કોઈ મલાઈ દેખાતી નથી. ​બીજી તરફ, મહાનગરપાલિકાના કમિશનર તેજસ પરમારે વહીવટી પક્ષ રજૂ કરતા જણાવ્યું કે સામાન્ય રીતે મોટી મહાનગરપાલિકાઓમાં શાસનાધિકારીનું સેટઅપ હોય છે, પરંતુ જૂનાગઢ મનપાના પ્રારંભિક સેટઅપમાં જ આ જગ્યાની જોગવાઈ કરવામાં આવી નહોતી. આ જ કારણ છે કે હાલમાં શિક્ષણની જવાબદારી મહાનગરપાલિકા પાસે નથી અને જિલ્લા શિક્ષણ વિભાગ આ કામગીરી સંભાળી રહ્યો છે. જો પંચાયત વિભાગ અથવા શિક્ષણ વિભાગ આ શાળાઓ મહાનગરપાલિકાને સોંપવા માટેનો કોઈ પ્રસ્તાવ રજૂ કરશે, તો મહાનગરપાલિકા ચોક્કસપણે તેના પર વિચારણા કરશે અને નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરશે. અત્યાર સુધી તંત્ર પાસે આવી કોઈ સત્તાવાર દરખાસ્ત આવી નથી તેવું તેમણે સ્પષ્ટ કર્યું હતું. ​સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકરે સ્વીકાર્યું હતું કે હાલમાં મહાનગરપાલિકા હસ્તક માત્ર એક 'નરસિંહ વિદ્યા મંદિર' સ્કૂલ જ છે, જ્યારે શહેરની અન્ય 23 પ્રાથમિક શાળાઓનો વહીવટ જિલ્લા પંચાયત હસ્તક છે. તેમણે પોતાનો બચાવ કરતા જણાવ્યું કે અમે પણ ઈચ્છીએ છીએ કે આ તમામ શાળાઓ મનપા હસ્તક આવે અને કોર્પોરેશન તેનો વહીવટ સંભાળે. આ માટે તેઓ આગામી દિવસોમાં શિક્ષણ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજા અને રિવાબા જાડેજાને પત્ર લખીને રજૂઆત કરશે. કમિશનર સાથે ચર્ચા કરી આ પ્રક્રિયાને ઝડપી બનાવવાની ખાતરી પણ તેમણે આપી હતી, જોકે વિરોધ પક્ષ આને માત્ર દર વખતની જેમ આપવામાં આવતા પોલા વાયદા ગણાવી રહ્યો છે. ​જૂનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાયે આ સમગ્ર મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે જિલ્લાની તમામ 710 સરકારી પ્રાથમિક શાળાઓનું સંચાલન અત્યારે જિલ્લા પંચાયત હસ્તક છે. મહાનગરપાલિકા વિસ્તારમાં આવતી શાળાઓ માટે છેલ્લા બે વર્ષથી કોઈ પણ પ્રકારની દરખાસ્ત મનપા તરફથી મળી નથી. સામાન્ય રીતે શહેર વિસ્તારની શાળાઓ માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને શાસનાધિકારી હોવા અનિવાર્ય છે, જે અન્ય શહેરોમાં હોય છે. જ્યાં સુધી મહાનગરપાલિકા તરફથી શાળાઓ સંભાળવાની કોઈ ઈચ્છા કે દરખાસ્ત નથી આવતી, ત્યાં સુધી પંચાયત વિભાગ આ ફરજ બજાવતું રહેશે. આમ, જૂનાગઢની જનતા માટે શિક્ષણ જેવી પાયાની સુવિધા અત્યારે વહીવટી ગૂંચવણો અને રાજકીય ઈચ્છાશક્તિના અભાવે રામભરોસે હોવાનું જણાય છે. જૂનાગઢની જનતા અત્યાર સુધી પાયાની સુવિધાઓ માટે જાણે કે 'ગિરનારી' ભરોસે હતી, પરંતુ હવે શિક્ષણની સ્થિતિ પણ દયનીય બની છે. મહાનગરપાલિકા દ્વારા શાસનાધિકારીની નિમણૂક ન કરાતા, મનપા હસ્તકની શાળાઓનો કાર્યભાર પણ મજબૂરીવશ જિલ્લા શિક્ષણ વિભાગે સંભાળવો પડે છે. વહીવટી ઉદાસીનતાને કારણે શહેરની શૈક્ષણિક વ્યવસ્થા ખોરવાઈ છે અને મનપાના પાપે બાળકોના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે...
    Click here to Read More
    Previous Article
    ધો-12 સાયન્સનું 84.33% ને સા.પ્રવાહનું 92.71% રિઝલ્ટ:વિદ્યાર્થિનીઓએ બાજી મારી, ફિઝિકસ અને આંકડાશાસ્ત્રમાં સૌથી વધુ સ્ટુડન્ટ ફેલ
    Next Article
    સિધ્ધપુર નજીક ટ્રક-અર્ટીગા અકસ્માત, ₹2.50 લાખનું નુકસાન:ટ્રકચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment