Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સગીરાના 24 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે હાઈકોર્ટની મંજૂરી:જામનગર જિલ્લાની 17 વર્ષીય દુષ્કર્મ પીડિતા ગર્ભવતી બનતા કોર્ટમાં અરજી કરી હતી

    1 week ago

    જામનગર જિલ્લાની 17 વર્ષીય દુષ્કર્મ પીડિતા ગર્ભવતી બનતા ગર્ભપાત માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. મેડિકલ રિપોર્ટ બાદ કોર્ટે મંજૂરી આપી છે. દુષ્કર્મના કારણે સગીરા ગર્ભવતી બની હતી જામનગરથી 17 વર્ષ અને 7 મહિનાની દુષ્કર્મ પીડિતા સગીરાના 24 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે મંજૂરી માંગતી અરજી આવી હતી. જે સંદર્ભે ગુજરાત હાઇકોર્ટે જામનગરની સિવિલ હોસ્પિટલને સગીરાના મેડિકલ તપાસના નિર્દેશ આપીને 4 મે સુધીમાં રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યો હતો. આરોપી સામે જામનગરના ધ્રોલ પોલીસ મથકે ફરિયાદ નોધાઇ છે. આજે તેનો મેડિકલ રીપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો. જેમાં સગીરાનો ગર્ભપાત શક્ય હોવાનો રીપોર્ટ આવ્યો હતો. જેને આધારે ગુજરાત હાઇકોટે સગીરાના ગર્ભપાતની મંજૂરી આપી છે. સગીરાના ગર્ભના DNA એકત્ર કરી પોલીસને સોંપાશે આરોપી સામે પુરાવા સ્વરૂપે સગીરાના ગર્ભના DNA તપાસ અધિકારીને સોંપવા જણાવાયું છે. ગર્ભપાત પહેલા સગીરાની બાહેંધરી લેવા કહેવાયું છે. જો બાળક જીવિત જન્મે તો તેને શક્ય તમામ સારવાર આપવા અને જો સગીરા બાળક રાખવા ના માંગે તો જુવેનાઇલ જસ્ટીસ એક્ટ મુજબ આગળની કાર્યવાહી કરવા માટે નિર્દેશ અપાયા છે. ગર્ભાવસ્થાના ગર્ભપાતનો નિયમ શું કહે છે? મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી (MTP ) એક્ટ હેઠળ કોઈપણ પરિણીત મહિલા, બળાત્કાર પીડિતા, અલગ-અલગ-વિકલાંગ મહિલા અને સગીર છોકરીને 24 અઠવાડિયાં સુધીની ગર્ભાવસ્થાનો ગર્ભપાત કરવાની છૂટ છે. જો પ્રેગ્નન્સી 24 અઠવાડિયાંથી વધુ હોય તો મેડિકલ બોર્ડની સલાહ પર કોર્ટમાંથી ગર્ભપાતની મંજૂરી લેવી પડે છે. વર્ષ 2020માં MTP એક્ટમાં ફેરફારો કરવામાં આવ્યા હતા. એ પહેલાં 1971માં બનેલો કાયદો લાગુ હતો.
    Click here to Read More
    Previous Article
    બંગાળની જીત પર મોદીએ કહ્યું- ગંગોત્રીથી ગંગાસાગર સુધી કમળ ખીલ્યું:ઘૂસણખોરો સામે કાર્યવાહી કરીશું, પ્રથમ કેબિનેટમાં આયુષ્માન ભારતને મંજૂરી મળશે
    Next Article
    જૂનાગઢમાં સામાન્ય પ્રવાહનું 89.12% અને સાયન્સનું 88.97% પરિણામ:213 વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ, ઢોલ-નગારાના તાલે વિદ્યાર્થીઓ ઝૂમી ઉઠ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment