Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અતુલ સ્ટેશન નજીક મળેલી હાથ-પગ બાંધેલી લાશનો ભેદ ઉકેલાયો:કંપનીમાં મજૂરી કરતા વૃદ્ધા માયાદેવીની ઓળખ થઈ, હત્યા કરનાર આરોપીને 24 કલાકમાં પોલીસે દબોચી લીધો

    1 week ago

    વલસાડના અતુલ સ્ટેશન નજીક આવેલી એક વાડીમાંથી હાથ-પગ બાંધેલી અને અત્યંત વિકૃત હાલતમાં એક વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં મૃતકની ઓળખ કરી હતી અને 24 કલાકની અંદર મુખ્ય આરોપીને દબોચી લીધો છે. મૃતકની ઓળખ યાદેવી પીતાંબર રાવત તરીકે થઈ છે. જે કંપનીમાં મજૂરી કરતાં હતાં. આખો બનાવ શું છે? અતુલ સ્ટેશન નજીક વાડીમાં મહિલાનો મૃતદેહ હોવાની માહિતી મળતા જ સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા. મૃતદેહ સડી ગયેલી હાલતમાં હતો અને તેના હાથ-પગ દોરડાથી ક્રૂરતાપૂર્વક બાંધેલા હતા. પ્રથમ દ્રષ્ટિએ જ આ હત્યાનો મામલો જણાતા વલસાડ રૂરલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાએ તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવીને તપાસના આદેશ આપ્યા હતા. સ્થાનિક અગ્રણીઓની મદદથી થઈ ઓળખ વલસાડ રૂરલ PI એસ.એન. ગડ્ડુ દ્વારા અતુલ અને આસપાસના ગામના સ્થાનિક અગ્રણીઓને મૃતદેહના ફોટા મોકલવામાં આવ્યા હતા, જેના આધારે મૃતકની ઓળખ થઈ શકી હતી. મૃતક મહિલાનું નામ માયાદેવી પીતાંબર રાવત (ઉં.વ. 60) હોવાનું સામે આવ્યું છે. તેઓ હરિયા વિસ્તારમાં આવેલા મહેશ પાર્ક, બચ્ચાભાઈની ચાલીમાં રહેતા હતા અને અતુલ કંપનીમાં મજૂરી કામ કરતા હતા. રવિવારે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ટેકનિકલ એનાલિસિસથી આરોપી ઝડપાયો પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ, સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. વલસાડ પોલીસે પ્રશંસનીય કામગીરી કરી મૃતદેહ મળ્યાના માત્ર 24 કલાકની અંદર જ હત્યારાની અટકાયત કરી પ્રાથમિક પૂછપરછ શરૂ કરી છે. પોલીસ વડા ટૂંક સમયમાં કરશે ખુલાસો જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજા ટૂંક સમયમાં જ એક પત્રકાર પરિષદ યોજવાના છે. આ કોન્ફરન્સમાં વૃદ્ધાની હત્યા પાછળનો મુખ્ય હેતુ, હત્યાની પદ્ધતિ અને પકડાયેલા આરોપીની વિગતો અંગે સત્તાવાર ખુલાસો કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટના 10 હજાર તરવૈયાઓના ધૂબાકા આજથી 4 દિવસ બંધ:વસ્તી ગણતરીની કામગીરીના લીધે મનપાના 4 સ્વિમિંગ પૂલમાં રજા જાહેર, વેકેશનમાં બાળકોની મજા - વૃધ્ધોની એક્સરસાઇઝમાં વિક્ષેપ
    Next Article
    જનગણના 2027 માટે રાજકોટ મહાપાલિકા સજ્જ:રાજકોટનાં ત્રણેય ઝોનમાં 4200 જેટલા કર્મચારીઓની ત્રણ દિવસની તાલીમ શરૂ, ઓનલાઇન સ્વ-ગણતરી કરવા અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment