Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઝુંબેશ:મચ્છરજન્ય રોગચાળો અટકાવવા રાજકોટ મનપા એક્શનમાં, એક સપ્તાહમાં 23 હજારથી વધુ ઘરમાં પોરાનાશક કામગીરી

    13 hours ago

    ચોમાસાની શરૂઆત પૂર્વે શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગ નિયંત્રણમાં રહે તેવા આશયથી રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા તા.8થી તા.14 જૂન દરમિયાન સમગ્ર શહેરમાં સઘન અટકાયતી કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરી વિસ્તારોમાં લોકોની બેદરકારી અને સાફસફાઈના અભાવે ચોખ્ખા પાણીના પાત્રોમાં મચ્છરોનું પ્રજનન ઝડપથી વધતું હોવાથી મનપાના તંત્ર દ્વારા આ આક્રમક ઝુંબેશ શરૂ કરાઈ છે. એક સપ્તાહની આ કામગીરી દરમિયાન આરોગ્ય શાખાની ટીમ દ્વારા 23,078 ઘરમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી છે અને 139 ઘરમાં ફોગિંગ કરવામાં આવ્યું છે. તદુપરાંત, મચ્છરોની વધુ ઘનતાવાળા વિસ્તારો અને જાહેર રસ્તાઓ પર વ્હિકલ માઉન્ટેન ફોગિંગ મશીન દ્વારા ફોગિંગ કામગીરી હેઠળ આવરી લેવાયા છે. તપાસ દરમિયાન બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ અને કોમ્પ્લેક્સ સહિત 588 પ્રિમાઇસીસની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો મળી આવતા બાયલોઝ અંતર્ગત રહેણાકના 107 અને કોમર્શિયલ 371 આસામીને નોટિસ આપી વહીવટી ચાર્જ વસૂલાતની કાર્યવાહી કરાઈ છે. આ સાથે જ પાણીજન્ય રોગ અટકાવવા માટે શહેરમાં કુલ 2056 ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    મોરબી જિલ્લામાં 18મીએ શાળા પ્રવેશોત્સવ:આંગણવાડીમાં 4268, બાલવાટિકામાં 9108, ધો. 9માં 6580, ડ્રોપ આઉટ 662 બાળકોને પ્રવેશ અપાશે
    Next Article
    AIADMK Goes To Court Over Rebel MLAs' Resignation, Hearing Tomorrow

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment