Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુપ્રીમ કોર્ટે કહ્યું-મહિલા અધિકારી સેનામાં સ્થાયી કમિશનની હકદાર:આનો ઇનકાર કરવો ભેદભાવ હતો; 23 વર્ષથી કેસ લડી રહી હતી

    4 days ago

    સુપ્રીમ કોર્ટે મંગળવારે સેનામાં શોર્ટ સર્વિસ કમિશન (SSC)માં મહિલા અધિકારીઓને કાયમી કમિશન આપવાના મામલે સુનાવણી કરી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કાયમી કમિશન ન આપવું એ તેમની યોગ્યતાની ઉણપ નથી, પરંતુ વ્યવસ્થામાં રહેલા ભેદભાવનું પરિણામ હતું. જસ્ટિસ સૂર્યકાંત, ઉજ્જલ ભુયાન અને એન કોટિશ્વર સિંહની બેન્ચે કહ્યું કે તેમના કામનું મૂલ્યાંકન એ વિચાર સાથે કરવામાં આવ્યું હતું કે તેમને પરમેનન્ટ કમિશન નહીં મળે. કોર્ટે કહ્યું- જે મહિલાઓને પહેલાથી પરમેનન્ટ કમિશન મળી ચૂક્યું છે, તે યથાવત રહેશે. જે અધિકારીઓ કેસ દરમિયાન નોકરીમાંથી બહાર થઈ ગઈ હતી, તેમને 20 વર્ષની સેવા પૂરી માનીને પેન્શન આપવામાં આવશે. બેન્ચે કેન્દ્ર સરકારને આગળ માટે સ્પષ્ટ અને પારદર્શક પસંદગી પ્રક્રિયા અપનાવવા અને મૂલ્યાંકનના તમામ નિયમો અગાઉથી જણાવવાનો નિર્દેશ આપ્યો, જેથી ભવિષ્યમાં ભેદભાવ ન થાય. સુપ્રીમ કોર્ટે બે રાહત આપી… 1. જે SSC અધિકારીઓને 2020–21માં નંબર 5 સિલેક્શન બોર્ડ અથવા AFT (ટ્રિબ્યુનલ)ના નિર્ણયના આધારે પહેલેથી જ કાયમી કમિશન (PC) મળી ચૂક્યું છે, તેમનો સ્ટેટસ બદલવામાં આવશે નહીં. 2. જે મહિલા SSC અધિકારીઓ (અપીલકર્તા) આ કેસ દરમિયાન સેવામાંથી બહાર થઈ ગઈ હતી, તેમને માની લેવામાં આવશે કે તેમણે 20 વર્ષની જરૂરી સેવા પૂરી કરી લીધી છે. તેમને પેન્શન અને તેનાથી સંબંધિત તમામ લાભો મળશે, પરંતુ પાછળનો પગાર (એરિયર) મળશે નહીં. 3. વર્તમાનમાં જે મહિલા અધિકારીઓ સેવામાં છે, તેમને કટઓફ પૂરો કરવા પર પરમેનન્ટ કમિશન મળશે. આ આદેશ તે મહિલા અધિકારીઓને લાગુ પડશે નહીં જેઓ JAG (જજ એડવોકેટ જનરલ) અને AEC (એજ્યુકેશન કોર્પ્સ) માં છે, કારણ કે તેમને 2010 થી જ કાયમી કમિશન માટે વિચારણાની તક મળતી રહી છે. કોર્ટ રૂમ લાઇવ…. સીજેઆઈ: આજે 3 કેસોમાં ચુકાદો સંભળાવવામાં આવી રહ્યો છે- આર્મી, નેવી અને એરફોર્સ પર… આ પછી સીજેઆઈએ એક પછી એક ત્રણેય સેનાઓના કેસો પર આદેશ સંભળાવ્યો… આર્મી કેસો પર CJI નેવી કેસમાં CJI એરફોર્સ કેસમાં CJI કોર્ટના નિર્ણય પર કોણે શું કહ્યું…
    Click here to Read More
    Previous Article
    પશ્ચિમ એશિયા સંકટ પર રાજનાથ સિંહની હાઈલેવલ મીટિંગ:PM મોદી ઈરાન યુદ્ધ મામલે આજે રાજ્યસભામાં સંબોધન કરશે; ગઈકાલે કહ્યું હતું- અસર લાંબી રહી શકે છે, તૈયાર રહેવું પડશે
    Next Article
    ભરૂચમાં વિશ્વ ટીબી દિવસ નિમિત્તે જનજાગૃતિ રેલી:'ટીબી હારેગા, દેશ જીતેગા' સૂત્રોચ્ચાર સાથે જનજાગૃતિ પત્રિકાઓ પણ વહેંચાઈ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment