Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખારવા સમાજ દ્વારા રાંદલ મહોત્સવની ઉજવણી:ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ, 23 સ્થળે માતાજીનું સ્થાપન

    1 week ago

    પોરબંદરમાં ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે. ભાવિકો માતાજીની પૂજા અર્ચના અને વ્રત કરી આસ્થાભેર નવરાત્રીની ઉજવણી કરશે. ગુજરાતમાં એકમાત્ર પોરબંદરમાં ખારવા સમાજ દ્વારા પરંપરાગત ઉજવણી કરવામાં આવે છે જેમાં બહેનો રાસ રમી માતાજીની આરાધના કરે છે. ખારવા સમાજના ટ્રસ્ટી અશ્વિનભાઇ મધુભાઈ જુંગી એ જણાવ્યું હતુકે, ખારવાસમાજ રાંદલ માતાને આરાધ્ય દેવી માને છે અને ખારવા સમાજના વડવાઓ દ્વારા શરૂ કરેલ પરંપરા આસ્થાભેર નિભાવવામાં આવે છે. ખારવાવાડ વિસ્તારમાં 21 અને સુભાષ ગરમાં 2 એમ 23 જગ્યાએ રાંદલ માતા ગોરમાવડી ઉત્સવ ઉજવાઈ છે. ખાસ કરીને ખારવાવાડમાં મોટી રાંદલનું અનેરું મહત્વ રહેલું છે. જે જગ્યાઓ પરથી જ્યાં માતાજીના સ્થાપન છે ત્યાંથી બહેનો દરિયાના પાણીમાં પાટલા ધોઈ છે. ફાગણ માસની પૂનમ પછી પાટલા ધોઈ છે અને બાદ સ્થાપન કરી ફાગણ માસની અગિયારસ સુધી માતાજીના રાસ ગરબાનું આયોજન કરે છે. ચપ્પલ પહેર્યા વિના રાસ રમાઈ છે હાલ નવરાત્રી ગોર મવડી ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે ખારવાવાડમાં માતાજીના સ્થાપન બહાર જગ્યામાં બાળાઓ અને બહેનો રાસ રમી માતાજીની આરાધના કરે છે ત્યારે સંસ્કૃતિ મુજબ પગમાં ચપ્પલ પહેર્યા વિના રાસ રમી માતાજીની ગરિમા જાળવે છે અને માતાની ખરા અર્થમાં આરાધના કરે છે.
    Click here to Read More
    Previous Article
    કલંકિત ઘટના કેસ:ગિરનારનાં અંબાજી મંદિર પરિસરમાં તપાસ
    Next Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:કમોસમી વરસાદને પગલે બરડાના ખેતરમાં તૈયાર થયેલા ધાણા, જીરૂ, ઘઉં, ચણાના પાકને તાલપત્રીથી ઢાંકવા પડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment