Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુપ્ત નવરાત્રિ 23 જુલાઈ સુધી:દેવી સતીના ક્રોધથી દસ મહાવિદ્યાઓ પ્રગટ થઈ હતી; પૂજા અને મંત્ર જાપ સાથે ધ્યાન કરવાથી તણાવ દૂર થાય છે

    13 hours ago

    15 જુલાઈ (આષાઢ સુદ એકમ)થી ગુપ્ત નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે. આ ઉત્સવ 23 જુલાઈ સુધી રહેશે. આ દિવસોમાં તંત્ર સાધના સાથે જોડાયેલા લોકો દેવી સતીની દસ મહાવિદ્યાઓની કૃપા મેળવવાની કામનાથી વિશેષ સાધનાઓ કરે છે. દેવી સતીના ક્રોધથી પ્રગટ થઈ હતી દસ મહાવિદ્યાઓ ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના મતે, દસ મહાવિદ્યાઓનો સંબંધ દેવી સતી સાથે છે. માન્યતા છે કે દેવી સતીના ક્રોધથી દસ મહાવિદ્યાઓ પ્રગટ થઈ હતી. આ મહાવિદ્યાઓમાં મા કાલી, તારા દેવી, ત્રિપુર સુંદરી, ભુવનેશ્વરી, છિન્નમસ્તા, ત્રિપુરી ભૈરવી, ધૂમાવતી, બગલામુખી, માતંગી અને કમલાનો સમાવેશ થાય છે. ગુપ્ત નવરાત્રિમાં આ જ દસ મહાવિદ્યાઓને પ્રસન્ન કરવા માટે સાધના કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેમની આરાધનાથી વિશેષ આધ્યાત્મિક શક્તિ અને મનની શાંતિ પ્રાપ્ત થાય છે. દક્ષ યજ્ઞ સાથે જોડાયેલી છે દસ મહાવિદ્યાઓના પ્રગટ થવાની કથા પૌરાણિક કથા છે કે ભગવાન શિવના લગ્ન દેવી સતી સાથે થયા હતા. દેવી સતીના પિતા પ્રજાપતિ દક્ષ ભગવાન શિવને પસંદ કરતા ન હતા. તેઓ ઘણી વાર ભગવાન શિવનું અપમાન કરવાનો પ્રયાસ કરતા હતા. એક વાર પ્રજાપતિ દક્ષે એક મોટા યજ્ઞનું આયોજન કર્યું. તેમાં બધા દેવી-દેવતાઓને બોલાવવામાં આવ્યા, પરંતુ ભગવાન શિવ અને દેવી સતીને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. જ્યારે દેવી સતીને આ વાતની જાણ થઈ, ત્યારે તેમણે ભગવાન શિવને યજ્ઞમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી. ભગવાન શિવે તેમને સમજાવ્યું કે પ્રજાપતિ દક્ષે આપણને આમંત્રિત કર્યા નથી, તેથી આપણા માટે ત્યાં જવું યોગ્ય રહેશે નહીં. ભગવાન શિવના સમજાવ્યા પછી પણ દેવી સતી પોતાના પિતાના ઘરે જવાની જીદ પર અડગ રહ્યાં. તેમણે કહ્યું કે પિતાના ઘરે જવા માટે સંતાનને આમંત્રણની જરૂર હોતી નથી. વારંવાર વિનંતી કરવા છતાં પણ ભગવાન શિવે સહમતિ ન દર્શાવી, તો દેવી સતી ક્રોધિત થઈ ગયાં. માન્યતા છે કે આ જ ક્રોધથી દસ મહાવિદ્યાઓ પ્રગટ થઈ. દેવી સતીનું આ રૂપ જોઈને ભગવાન શિવે તેમને યજ્ઞમાં જવાથી રોક્યા નહીં. આ પછી દેવી સતી તેમના પિતા દક્ષના યજ્ઞમાં પહોંચ્યા. ત્યાં પ્રજાપતિ દક્ષે દેવી સતીની સામે જ ભગવાન શિવનું અપમાન કરવાનું શરૂ કરી દીધું. પતિનું અપમાન સહન ન કરી શકવાને કારણે દેવી સતીએ યજ્ઞકુંડમાં પ્રવેશ કરીને પોતાના દેહનો ત્યાગ કરી દીધો. સાધનામાં નિયમોનું પાલન જરૂરી ગુપ્ત નવરાત્રિમાં દસ મહાવિદ્યાઓની સાધના વિશેષ નિયમો સાથે કરવી જોઈએ. સાધનામાં કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવી જોઈએ. તેથી આવી સાધનાઓ તંત્ર નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ કરવી યોગ્ય માનવામાં આવે છે. આ દિવસોમાં સામાન્ય ભક્તો માટે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવા, સૂર્યદેવને અર્ઘ્ય આપવા અને ઘરના મંદિરમાં પૂજા કરવાનું મહત્વ જણાવવામાં આવ્યું છે. પૂજાની શરૂઆત ભગવાન ગણેશની આરાધનાથી કર્યા પછી દેવી માની પૂજા કરવી જોઈએ. આષાઢ ગુપ્ત નવરાત્રિના સમયે હવામાનમાં ફેરફાર શરૂ થઈ જાય છે. ગરમી ઓછી થવા લાગે છે અને વરસાદની મોસમ શરૂ થઈ જાય છે. આ દરમિયાન ખાનપાનમાં સાવધાની રાખવી જરૂરી છે. વરસાદની મોસમમાં પાચન શક્તિ નબળી પડી શકે છે, તેથી હળવો અને સરળતાથી પચી શકે તેવો ખોરાક લેવો જોઈએ. વધુ તળેલું-શેકેલું અથવા એવો ખોરાક લેવાનું ટાળવું જોઈએ, જેનાથી ગેસ અને અપચો જેવી સમસ્યા થઈ શકે છે. ધ્યાન અને મંત્ર જાપથી તણાવ દૂર થાય છે ગુપ્ત નવરાત્રિમાં ધ્યાન કરવાની વિશેષ પરંપરા છે. માન્યતા છે કે ધ્યાનથી મન શાંત થાય છે અને નકારાત્મક વિચારો અને તણાવ દૂર થાય છે. ધ્યાન માટે ઘરના મંદિરમાં દેવી પૂજા કર્યા પછી શાંત જગ્યાએ આસન પાથરીને બેસી શકો છો. આંખો બંધ કરીને દેવી માનું સ્મરણ કરો અને તમારું ધ્યાન બંને આંખોની વચ્ચે સ્થિત આજ્ઞા ચક્ર પર કેન્દ્રિત કરો. આ દરમિયાન સામાન્ય ગતિથી શ્વાસ લેતા 'દું દુર્ગાયૈ નમ:' મંત્રનો જાપ કરી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    Shilpa Shinde claims fake MMS was circulated after her Bhabiji exit: ‘My blood ran cold’
    Next Article
    પુરીમાં જગન્નાથજીને રથમાં બિરાજમાન કરાશે:ભારે વરસાદ વચ્ચે શ્રદ્ધાળુઓ રથયાત્રામાં સામેલ થવા પહોંચ્યા; વારાણસીમાં ત્રણ દિવસની રથયાત્રા શરૂ

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment