Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાઘોડિયાની પ્રાઈવેટ યુનિવર્સિટીમાં ફિઝિયોથેરાપી વિદ્યાર્થીનો આપઘાત:આત્મહત્યાનું કારણ અકબંધ, 22 વર્ષીય યુવક સુરતથી વડોદરા ફિઝિયોથેરાપી કરવા આવ્યો'તો

    13 hours ago

    વડોદરાની વાઘોડિયા ખાતે આવેલી ખાનગી યુનિવર્સિટીમાં ફિઝિયોથેરાપીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા અને વાઘોડિયા રોડ ઉપર આવેલ ચંદ્રગુપ્ત સોસાયટીમાં રહેતા 22 વર્ષીય વિદ્યાર્થીએ રહસ્યમય સંજોગોમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આપઘાતના બનાવ સંદર્ભે બાપોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરતના યુવકનો વડોદરામાં ગળે ફાંસો ખાઈ આપધાત પ્રાપ્ત વિગતો અનુસાર, વિદ્યાર્થી સુરતના વરાછા વિસ્તારમાં વર્ષા સોસાયટીમાં રહેતો અને હાલ વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલ ચંદ્રગુપ્ત સોસાયટીમાં રહેતો અને વાઘોડિયા ખાતે આવેલી ખાનગી યુનિવર્સિટીમાં ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ઋત્વીજ વિઠ્ઠલભાઈ કલસરિયા (ઉંમર વર્ષ 22) ભાડે મકાન રાખીને તેના સહધ્યાય અન્ય બે મિત્રો સાથે રહેતો હતો. તે ગઈકાલે દિવસ દરમિયાન તેના સમયે કોલેજે ગયો હતો. તે બાદ સાંજે ઘરે આવ્યો હતો. રાત્રિના સમયે તેના સહધ્યાયી બે મિત્રો જમવા માટે પર ગયા હતા. તે દરમિયાન વિદ્યાર્થી ઋત્વિજ કલસરિયા એ રહસ્યમય સંજોગોમાં એકલતાનો લાભ ઉઠાવી રસોડામાં આવેલા પંખાના હુક સાથે ગળે ફાંસો ખાય આપઘાત કરી લીધો હતો. ફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોઈને મિત્રો ચોકી ઉઠ્યા તેના મિત્રો બહારથી જમીને ઘરે આવ્યા બાદ ઋત્વિજને ફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોતા તેના રૂમ પાર્ટનર બે મિત્રો ચોકી ઉઠ્યા હતા અને બૂમો પાડી ઉઠ્યા હતા. બૂમોના કારણે આસપાસના લોકો દોડી આવ્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો, આત્મહત્યાનું કારણ અકબંધ આ સમગ્ર ઘટનાની જાણ બાપોદ પોલીસ તથા પરિવારજનો તથા કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થી આલમમાં ચકચાર મચી જવા પામી હતી. બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે આવી બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. હાલના તબક્કે વિદ્યાર્થીના આપઘાતનું કારણ અકબંધ રહેવા પામ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ગીર સોમનાથ કલેક્ટરની અધ્યક્ષતામાં ઈણાજમાં રાત્રીસભા યોજાઈ:આરોગ્ય, શિક્ષણ, પ્રાકૃતિક ખેતી પર માર્ગદર્શન, પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ
    Next Article
    લીવ ઈન પાર્ટનરની હત્યા મામલે સુરજ ભુવાજીના જામીન રદ:યુવતીની હત્યા કરી પેટ્રોલ છાંટી લાશને સળગાવી નાખી'તી, હાઈકોર્ટે જામીન આપતા મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment