Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દર બે કિમીના અંતરે વિસામાની વ્યવસ્થા:આજે રાત્રિથી નર્મદાની પંચકોશી પરિક્રમાનો પ્રારંભ 21 કિમી રૂટ પર દર 2 કિમીના અંતરે વિસામો મળશે

    1 week ago

    નર્મદા મૈયાની પંચકોશી પરિક્રમાનો ગુરૂવારના રોજથી વિધિવત રીતે પ્રારંભ થઇ રહયો છે. ચૈત્ર મહિનાની આકરી ગરમીમાં પરિક્રમા કરવામાં આવે છે. દિવસે ગરમીથી બચવા માટે લોકો રાત્રિના સમયે પરિક્રમા કરવાનું વધારે પસંદ કરતાં હોવાથી આજે બુધવારની રાત્રિથી જ પરિક્રમાવાસીઓ પરિક્રમા શરૂ કરી દેશે. 21 કીમીના પરિક્રમાના રૂટ પર દર બે કિમીના અંતરે ચા- નાસ્તા તેમજ વિસામાની વ્યવસ્થા કરાઇ છે. રામપુરા ગામ પાસે આવેલાં કીડીમંકોડી ઘાટ ખાતેથી પરિક્રમાની શરૂઆત થાય છે. ખાનગી વાહનોમાં શ્રધ્ધાળુઓ રામપુરા રણછોડજીના મંદિરે આવે છે અને ત્યાં દર્શન કર્યા બાદ પરિક્રમાની શરૂઆત કરતાં હોય છે. 21 કિમીની પરિક્રમા અંદાજે 6 કલાકના સમયમાં પૂર્ણ થતી હોય છે. આ વર્ષે 15 લાખ કરતાં વધારે પરિક્રમા વાસીઓ આવવાની સંભાવના હોવાથી તંત્ર તરફથી તૈયારીઓ કરવામાં આવી છે. રાત્રિના સમયે પરિક્રમા કરતાં લોકોની સંખ્યા વધી રહી હોવાથી પરિક્રમાના માર્ગ પર હેલોજન લાઇટ, રસ્તાઓના નવીનીકરણ સહિતની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. રામપુરા ઘાટ ખાતે રાજયના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહીને પરિક્રમાનો પ્રારંભ કરાવશે. પરિક્રમાનો પ્રારંભ રામપુરા ખાતે આવેલ રણછોડરાય ભગવાનના દર્શન કરીને થાય છે. ત્યાંથી આગળ દક્ષિણ કિનારે આગળ વધો એટલે બે કિમીના અંતરે વિસામા તથા ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંથી બે કિમીના અંતરે માંગરોળ ગામ આવેલું છે. માંગરોળથી આગળ જવાથી લોકેશ્વર મહાદેવ મંદિરે બીજો પડાવ આવે જ્યા પણ વિસામો રાખવામાં આવ્યો છે. આ સ્થળે 24 કલાક નાસ્તાની વ્યવસ્થા કરાઇ છે.ત્યાંથી આગળ જઈએ તો ઉદાસીન આશ્રમ, તપોવન આશ્રમ, હનુમાન મંદિર ગુવાર ગામે વિસામો અને ચા નાસ્તાની સુવધાઓ મળે છે. જ્યાંથી આગળ જઈએ તો ગોપાલેશ્વર મહાદેવ મંદિર, સ્વમી રામાનંદ સંત આશ્રમ દર્શન કરી સીધા નર્મદા કિનારે ઘાટ ઉતરી 2 કિમિ પદયાત્રા કરો એટલે શહેરાવ ગામ આવે છે. શહેરાવ ગામથી હોડી કે હંગામી પુલ પરથી નર્મદા નદી પાર કરી સામે કિનારે તિલકવાડા પહોંચવાનું હોય છે. શહેરાવ ઘાટ પર એક સાથે 200 લોકો આરામ કરી શકે તેટલો વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે. અહીંયા ખાણીપીણીના સ્ટોલની સાથે નર્મદા નદીના પાણીથી સ્નાન માટે ફૂવારા બનાવવામાં આવ્યાં છે. તિલકવાડા નર્મદા નદીના ઉત્તર કિનારે પહોંચ્યા બાદ સામે કિનારે પણ ડોમ બનાવાયો છે. તિલકવાડા પહોંચી જ્યાં તિલકેશ્વર મહાદેવ મંદિરે, નર્મદા માતાના મંદિરે દર્શન કરી સીધા મણિનાગેશ્વર મંદિરે વિસામો છે. અહીંથી આગળ કપિલેશ્વર મહાદેવના દર્શન કરતા સીધા રેંગણ ઘાટ પહોંચવાનું હોય છે. રેંગણ ઘાટ ખાતેથી નાવડીમાં બેસવાનું હોવાથી તંત્ર તરફથી અહીં પણ વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે. રેંગણથી રામપુરા પરત આવીને પરિક્રમા પૂર્ણ કરવામાં આવે છે. રેંગણથી રામપુરા ઘાટ આવવા માટે નદી પાર કરવાની ફરજ પડતી હોય છે. આ વખતે ગોવાથી મંગાવેલી ખાસ પ્રકારની 15 સ્પીડબોટ મુકવામાં આવી છે. આ 15 સ્પીડબોટમાં એક સાથે 450 લોકોએ એક જ સમયે રેંગણથી રામપુરા સુધી પહોંચાડી શકાશે. આ નવી વ્યવસ્થાના કારણે રેંગણ ઘાટ ખાતે બોટની રાહ જોવામાં પરિક્રમાવાસીઓના સમયમાં થતો વેડફાટ અટકાવી શકાશે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:પવિત્ર રમજાન માસમાં હજયાત્રાના બહાને 32 લોકો‎પાસેથી રૂા. 21.79 લાખ પડાવી ટુર એજન્ટ ગાયબ‎
    Next Article
    હીટવેવને લઈ તંત્ર સતર્ક::નાગરિકો માટે શું કરવું તેની માર્ગદર્શિકા જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment