Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું:કનુ દેસાઈએ 2047 સુધી વિકસિત રાષ્ટ્ર બનાવવા યોગદાનની હાંકલ કરી

    1 week ago

    વાપીના વીઆઈએ ઓડિટોરિયમ ખાતે રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને 'વિકસિત ભારત સંકલ્પ સંમેલન' યોજાયું હતું. આ કાર્યક્રમમાં મંત્રી કનુભાઈ દેસાઈએ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે દરેક નાગરિકના યોગદાનની હાકલ કરી હતી. આ સંમેલનમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ, વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ સહિત જિલ્લાના અનેક પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રગતિ પથ યાત્રા અંતર્ગત યોજાયેલા આ સંમેલનમાં કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ વિકાસના નવા શિખરો સર કરી રહ્યો છે. તેમણે ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ, વનબંધુ કલ્યાણ યોજના, વાઇબ્રન્ટ ગુજરાત અને સોલાર પોલિસી જેવી અનેક યોજનાઓ દ્વારા વિકાસને નવી દિશા મળ્યાનું ઉલ્લેખ કર્યો. મંત્રી દેસાઈએ વધુમાં જણાવ્યું કે ભારત આજે રિન્યુએબલ અને સોલાર એનર્જીના ક્ષેત્રમાં અગ્રેસર બન્યું છે. તેમણે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે દરેક નાગરિકે પોતાનું યોગદાન આપવાનો સંકલ્પ લેવા પર ભાર મૂક્યો. આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે અને ભારત વિશ્વમાં વધુ સશક્ત સ્થાન હાંસલ કરી રહ્યું છે. તેમણે 'એક પેડ મા કે નામ' અભિયાન અને પ્રાકૃતિક ખેતી જેવા જનજાગૃતિ અભિયાનોમાં સૌને જોડાવા આહ્વાન કર્યું. સાંસદ ધવલભાઈ પટેલે વલસાડ જિલ્લાના વિકાસની વાત કરતા જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં જિલ્લામાં 14 ટ્રેન સ્ટોપેજ મંજૂર થયા છે. વંદે ભારત ટ્રેનના બે સ્ટોપેજ મળવાથી વલસાડ દેશનો અનોખો જિલ્લો બન્યો છે. તેમણે બુલેટ ટ્રેન, નેશનલ હાઈવે અને કોસ્ટલ હાઈવે જેવા પ્રોજેક્ટોથી જિલ્લાનો વિકાસ વધુ ઝડપી બનશે તેવી આશા વ્યક્ત કરી. કાર્યક્રમ દરમિયાન 'એક પેડ મા કે નામ' અભિયાન આધારિત એક શોર્ટ ફિલ્મ પણ પ્રદર્શિત કરવામાં આવી હતી. આ સંમેલનમાં ઉદ્યોગપતિઓ, વેપારીઓ, શિક્ષકો, ડોકટરો, પત્રકારો અને વિવિધ ક્ષેત્રના આગેવાનો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પેથાપુરમાં નવીન પંચાયત ભવન, રોડનું ખાતમુહૂર્ત:ધારાસભ્ય વી.ડી. ઝાલા, સાંસદ શોભનાબેન બારૈયાએ કરાવ્યું
    Next Article
    Deadly Philippine Quake Raised Seabed By Up To Two Metres

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment