Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત યુનિવર્સિટીમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના પ્રશ્નો પર બેઠક:કોલેજ બંધ કરવાની સમયમર્યાદા 2026 સુધી લંબાવાશે, મંજૂરી મુદ્દે ખાતરી

    1 week ago

    ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કે.સી. પોરિયા અને નાયબ રજિસ્ટ્રાર સાથે કોલેજ સંચાલક દિલીપ ચૌધરી સહિતના પ્રતિનિધિઓએ બેઠક યોજી હતી. આ બેઠકમાં અધ્યાપકોની અછત, GCAS પોર્ટલ દ્વારા પ્રવેશ પ્રક્રિયા અને પેન્ડિંગ સૈદ્ધાંતિક મંજૂરી જેવા મુદ્દાઓ પર હકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી. સંચાલકોએ રજૂઆત કરી હતી કે હાલમાં ક્વોલિફાઇડ આચાર્યો અને અધ્યાપકોની મોટી અછત પ્રવર્તી રહી છે. છેલ્લા ઇન્ટરવ્યુમાં 6300 જગ્યાઓ સામે માત્ર 1800 યોગ્ય ઉમેદવારો જ મળી શક્યા હતા. જ્યાં સુધી NET, SLET કે PhD થયેલા કાયમી અધ્યાપકો ન મળે ત્યાં સુધી કાર્યકારી આચાર્ય અને 11 માસના કરાર આધારિત અધ્યાપકોની નિમણૂક માટે અગાઉની જેમ 2 વર્ષની છૂટછાટ આપવાની માંગ કરવામાં આવી છે. યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવનાર રી-એલઆઈસી (Re-LIC) પ્રક્રિયા અંગે પણ ચર્ચા થઈ હતી. સંચાલકોએ વિનંતી કરી હતી કે જો પુસ્તકો કે અન્ય નાની ભૌતિક સુવિધાઓ જેવી સામાન્ય ખામીઓ હોય, તો તેને પૂર્તતા કરવાની તક આપી ફરીથી નિરીક્ષણ ન કરવામાં આવે. જમીન અને બિલ્ડિંગ જેવા મોટા મુદ્દાઓ પર યુનિવર્સિટીના નિયમો સ્વીકારવાની સાથે સામાન્ય વહીવટી પ્રશ્નોમાં રાહત આપવા અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ હતી. કોલેજો બંધ કરવાની પ્રક્રિયામાં પણ રાહતની દરખાસ્ત મુકાઈ છે. વર્ષ 2025 સુધી કોલેજ બંધ કરવા માટેની 2 લાખની ફી ઘટાડીને 50,000 કરવામાં આવી હતી, જેની મુદત હવે 31 એપ્રિલ 2026 સુધી લંબાવવા અંગે આગામી 25 તારીખની બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં નિર્ણય લેવામાં આવી શકે છે. પ્રવેશ પ્રક્રિયા મુદ્દે વાઇસ ચાન્સેલરે સ્પષ્ટતા કરી હતી કે આ વર્ષે GCAS અંતર્ગત પ્રવેશના માત્ર 3 મુખ્ય રાઉન્ડ યોજવામાં આવશે, જેથી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય. જો ત્યારબાદ પણ બેઠકો ખાલી રહેશે, તો સ્વાયત્તતાના ધોરણે કોલેજોને પ્રવેશ આપવા અથવા યુનિવર્સિટીની કમિટી દ્વારા એડમિશન કરવા અંગે વિચારણા કરાશે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જેવા વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ વધ્યો હોવાથી માળખાગત સુવિધાઓ ઊભી કરનાર સંચાલકોના હિતમાં યુનિવર્સિટીએ હકારાત્મક વલણ દાખવ્યું છે. વર્ષ 2014 થી પેન્ડિંગ રહેલી સૈદ્ધાંતિક મંજૂરીના મુદ્દે પણ પ્રગતિ જોવા મળી છે. સરકાર દ્વારા નિમવામાં આવેલી 5 સભ્યોની કમિટીએ સ્ક્રૂટીનીની પ્રક્રિયા પૂર્ણ કરી છે. 118 માંથી અંદાજે 113 કોલેજોના અહેવાલો સરકારમાં રજૂ કરી દેવામાં આવ્યા છે, જેના આધારે આગામી ટૂંક સમયમાં સૈદ્ધાંતિક મંજૂરી મળે તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન:રાજુ કરપડાએ કલેક્ટરને આવેદનપત્ર આપી સર્વેની માગ કરી
    Next Article
    પાટણ LCBએ વિદેશી દારૂ ભરેલી કિયા ગાડી ઝડપી:TB ત્રણ રસ્તા પાસેથી 3 આરોપી ઝડપાયા, રૂ. 13.83 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment