Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોટીલામાં 'ચોટીલા ઉત્સવ 2026' યોજાયો:ઝવેરચંદ મેઘાણીને સ્વરાંજલિ સાથે ભક્તિ અને લોક સંસ્કૃતિનો સંગમ

    12 hours ago

    ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત બે દિવસીય 'ચોટીલા ઉત્સવ 2026' પાંચાળની ઐતિહાસિક અને પવિત્ર ધરા પર યોજાયો હતો. જગપ્રસિદ્ધ શક્તિપીઠ મા ચામુંડાના સાનિધ્યમાં યોજાયેલા આ ઉત્સવમાં લોકસાહિત્ય અને ભક્તિ સંગીતનો સંગમ જોવા મળ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો અને કલાપ્રેમી જનતા ઉમટી પડી હતી. આ પ્રસંગે ઉપસ્થિત કલેક્ટર કે.એસ. યાજ્ઞિકે જણાવ્યું હતું કે, ચોટીલા માત્ર શક્તિધામ જ નહીં, પરંતુ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ તરીકે પણ વિશ્વભરમાં વિખ્યાત છે. તાજેતરમાં જ અહીં તેમની યાદમાં સંગ્રહાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકારના રમતગમત અને સાંસ્કૃતિક વિભાગના સહયોગથી 11 મહત્વના યાત્રાધામોમાં બે દિવસીય સાંસ્કૃતિક ઉત્સવોનું આયોજન કરાયું છે. સરકારનો મુખ્ય હેતુ સ્થાનિક લોકકલાઓ અને કલાકારોને મંચ પૂરો પાડી આપણી વિરાસતને જીવંત રાખવાનો છે. કલેક્ટરે વધુમાં જણાવ્યું કે, ઝવેરચંદ મેઘાણીએ આ માટીની સુગંધ વિશ્વભરમાં ફેલાવી છે. તેમની પુણ્યતિથિ નિમિત્તે જન્મભૂમિ પર ‘રંગ મેઘાણી’ કાર્યક્રમ દ્વારા સ્વરાંજલિ અર્પણ કરવી એ જિલ્લા માટે ગૌરવની ક્ષણ છે. જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. તેમણે જણાવ્યું કે, રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ કલાના સંવર્ધન માટે હંમેશા પ્રયત્નશીલ છે. તેમણે ‘રંગ મેઘાણી’ ફોક ફ્યુઝન મ્યુઝિક શો જેવી નવીન પ્રસ્તુતિઓની વિશેષતા સમજાવતા કહ્યું કે, આધુનિક શૈલી થકી મેઘાણીજીના જીવન-કવન અને સાહિત્યને નવી પેઢી સુધી પહોંચાડી શકાય છે, જે આપણા ભવ્ય વારસા, દુહા-છંદ અને લોકસાહિત્યના ગૌરવશાળી ઇતિહાસ સાથે તેમને જોડે છે. ઉત્સવના બીજા દિવસે સિદ્દી ધમાલ અને ખ્યાતનામ કલાકારો મયુરભાઈ દવે તથા નારાયણભાઈ ઠાકરના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. કલાકારોએ મા ચામુંડા અને મા મોગલની સ્તુતિ સાથે વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું. મુખ્ય આકર્ષણ તરીકે અમદાવાદના રક્ષા પ્રોડક્શન દ્વારા પ્રસ્તુત ‘રંગ મેઘાણી ફોક ફ્યુઝન મ્યુઝિક શો’ રજૂ કરાયો હતો. આધુનિક શૈલીમાં રજૂ થયેલી મેઘાણીજીની અમર રચનાઓ અને સોરઠાની પ્રસ્તુતિએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ ઉપરાંત, રાજકોટના સ્પંદન ગ્રુપ દ્વારા લાવણી નૃત્ય સાથે ગણેશ વંદના, થાનગઢના પાંચાળ રાસ મંડળ દ્વારા પ્રખ્યાત હુડો રાસ, તેમજ ભાવનગરના પ્રાચીન ગરબા અને ડાંગના પાવરી નૃત્યની પ્રસ્તુતિએ સાંસ્કૃતિક વિવિધતાના દર્શન કરાવ્યા હતા. આ તકે સહભાગી તમામ કલાકારોને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ભવ્ય સાંસ્કૃતિક સંધ્યામાં ચોટીલા મંદિરના મહંત લાલબાપુ, અવિનાશબાપુ, નિરંજન બાપુ, અગ્રણી સુરેશભાઈ ધરજીયા, પ્રદીપભાઈ ખાચર, તેમજ ચોટીલા અને થાનગઢના મામલતદાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંત યુવા વિકાસ અધિકારી મમતા પંડિત અને પ્રકાશસિંહ ગોહિલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ,કર્મચારીઓ અને વિશાળ સંખ્યામાં ભક્તજનોએ ઉપસ્થિત રહી કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સુરત ફેમિલી કોર્ટમાં મહિલા પર એસિડ એટેક:પતિ-પત્ની છૂટાછેડાના કેસ માટે જિલ્લા સેવા સદનમાં આવ્યા હતાં
    Next Article
    વીજબિલ વસૂલાત માટે મેગા ડિસકનેક્શન ડ્રાઈવ:MGVCL દ્વારા માર્ચ અંત સુધીમાં બાકી પડતા બિલ વસૂલવા માટે ખાસ ડ્રાઈવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment