Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નરવણે બોલ્યા-2020માં ચીન સાથેની મડાગાંઠમાં સરકારે એકલા છોડ્યા નહોતા:રાહુલનો દાવો હતો- વડાપ્રધાને પૂર્વ આર્મી ચીફને કહ્યું હતું, જે યોગ્ય લાગે તે કરો

    12 hours ago

    ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ એમ.એમ. નરવણેએ મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે 2020માં ચીન સાથે થયેલી મડાગાંઠમાં સરકારે તેમને એકલા છોડ્યા ન હતા. સરકાર સંપૂર્ણપણે સમર્થનમાં હતી અને પૂરો અધિકાર આપ્યો હતો કે પરિસ્થિતિ બગડે તો ચીનના સૈનિકોને ગોળીઓ મારી શકે. 4 ફેબ્રુઆરીએ રાહુલ 'ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની' પુસ્તકની કોપી લઈને સંસદ પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે જો આજે પીએમ આવશે તો તેમને આ પુસ્તક આપીશ. રાહુલે પુસ્તકનું તે પાનું ખોલીને બતાવ્યું, જેમાં લખ્યું છે કે વડાપ્રધાને આર્મી ચીફને કહ્યું હતું- 'જે યોગ્ય લાગે તે કરો.' રાહુલે એમ પણ કહ્યું હતું કે, 'સરકાર અને રક્ષા મંત્રી કહી રહ્યા છે કે પુસ્તકનું અસ્તિત્વ નથી. જુઓ આ રહ્યું પુસ્તક.' નરવણેના આ અપ્રકાશિત પુસ્તકમાં ચીન સાથે ભારતીય સેનાની 2020ની અથડામણોની સાથે-સાથે અગ્નિવીર યોજનાની સમીક્ષા કરવામાં આવી છે. હવે ભૂતપૂર્વ સેના પ્રમુખનું નવું પુસ્તક 'ધ ક્યુરિયસ એન્ડ ધ ક્લાસિફાઇડ: અનઅર્થિંગ મિલિટરી મિથ્સ એન્ડ મિસ્ટ્રીઝ' આવવાનું છે. 9 ફેબ્રુઆરીએ પેંગ્વિને કહ્યું હતું કે- નરવણેનું પુસ્તક પ્રકાશિત થયું નથી પૂર્વ આર્મી ચીફના અપ્રકાશિત પુસ્તક પર 9 ફેબ્રુઆરીના રોજ પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયાએ કહ્યું હતું કે પુસ્તક હજુ સુધી પ્રકાશિત થયું નથી. તેનો કોઈ ભાગ સાર્વજનિક કરવામાં આવ્યો નથી. કંપનીએ કહ્યું કે પબ્લિશિંગના તમામ અધિકારો અમારી પાસે છે. અત્યાર સુધી પુસ્તકની ન તો કોઈ છપાયેલી કોપી કે ન તો કોઈ ડિજિટલ કોપી સામે આવી છે. 3 ફેબ્રુઆરી રાહુલ બોલ્યા- કંપની અથવા આર્મી ચીફ જૂઠું બોલી રહ્યા છે રાહુલ ગાંધીએ મંગળવારે 3 ફેબ્રુઆરીના રોજ લોકસભાની બહાર કહ્યું હતું કે- નરવણેએ X પર પોસ્ટ કર્યું, ‘હેલો મિત્રો, મારું પુસ્તક હવે ઉપલબ્ધ છે. લિંક ફોલો કરો. હેપ્પી રીડિંગ’. કાં તો એમએમ નરવણે જૂઠું બોલી રહ્યા છે, અથવા પેંગ્વિન જૂઠું બોલી રહ્યું છે. મેં આર્મી ચીફ પર વિશ્વાસ કરવાનું પસંદ કર્યું. સંસદમાંથી સામે આવેલા મુદ્દા પર દિલ્હી પોલીસે FIR નોંધી. ડિજિટલ અને અન્ય ફોર્મેટમાં હસ્તપ્રત (મેન્યુસ્ક્રિપ્ટ) ના ગેરકાયદેસર સર્ક્યુલેશનની તપાસ શરૂ કરી. નરવણેના અપ્રકાશિત પુસ્તકમાં એવું શું છે, જેના પર વિવાદ થયો જનરલ એમએમ નરવણે 2019 થી 2022 સુધી સેના પ્રમુખ રહ્યા. તેમની આત્મકથા ‘ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની’ માં તેમના સૈન્ય કારકિર્દીની સાથે-સાથે 2020ના ભારત-ચીન લદ્દાખ સરહદ વિવાદ, ગલવાન ઘાટીની ઘટનાઓ, અગ્નિપથ યોજના અને વ્યૂહાત્મક નિર્ણયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે 31 ઓગસ્ટ 2020ના રોજ પેંગોંગ ત્સોના દક્ષિણ કિનારે કૈલાશ રેન્જમાં થયેલા વિકાસ વિશે તેમનો અહેવાલ અને ભારતીય સેનાએ ચીની ઉશ્કેરણીનો જવાબ કેવી રીતે આપવો જોઈએ, તેના પર સરકારે તાત્કાલિક કોઈ રાજકીય નિર્દેશ આપ્યો ન હતો. આ જ વિવાદનું કારણ છે. આ પુસ્તક જાન્યુઆરી 2024માં પ્રકાશિત થવાનું હતું. ન્યૂઝ એજન્સી PTIએ ડિસેમ્બર 2023માં તેનો એક ભાગ છાપ્યો. અગ્નિવીર યોજના પર PTIના ભાગે વિવાદ ઊભો કર્યો અને સંરક્ષણ મંત્રાલયે નરવણે અને પ્રકાશકને લખ્યું કે પુસ્તક પ્રકાશિત કરતા પહેલા મંજૂરી માટે સેનાને સબમિટ કરવામાં આવે. સેનાએ પુસ્તકને વિગતવાર વાંચ્યું, તેમાં સમાવિષ્ટ વિષયો પર પોતાના અવલોકનો નોંધ્યા. અંતિમ નિર્ણય લેવા માટે તેને સંરક્ષણ મંત્રાલયને મોકલી દેવામાં આવ્યું. સંરક્ષણ મંત્રાલયે હજુ સુધી પૂર્વ ચીફના પુસ્તકને પોતાની મંજૂરી આપી નથી. તેમજ, નરવણેએ X પર એ પણ પોસ્ટ કર્યું કે તેમનું પુસ્તક હવે ઉપલબ્ધ છે. તેમણે એમેઝોન પરથી એક પ્રી-ઓર્ડર લિંક પણ શેર કરી હતી. 2020 થી 2024 ની વચ્ચે સંરક્ષણ મંત્રાલયે 35 પુસ્તકોને મંજૂરી આપી. નરવણેનું પુસ્તક હાલમાં પેન્ડિંગ કેસોમાં સામેલ હોવાનું કહેવાય છે. ----------------------------- આ સમાચાર પણ વાંચો… નરવણેના અપ્રકાશિત પુસ્તકના સર્ક્યુલેશન પર FIR: રાહુલ તેની કોપી લઈને સંસદ પહોંચ્યા હતા, દાવો કર્યો - ચીને લદ્દાખમાં ઘૂસણખોરી કરી હતી ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ એમએમ નરવણેના અપ્રકાશિત પુસ્તક ‘ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની (Four Stars of Destiny)’ ના સર્ક્યુલેશનને લઈને દિલ્હી પોલીસે સોમવારે FIR નોંધી છે.
    Click here to Read More
    Previous Article
    403માંથી 256 બેઠકો પર ભાજપ પહેલી પસંદ:સપાને 135 બેઠકો; NDAના સાથી પક્ષોને સૌથી વધુ નુકસાન
    Next Article
    અમદાવાદમાં BJPના મનોજ તિવારીની રેલી, રાજકોટમાં AAPના મનીષ સિસોદિયા મેદાને:અમદાવાદમાં ભાજપનો ખેસ ફેંકી મત નહીં આપવા લોકોનો નિર્ણય, પ્રચારની છેલ્લી ઘડીએ મતદારોને રિઝવવા જંગ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment