Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અનોખી ભક્તિ:શિવલિંગ પર પ્રતિકાત્મક દૂધ અર્પણ કરી બાદમાં 2000થી વધુ જરૂરિયાતમંદોને દૂધપાક પૂરીના ભોજનિયાં પીરસ્યા

    1 day ago

    અનાદિકાળથી શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથના શિવલિંગ ઉપર દૂધનો માત્ર પ્રતીક અભિષેક કરવાથી પણ સદાય શિવની કૃપા રહેતી હોવાની ધાર્મિક પરંપરા મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે જાળવી રાખી છે અને બચેલા દૂધમાંથી ભૂખ્યાજનોનો જઠરાગ્નિ ઠારવાનો અનોખો ચીલો ચાતર્યો છે. તાજેતરમાં જ ગ્રુપના સભ્યોએ આધ્યાત્મિકતાને સિદ્ધ કરવા સામાજિક, સેવાકીય, શૈક્ષણિક અને સર્વધર્મ સમભાવ થકી દેશભાવના કાયમ આંખડિત રાખનાર યંગ ઇન્ડિયા ગ્રુપે શહેરના શ્રમજીવી અને પછાત વિસ્તારોમાં વસતા 2000થી વધુ ભૂલકાંઓ, વડીલો અને જરૂરિયાતમંદ લોકોને દૂધપાક તથા પૌષ્ટિક પૂરી-શાકનો મહાપ્રસાદ જમાડીને જીવ રાજી તો શિવ આપોઆપ રાજીનો ભાવપૂર્ણ સંદેશ જનજન સુધી પહોંચાડ્યો છે. શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓ શિવલિંગ પર દૂધનો અભિષેક કરી ભોળાનાથની આરાધના કરતા હોવાની શ્રદ્ધાની ભાવનાને માનવસેવા સાથે જોડીને યંગ ઇન્ડિયા ગ્રુપે દૂધપાક અને ભોજન જરૂરિયાતમંદો સુધી પહોંચાડીને તેમની જઠરાગ્નિ ઠારી હતી. ગ્રુપના સંસ્થાપક દેવેન રબારીએ જણાવ્યું હતું કે શિવપુરાણ અને શાસ્ત્રોમાં ભગવાન શિવના અભિષેકનું મહત્વ દર્શાવ્યું છે. શ્રાવણના સોમવારે ભક્તો દૂધ અર્પણ કરીને ભોળાનાથને રીઝવવાની ભાવના ધરાવે છે. પરંતુ સનાતન સંસ્કૃતિએ સાથે સાથે જીવ માત્ર પર દયા’ અને ‘નર સેવા એ જ નારાયણ સેવાનો પણ સંદેશ આપ્યો છે. શિવને દૂધ અર્પણ કરવાની પરંપરા છે, પરંતુ એ જ દૂધમાંથી બનેલું પૌષ્ટિક ભોજન જ્યારે કોઈ ભૂખ્યા બાળક, વડીલ કે જરૂરિયાતમંદના પેટમાં જાય છે અને તેમની ભૂખ શમે છે. ત્યારે એ જીવનો અંતર આત્મા સ્વંય બોલી ઉઠે છે કે, "ભગવાન તારું ભલું કરશે’ અને ખરેખર દિલથી નીકળેલી આ દુઆ સાચી ઠરે છે. 18 વર્ષથી ચાલી રહ્યું છે જરૂરિયાતમંદોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનું સેવાકાર્ય યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા છેલ્લા 18 વર્ષથી શ્રાવણ માસના દરેક સોમવારે આ પ્રકારનું ક્રાંતિકારી સેવાકાર્ય કરવામાં આવી રહ્યું છે. દર શ્રાવણના સોમવારે શિવને પ્રતીકાત્મક દૂધ ચડાવી બાકીના દૂધનો પૌષ્ટિક આહાર બનાવીને ગરીબોની જઠરાગ્નિ ઠારવામાં આવે છે. લોકોની શ્રધ્ધા જળવાઈ રહે એ માટે પહેલા ભક્તો શિવને પ્રસાદી જેટલું દૂધ ચડાવી બાકીનું બધું દૂધ એકઠું કરીને ભૂખ્યા ગરીબ બાળકો સહિતના લોકોના પેટમાં અર્પણ કરે જેથી એમના પર શિવની કૃપા આપોઆપ વરસતી રહેશે.
    Click here to Read More
    Previous Article
    આઝમ ખાનની જૌહર યુનિવર્સિટી પર EDના દરોડા:સહારનપુર-દિલ્હી સહિત 10 જગ્યાઓ પર દરોડા, ટીમ દસ્તાવેજો ચકાસી રહી છે
    Next Article
    ભાવનગરમાં ડુપ્લિકેટ દારૂ પીવાથી વધુ બેના મોત, મૃત્યુઆંક 3:તપાસ SMCને સોંપાઈ, નકલી રોયલ સ્ટેગ વેચનારા 4 બુટલેગર ડિટેઈન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment