Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં બજરંગ દળનો ત્રિશુલ દીક્ષા સમારોહ યોજાયો:200થી વધુ યુવાનો જોડાયા, શહેરમાં પથસંચલન કરાયું

    7 hours ago

    વેરાવળ શહેરમાં બજરંગ દળ દ્વારા નવા સ્વયંસેવકો માટે 'ત્રિશુલ દીક્ષા' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સરસ્વતી વિદ્યાલયના હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં 200થી વધુ યુવાનોએ દીક્ષા ગ્રહણ કરી હતી. આ કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના સહયોગથી યોજાયો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને હિન્દુ સંસ્કૃતિ, એકતા અને રાષ્ટ્રપ્રેમ માટે પ્રેરિત કરી સંગઠન સાથે જોડવાનો હતો. કાર્યક્રમમાં યુવાનોને ત્રિશુલ પ્રદાન કરવામાં આવ્યા અને તેમને સમાજ સેવા તથા ધાર્મિક મૂલ્યોના સંરક્ષણ માટે પ્રતિબદ્ધ રહેવાની શપથ લેવડાવવામાં આવી. કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ રામજી પરમાર, મંત્રી નીલુપ શાહ, સહમંત્રી પિયુષ ભટ્ટ, બજરંગ દળના જિલ્લા સંયોજક ધવલ કાટેલિયા, સહ સંયોજક દીપ ભટ્ટ, નગર સંયોજક પિયુષ આગિયા અને વિપુલ આહીર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નારાયણગીરી બાપુ અને પુનિતગીરી મહારાજે ધાર્મિક અને સામાજિક મુદ્દાઓ પર પ્રાસંગિક ઉદ્દબોધન આપ્યા હતા. તેમણે યુવાનોને સંસ્કૃતિની જાળવણી અને સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર શિસ્તબદ્ધ પથસંચલન યોજાયું હતું. આ દરમિયાન દેશભક્તિ અને ધાર્મિક સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ વેરાવળ શહેરમાં યુવાનોમાં સંગઠન પ્રત્યેની જાગૃતિ અને સક્રિયતા દર્શાવતો રહ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    Breaking News : बंगाल में मतगणना पर शुभेंदु अधिकारी का बड़ा दावा I Bengal Election 2026 I BJP I TMC
    Next Article
    Varun Chakaravarthy has his revenge as KKR breezily end SRH’s winning run

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment