Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    20 સેકન્ડ અને 5 ચાલ, થલપતિ વિજયને આપી મ્હાત:તમિલનાડુના CM હારતા જ તાળી પાડવા લાગ્યા, નોર્વેમાં ચેસ ચેમ્પિયન બનતા ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનંદાને 50 લાખનું ઇનામ

    1 week ago

    તમિલનાડુના મુખ્યમંત્રી થલપતિ વિજયે સોમવારે નોર્વે ચેસ ચેમ્પિયનશિપ જીતીને દેશનું નામ રોશન કરનાર ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનંદા અને તેમના પરિવાર સાથે મુલાકાત કરી. આ દરમિયાન વિજયે પ્રજ્ઞાનંદા સાથે ચેસ પણ રમ્યા. પરંતુ પ્રજ્ઞાનંદા સામે વિજય લાંબો સમય ટકી શક્યા નહીં. પ્રજ્ઞાનંદાએ માત્ર 20 સેકન્ડમાં પાંચ ચાલમાં જ સીએમ વિજયને હરાવી દીધા. વિજયે હાર્યા પછી પ્રજ્ઞાનંદા માટે તાળીઓ પણ પાડી અને પછી હાથ પણ મિલાવ્યા. જુઓ તસવીરો… પ્રજ્ઞાનંદાને સન્માનિત કરીને 50 લાખ રૂપિયા આપ્યા જણાવી દઈએ કે સીએમ વિજયે નોર્વે ચેસ ચેમ્પિયનશિપ પ્રજ્ઞાનંદા અને તેમના પરિવારને પોતાની ઓફિસે બોલાવ્યા હતા. તેમણે પ્રજ્ઞાનંદા અને તેમના પરિવારને સન્માનિત કર્યા. આ દરમિયાન સીએમ વિજયે પ્રજ્ઞાનંદાને 50 લાખ રૂપિયાનું ઇનામ પણ આપ્યું. નોર્વે ચેસ ચેમ્પિયનશિપ જીતવા બદલ સરકાર તરફથી તેમને આ ઇનામ આપવામાં આવ્યું. તમિલનાડુ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ઓથોરિટી તરફથી આ ઇનામ આપવામાં આવ્યું. દર વર્ષે 30 લાખ રૂપિયાની મદદ મળી રહી છે જણાવી દઈએ કે તમિલનાડુ સરકાર હાલમાં તમિલનાડુને ભારતનું મુખ્ય સ્પોર્ટ્સ હબ બનાવવા માટે ઘણા પગલાં લઈ રહી છે. આ અંતર્ગત ખેલાડીઓને સારી તાલીમ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે સહાયતા અને મેડલ જીતવા પર આર્થિક પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ સાથે, સમગ્ર રાજ્યમાં રમતગમતનું માળખું પણ મજબૂત કરવામાં આવી રહ્યું છે. આ જ યોજના હેઠળ પ્રજ્ઞાનંદને પહેલાથી જ SDATની એલીટ સ્કીમ હેઠળ વાર્ષિક 30 લાખ રૂપિયાની મદદ મળી રહી છે. કયા ખેલાડીઓ માટે છે આ યોજના આ યોજના ખાસ કરીને એવા ખેલાડીઓ માટે છે જેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કરી રહ્યા છે. મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્ય સરકાર રમતોને સામાજિક પરિવર્તનનું એક મહત્વપૂર્ણ માધ્યમ માને છે. સરકારનો ઉદ્દેશ્ય યુવાનોને સાચી દિશા આપવી, સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવું અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો છે. આ સાથે રમતોમાં નિષ્પક્ષતા અને નૈતિક મૂલ્યોને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ વિઝનને આગળ વધારવા માટે ચેન્નઈના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં 'હોમ ઓફ ચેસ' એકેડમીની શરૂઆત કરવામાં આવી છે. આ એકેડમીમાં ખેલાડીઓને આધુનિક તાલીમ, મેન્ટલ કન્ડિશનિંગ, વ્યૂહાત્મક તૈયારી અને આંતરરાષ્ટ્રીય સ્તરનો અનુભવ આપવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    હવે દિલ્હીમાં પણ મમતાની પાર્ટીમાં ભંગાણ:TMCના 20 લોકસભા સાંસદ NDAને સમર્થન કરશે, સ્પીકરને પત્ર લખ્યો; રાજ્યસભા સાંસદ સુખેન્દુનું રાજીનામું
    Next Article
    રાજ્યભરના વાલીઓને મોંઘવારીનો વધુ એક માર:સ્કૂલ વાનમાં ₹200 અને રિક્ષાના ભાડામાં ₹100નો વધારો, અમદાવાદમાં સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠકમાં નિર્ણય

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment