Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રીક્ષા પલ્ટી જતા દિયર સાથે જતી ભાભીનું મોત:રાજસમઢીયાળા ગામમાં 20 વર્ષની યુવતીનો ઝેરી દવા પી આપઘાત, એક મહિના પૂર્વે જ સગાઈ થઈ હતી

    4 days ago

    ઋત્વિ ગિરધરભાઈ દેત્રોજા (ઉ.વ.20) પોતાના ઘરે રહીને જ પડધરીના એક યુવાન સાથે ભાગીદારીમાં ઇમિટેશન જ્વેલરીનું કામ કરતી હતી. રાત્રિના સમયે તે પોતાના ઘરના ઉપરના માળે આવેલા રૂમમાં કામ કરતી હતી ત્યારે કોઈ અગમ્ય કારણોસર તેણે ઝેરી દવા પી લેતા તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જો કે ટૂંકી સારવાર બાદ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. મૃતક ઋત્વિની એક મહિના પહેલા જ સગાઈ થઈ હતી. ઘરમાં લગ્ન અને નવા જીવનની તૈયારીઓ વચ્ચે દીકરીએ આપઘાત કરી લેતા પરિવારજનોમાં ભારે શોકની લાગણી છવાઈ જવા પામી હતી. બનાવ અંગે હોસ્પિટલ ચોકી દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા યુવતીએ કયા કારણોસર આપઘાત કર્યો તે જાણવા માટે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પડધરીના જીલરીયા ગામે રીક્ષા પલ્ટી જતા દિયર સાથે જતી ભાભીનું મોત રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના મોવૈયા ગામે રહેતા ટીનાભાઈ ભાણજીભાઈ સોલંકીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈકાલે તેમનો નાનો ભાઈ મનાભાઈ ઉર્ફે મુન્નાભાઈ ભાણજીભાઈ સોલંકી અને મારા પત્ની રેખાબેન છકડો રીક્ષામાં પ્લાસ્ટિકનો ભંગાર લઈ પરત આવી રહ્યા હતા ત્યારે જીલરીયા ગામ નજીક વળાંકમાં છકડો રીક્ષા પલટી મારી જતા, રેખાબેનને માથામાં અને શરીરમાં ગંભીર ઈજા થતાં 108 મારફત પડઘરી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જયા તપાસી તબીબે તેને મૃત જાહેર કરી પડધરી પોલીસને જાણ કરતા પોલીસે રેખાબેનના મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પાણીની મોટર પ્લાસ્ટિકથી ઢાંકવા ગયેલો શ્રમિક દશેક ફૂટની ઊંચાઈએથી ભરડીયામાં ખાબક્યો રાજકોટના બામણબોર પાસે આવેલા 'જયસ્ટોન ક્રશર' (ભરડિયા)માં મજુરી કામ કરતા આરીફભાઈ અરસાદભાઈ મંડલ (ઉં.વ.34) ગંભીર રીતે ઘાયલ થયા છે. મૂળ કોલકાતાના વતની આરીફભાઈ પ્લાન્ટ પર હાજર હતા ત્યારે અચાનક વરસાદ શરૂ થયો હતો જેના કારણે ઇલેક્ટ્રિક મોટર પલળી ન જાય તે હેતુથી તેના પર પ્લાસ્ટિક ઢાંકવા માટે તેઓ આશરે 10 ફૂટની ઊંચાઈએ ચડ્યા હતા દરમિયાન પ્લાસ્ટિક ઢાંકતી વખતે અચાનક પગ લપસતા તેઓ સીધા નીચે પટકાયા હતા. 10 ફૂટની ઊંચાઈએથી નીચે પડતા તેમને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. વૃધ્ધાએ ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો રાજકોટ નજીક આણંદપર ગામે રહેતા અમીતાબેન વાલજીભાઈ જાદવ (ઉં.વ.60)એ ગઈકાલે સાંજે 7 વાગ્યે પોતાના ઘરે ફિનાઈલ પી લીધું હતું બાદમાં તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન અમીતાબેનને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હોવાનું સામે આવ્યું છે અને આત્મહત્યાના પ્રયાસ પાછળ પારિવારિક વિવાદ જવાબદાર હોવાનું સામે આવ્યું છે જેમાં અમીતાબેનનો પુત્ર જીતેન્દ્ર પોતાની જ સગી માસી મંજુબેન મનુભાઈ રાઠોડની દીકરી પૂજાને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી ગયો હોવાથી પરિવારમાં તણાવ ઊભો થયો હતો. પુત્ર જીતેન્દ્ર માસીની દીકરીને લઈને ભાગી જતાં, સામા પક્ષ તરફથી અને સંબંધીઓ તરફથી અમીતાબેનને સતત મેણા-ટોણા અને ધમકીઓ આપવામાં આવતી હતી જેનાથી કંટાળી માનસિક રીતે ભાંગી પડેલા અમીતાબેને અંતે આ પગલું ભરી લીધું હતું. હાલ સિવિલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલુ છે અને કુવાડવા પોલીસે નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કૌટુંબિક કંકાસમાં યુવકે ફીનાઇલ ગટગટાવ્યુ રાજકોટ શહેરના કોઠારીયા સોલવન્ટ, હુસેની ચોક પાસે આવેલા નારાયણ નગરમાં રહેતા અહેમદભાઈ ઉંમરભાઈ સોરા (ઉ.વ.36) નામના યુવકે સાંજના 7 વાગ્યા આસપાસ પોતાના ઘરે અગમ્ય કારણોસર ફિનાઈલ પી લીધું હતું જેના કારણે તેની તબિયત લથડતા પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અહેમદભાઈ ડ્રાઈવિંગ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે તેમને સંતાનમાં એક પુત્ર અને બે દીકરીઓ છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં લાંબા સમયથી ચાલી રહેલા ગૃહકલેશથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. સંતકબીર રોડ પર છકડાની ટક્કરથી ઓટો રિક્ષા પલ્‍ટી ખાઇ જતા પ્રૌઢનું મોત મોરબી રોડ પર ગાંધી વસાહતમાં રહેતાં હનીફભાઇ જમાલભાઇ કારવા (ઉ.વ.52) નામના પ્રૌઢ ગત તા.9.3.2026ના સવારે 8 વાગ્‍યે રિક્ષામાં બેસીને જતાં હતાં ત્‍યારે સંતકબીર રોડ પર ધરાર શાકમાર્કેટ નજીક રિક્ષા પહોંચી ત્‍યારે છકડાની ટક્કર લાગતાં રિક્ષા પલ્‍ટી જતાં ગંભીર ઇજા પહોંચી હતી જેથી તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્‍યા હતાં જ્યાં સારવાર દરમિયાન આજે મોત નીપજ્યું હતું. મૃત્‍યુ પામનાર હનીફભાઇ બે બહેન અને ત્રણ ભાઇમાં મોટા હતાં અને તેમને સંતાનમાં એક દિકરી હોવાનું સામે આવ્યું છે. આવતીકાલે રમઝાન ઇદ છે ત્‍યારે જ પરિવારના મોભીના મોતથી પરિવારમાં માતમ છવાઇ જવા પામ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સોમનાથ વિકાસ માટે ઐતિહાસિક શરૂઆત:30 વર્ષના વિઝન સાથે શહેરી વિકાસ સત્તામંડળની પ્રથમ બેઠક
    Next Article
    આણંદમાં કારીગર કાર્નિવલનો પ્રારંભ:નેશનલ સ્કિલ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment