Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિવિલ હોસ્પિટલનું તંત્ર ક્યારે સુધરશે ?:રાજકોટમાં રૂ. 20 કરોડની દવાની ખરીદીનાં વિવાદ બાદ માંડ ટેન્ડરો ખોલવાનું શરૂ, વિગતો મીડિયાથી છુપાવવા અધિકારીઓની એકબીજાને ખો, ગેરરીતીની આશંકા

    11 hours ago

    સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા લાંબા સમયથી ચર્ચિત બારોબાર દવા ખરીદીના વિવાદ બાદ માંડ તંત્ર હરકતમાં આવ્યું છે. હોસ્પિટલ પ્રશાસન દ્વારા દવાઓ અને અન્ય તબીબી સામગ્રી માટે બહાર પાડવામાં આવેલા ટેન્ડરો પૈકી હાલમાં લેબોરેટરી વિભાગના ટેન્ડરો ખોલવામાં આવ્યા હતા. જેમાં અંદાજે રૂ. 2 કરોડની કિંમતનાં ટેન્ડરમાં 52 જેટલી એજન્સીએ રસ દાખવ્યો હતો, જેમાંથી પ્રથમ તબક્કે લેબોરેટરીની જરૂરિયાતો માટે કેટલીક એજન્સીઓને કામ સોંપવામાં આવ્યું હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. જોકે આ બાબતની વિગતો મીડિયાથી છુપાવવા માટે અધિકારીઓ એકબીજાને ખો આપે છે. જેને લઈ ટેન્ડર પ્રક્રિયામાં પણ કાંઈક ગેરરીતિ થતી હોવાની આશંકા જાગી છે. પ્રાપ્ત વિગત મુજબ સિવિલ હોસ્પિટલમાં અગાઉ રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં આરોગ્ય કમિશનરની હાજરીમાં જ દવાઓની સીધી ખરીદી અંગે મોટો વિવાદ સર્જાયો હતો. આશરે રૂ. 20 કરોડની દવાની ખરીદીમાં ગેરરીતિની આશંકા વ્યક્ત થતા તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. વિવાદ બાદ સિવિલ હોસ્પિટલને જરૂરી એવી દવાઓ, ઇન્જેક્શન અને લેબોરેટરી કીટ જેવી વસ્તુઓ માટે પારદર્શક રીતે ખાસ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય લેવાયો હતો. કુલ રૂ. 2 કરોડની અંદાજિત કિંમતના આ ટેન્ડર ઘણા સમયથી પેન્ડિંગ હતા. મહાપાલિકાની ચૂંટણીને કારણે અમલી બનેલી આચારસંહિતાના અવરોધને લીધે ટેન્ડરો ખોલવાની કામગીરી અટકી પડી હતી. હવે જ્યારે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને પરિણામો પણ જાહેર થઈ ચૂક્યા છે, ત્યારે હોસ્પિટલ સત્તાધીશો દ્વારા તબક્કાવાર ટેન્ડરો ખોલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ હાલના તબક્કે હોસ્પિટલની લેબોરેટરીમાં અતિ આવશ્યક એવી ટેસ્ટિંગ કીટ અને અન્ય સામગ્રીના ટેન્ડરોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં આશરે 7 થી 8 પાર્ટીઓને લેબોરેટરી સંબંધિત કામગીરી સોંપવામાં આવી છે. અને આગામી દિવસોમાં અન્ય વિભાગો જેવા કે ઓપરેશન થિયેટર, જનરલ વોર્ડ અને સાથે જ ઇમરજન્સી સેવાઓ માટે જરૂરી દવાઓ તથા અન્ય સાધન-સામગ્રીના ટેન્ડરો પણ ક્રમશઃ ખોલવામાં આવશે. જોકે આ મામલે દિવ્યભાસ્કર દ્વારા સિવિલ અધિક્ષક સહિતના અધિકારીઓની પાસે વિગત લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેઓ આ વિગત છુપાવવા માટે કોશિશ કરતા હોય તેવું જણાયુ હતું. સૌપ્રથમ મીડિયા કો-ઓર્ડિનેટર કમલ ડોડીયાનો સંપર્ક કરતા તેણે ફોનમાં વાત કરવાના બદલે મેસેજ કરવા જણાવ્યું હતું. તેમજ આજે થયેલી આ પ્રક્રિયાની વિગત પોતાની પાસે નહીં હોવાનું જણાવી આવતીકાલે સંપર્ક કરવા કહ્યું હતું. તો સિવિલ અધિક્ષક ડો. મોનાલી માંકડીયાનો ફોન પ્રથમ વ્યસ્ત આવ્યા બાદ તેમણે ફોન ઉપાડવાનું ટાળ્યું હતું. આમ જવાબદાર અધિકારીઓ ટેન્ડર મામલે કંઈપણ બોલવા તૈયાર ન થતા આ પ્રક્રિયામાં પણ ગેરરીતિ થતી હોવાની આશંકા છે. ઉલ્લેખનીય છે કે લાંબા સમય બાદ શરૂ થયેલી આ નવી ટેન્ડર પ્રક્રિયાને કારણે આગામી સમયમાં હોસ્પિટલમાં દવાઓની અછત દૂર થશે અને દર્દીઓને બહારથી મોંઘા ભાવે દવાઓ ખરીદવી નહીં પડે તેવી આશા સેવાઈ રહી છે. તેમજ તંત્રની સક્રિયતાને પગલે ભવિષ્યમાં બારોબાર ખરીદીના વિવાદો પર પણ લગામ લાગશે તેમ માનવામાં આવે છે. જોકે જે રીતે અધિકારીઓ આ ટેન્ડર પ્રક્રિયાની વિગતો આપવાથી ભાગી રહ્યા છે ત્યારે પ્રક્રિયામાં કેટલી પારદર્શિતા જળવાય છે તે આવનારો સમય જ બતાવશે.
    Click here to Read More
    Previous Article
    સુરત સિવિલમાં ભાસ્કરના અહેવાલની અસર:PM રૂમમાં હાઈટેક મોર્ટ્યુરી કેબિન ઈન્સ્ટોલ, 6 મહિના સુધી મૃતદેહ સુરક્ષિત રહેશે, 30 દિવસથી કોલ્ડ સ્ટોરેજ કેબિનની સુવિધા ખોરવાઈ હતી
    Next Article
    Gujarat WFH 2.0 LIVE | શું ગુજરાતમાં થશે વર્ક ફ્રોમની અમલવારી? સરકારે કર્યો ઈશારો | Govt | N18L

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment