Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:કચ્છમાં 20 એપ્રિલથી વસ્તી ગણતરીની થશે શરૂઆત

    17 hours ago

    દેશમાં વર્ષ 2011 બાદ હવે 2026માં ફરીથી વસ્તી ગણતરીની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. કચ્છ જિલ્લામાં આગામી ૨૦ એપ્રિલથી વસ્તી ગણતરીનો પ્રારંભ થવાની પ્રબળ સંભાવના છે. વર્ષ 2021માં કોરોના મહામારીના કારણે આ પ્રક્રિયા મોકૂફ રાખવી પડી હતી, પરંતુ હવે સંપૂર્ણપણે ‘ડિજિટલ’ સ્વરૂપે આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. કચ્છ જિલ્લામાં આ મહાઅભિયાનને સફળ બનાવવા માટે અંદાજે 4 હજારથી વધુ અધિકારીઓ અને કર્મચારીઓની ફોજ જોડાશે. નિયમોનુસાર, અંદાજે 700 થી 800 લોકોની વસ્તી દીઠ એક ગણતરીદારની નિમણૂક કરવામાં આવશે. આ તમામ કર્મચારીઓ ખાસ તૈયાર કરવામાં આવેલી મોબાઈલ એપ દ્વારા ઘરે-ઘરે જઈને રિયલ ટાઈમ ડેટા એકત્ર કરશે. આ ડેટા સીધો સેન્ટ્રલ સર્વર પર અપલોડ થશે, જેનાથી ડેટાની ચોકસાઈ અને ઝડપ વધશે. વર્ષ 2011માં કચ્છ જિલ્લામાં 20.93 લાખ લોકોની વસ્તી હતી. આ વખતે કચ્છ જિલ્લાની વસ્તી 27 લાખની આસપાસ પહોંચી શકે છે. આ પ્રથમ વખત હશે જ્યારે વસ્તી ગણતરીની સંપૂર્ણ પ્રક્રિયા કાગળને બદલે ડિજિટલ માધ્યમથી થવાની છે. વહીવટી તંત્ર દ્વારા આ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને કર્મચારીઓને તાલીમ આપવાની પ્રક્રિયા પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. જિલ્લાના છેવાડાના ગામડાઓથી લઈને શહેરી વિસ્તારો સુધી દરેક નાગરિકની માહિતી આંકડાકીય રીતે નોંધવામાં આવશે. આ બાબતે કલેકટર આનંદ પટેલે જણાવ્યું હતું કે સંભવિત 20 એપ્રિલથી વસ્તી ગણતરીનો પ્રથમ તબ્બકો શરૂ થશે,જે 19 મે સુધી ચાલશે. વસ્તી ગણતરી માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાસ્કર નોલેજ આ 33 પ્રશ્નો પૂછવામાં આવશે આગામી જનગણનામાં દરેક પરિવારને ૩૩ પ્રશ્નો પૂછવામાં આવશે. તેમાં પરિવારના સભ્યોની સંખ્યા, ઉમર, લિંગ, વૈવાહિક સ્થિતિ, શિક્ષણ, વ્યવસાય, જન્મસ્થાન, સ્થળાંતર, માતા-પિતાની વિગતો, દિવ્યાંગતા અથવા સામાજિક વર્ગ જેવી માહિતી સામેલ રહેશે. ઘરના પ્રકાર, પાણી, શૌચાલય, વીજળી, રસોઈ ઇંધણ અને ઈન્ટરનેટ જેવી સુવિધાઓ વિશે પણ પ્રશ્નો પૂછાશે. પહેલીવાર લોકોને સ્વયંમ ગણતરીનો વિકલ્પ મળશે ડિજિટલ જનગણનામાં નાગરિકોને સ્વ—ગણતરીનો વિકલ્પ પણ આપવામાં આવશે. નક્કી કરેલા સમયગાળા દરમિયાન આધિકારિક જનગણના પોર્ટલ પર મોબાઈલ નંબર અથવા આધાર આધારિત OTP દ્વારા લોગિન કરી પરિવારની માહિતી પોતે ભરવી શકશે. આ માહિતીમાં પરિવારના સભ્યોની સંખ્યા, ઉમર, લિંગ, શિક્ષણ, વ્યવસાય, આવાસ અને સુવિધાઓ જેવી વિગતો સામેલ રહેશે. સફળ સબમિશન પછી રજિસ્ટ્રેશન નંબર મળશે, જેને ભવિષ્ય માટે સુરક્ષિત રાખવું પડશે. બે તબક્કામાં થશે ગણતરી, માર્ચ 2027 સુધી ચાલશે કામગીરી
    Click here to Read More
    Previous Article
    બેરોજગારીનો અરીસો:: ભુજમાં 112 જનરક્ષકના ડ્રાઈવરની ભરતીમાં ઉમેદવારો ઉમટતા વ્યવસ્થા ખોરવાઇ
    Next Article
    Gujarat Breaking News Live | Gujarat Unseasonal Rain | Sthanik Swaraj Election 2026 |News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment