Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાણંદ કન્યા છાત્રાલયમાંથી સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં ઐતિહાસિક ચુકાદો:બે આરોપીઓને 20 વર્ષની સખત કેદ, ફરાર આરોપી સામે ધરપકડ વોરંટ

    1 day ago

    અમદાવાદ જિલ્લાના સાણંદ વિસ્તારમાં આવેલી કન્યા છાત્રાલયમાંથી સગીર બાળાનું અપહરણ કરી તેના પર ગુજારવામાં આવેલા ભયંકર દુષ્કર્મના કેસમાં અદાલતે સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. અમદાવાદ ગ્રામ્ય સ્પેશિયલ પોક્સો (POCSO) કોર્ટના જજ બી.એસ. મહેતાએ આ ગુનાને અત્યંત ગંભીર ગણાવી મુખ્ય આરોપીઓ સાહીલકુમાર લક્ષ્મણભાઇ મકવાણા અને સુલતાન ઉર્ફે મનોજકુમાર હારૂનને કસૂરવાર ઠરાવીને 20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. આ કેસમાં ટ્રાયલ દરમિયાન આરોપી સુલતાન ફરાર થઈ ગયો હોવાથી કોર્ટે તેની સામે ધરપકડ વોરંટ જારી કરી અલગથી કાર્યવાહી કરવા આદેશ કર્યો છે. કાકા તરીકે ખોટી ઓળખ આપી 14 વર્ષની બાળાનું અપહરણ કર્યું હતું કેસની વિગત અનુસાર, 1 માર્ચ 2024ના રોજ આરોપી સાહીલકુમાર મકવાણા અને સુલતાન ઉર્ફે મનોજકુમાર હારૂન સાણંદ નળ સરોવર રોડ પર આવેલી ‘ભગિની કન્યા છાત્રાલય’ ખાતે પહોંચ્યા હતા. ત્યાં તેમણે હોસ્ટેલ પ્રશાસન સમક્ષ પોતાને 14 વર્ષીય સગીરાના કાકા તરીકે ઓળખાવી ખોટી ઓળખ આપી હતી. ત્યારબાદ આ બંને નરાધમો બાળાનું અપહરણ કરી રિક્ષામાં બેસાડી અલગ-અલગ સ્થળોએ લઈ ગયા હતા, જ્યાં તેના પર અમાનુષી દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. દીકરી ગુમ થતાં પરિવારજનોએ શોધખોળ બાદ સાણંદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે તપાસ કરી બંનેને ઝડપી પાડી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. સમાજમાં કાયદાનો ભય રહે તે માટે મહત્તમ સજાની માંગ કરાઈ અદાલતમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલ ભરતસિંહ સી. રાઠોડે પૂરતા સાક્ષીઓ અને મજબૂત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરીને ધારદાર દલીલો કરી હતી. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે, "આ સામાજિક રીતે અત્યંત ગંભીર પ્રકારનો ગુનો છે. ભોગ બનનાર માસૂમ સગીર હોવાનું મેડિકલ અને શૈક્ષણિક રેકોર્ડ પર નિર્વિવાદ સાબિત થાય છે. ભોગ બનનારે નરાધમોને કોર્ટમાં ઓળખી બતાવ્યા છે. સમાજમાં જ્યારે આવા વિકૃત કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે ગુનેગારોમાં કાયદાનો કડક ભય રહે તે હેતુથી ન્યાયના હિતમાં મહત્તમમાં મહત્તમ સજા થવી અનિવાર્ય છે." 16 વર્ષથી નાની ઉંમરના કેસમાં કડક વલણ જરૂરી નામદાર કોર્ટે સરકારી વકીલની દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખતા ચુકાદામાં સ્પષ્ટ નોંધ્યું હતું કે, જ્યારે ભોગ બનનાર સગીરાની ઉંમર 16 વર્ષથી નાની હોય ત્યારે કાયદામાં 20 વર્ષથી ઓછી નહીં તેટલી સજા કરવાની સ્પષ્ટ જોગવાઈ છે. આ સમગ્ર કેસ પ્રિઝમ્પશન અને પુરાવાઓના આધારે નિઃશંકપણે પુરવાર થાય છે, જેથી આરોપીઓને કડક સજા કરવી સર્વથા ન્યાયોચિત છે. કોર્ટે બંનેને 20 વર્ષની જેલની સજા ફટકારી સાહીલકુમારને જેલ ભેગો કર્યો છે, જ્યારે જામીન મુક્ત થયા બાદ ટ્રાયલ દરમિયાન પલાયન થઈ ગયેલા સુલતાન સામે કોર્ટે કડક વલણ અપનાવી તાત્કાલિક ધરપકડ કરવા માટે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવાનો પોલીસને હુકમ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    Jordan vs Argentina, FIFA World Cup 2026 Live Score: JOR 0-2 ARG in 1st half; Lautaro Martinez doubles Argentina’s lead
    Next Article
    Trump Warns Iran "Won't Exist" After Strikes, Gets "Experience Hell" Reply

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment