Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ધુરંધર 2'માં આતીફ અહેમદના પાત્રને લઈને વિવાદ:ISI કનેક્શન બતાવવા પર ડિરેક્ટર આદિત્ય ધર ઘેરાયા, રાજકીય નેતાઓએ ફિલ્મને નફરત ફેલાવનારી ગણાવી

    5 days ago

    ફિલ્મ 'ધુરંધર 2' હાલમાં સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. એક તરફ ફિલ્મની પ્રશંસા થઈ રહી છે, તો બીજી તરફ એક નવો વિવાદ ઝડપથી ઉભરી રહ્યો છે. આ વિવાદનું મૂળ તે કથિત અતીક અહેમદથી પ્રેરિત પાત્ર છે, જેને ફિલ્મમાં આતીફ અહેમદના નામથી દર્શાવવામાં આવ્યું છે. આના પર રાજકીય પક્ષો, સામાજિક જૂથો અને દર્શકો વચ્ચે તીવ્ર ચર્ચા છંછેડાઈ ગઈ છે. આ દરમિયાન ટીકા, સમર્થન અને સોશિયલ મીડિયા પ્રતિક્રિયાઓએ ફિલ્મને મનોરંજનથી આગળ એક રાજકીય ચર્ચામાં બદલી દીધી છે. 'ધુરંધર 2' પર ખોટા અને સંવેદનશીલ મુદ્દાને ભડકાવવાનો આરોપ ફિલ્મની રિલીઝ પછી ઘણા સમાચાર ચેનલો અને રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો કે, આતીફ અહેમદનું પાત્ર ઉત્તર પ્રદેશના કુખ્યાત ગેંગસ્ટર-રાજકારણી અતીક અહેમદથી પ્રેરિત લાગે છે અને કથિત રીતે ગુપ્તચર એજન્સી સંબંધિત કનેક્શનોનો પણ સંદર્ભ આપે છે, જેના કારણે વિવાદે રાજકીય રંગ લીધો છે. ઘણા નેતાઓએ ફિલ્મમાં દર્શાવવામાં આવેલા ISI-કનેક્શનવાળા તત્વોને ખોટા અને સંવેદનશીલ મુદ્દાઓને ભડકાવનારા ગણાવ્યા છે. સમાજવાદી પાર્ટીના નેતા એસ.ટી. હસને ફિલ્મ પર સમાજમાં તણાવ ફેલાવવા અને નફરત પેદા કરવાનો આરોપ લગાવ્યો છે, સાથે જ કહ્યું છે કે, 'આવી ફિલ્મોથી દર્શકોમાં ખોટો સંદેશ જઈ શકે છે.' બિનસત્તાધારી પાર્ટીઓએ ફિલ્મને પ્રોપગેન્ડા ગણાવી બીજી તરફ, સપા ધારાસભ્ય અબુ આઝમીએ ફિલ્મને પાકિસ્તાની ફિલ્મ કહી દીધી. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે, 'ભારતમાં આ વિષય શા માટે ઉઠાવવામાં આવ્યો.' તેમના આ નિવેદને વિવાદને વધુ ભડકાવ્યો. વિરોધ પક્ષોએ આ ફિલ્મને રાજકીય પ્રચાર (પ્રોપગેન્ડા) સુદ્ધા કહી દીધો છે. 'NDTV'ના અહેવાલ મુજબ કોંગ્રેસ અને AIMIMના નેતાઓએ આરોપ લગાવ્યો કે, ફિલ્મનું કથાનક હાલના રાજકીય જૂથોને ફાયદો પહોંચાડતું હોય તેવું લાગે છે, અને તે રાજકીય માહોલને પ્રભાવિત કરવા માંગે છે. જેનાથી જનતા અને સરકાર વચ્ચે ભ્રમ ફેલાઈ શકે છે. જ્યારે કેટલાક સમર્થક નેતાઓનું માનવું છે કે, ફિલ્મમાં બતાવેલો ભાગ વાસ્તવિકતાનો એક પરિપ્રેક્ષ્ય છે અને તેને મનોરંજન અને સિનેમાની રચના તરીકે સમજવો જોઈએ. ઉદાહરણ તરીકે, બિહારના કૃષિ મંત્રી રામ કૃપાલ યાદવે કહ્યું કે, 'સત્ય બતાવવું ખોટું ન હોવું જોઈએ.' તેમનું આ નિવેદન ફિલ્મ મેકર્સને રચનાત્મક સ્વતંત્રતા આપવાની હિમાયત કરે છે. વિવાદ અંગે ડિરેક્ટર આદિત્ય ધરે મૌન સાધ્યું જ્યાં વિવાદ રાજકીય ગલિયારાઓ સુધી પહોંચ્યો છે, ત્યાં જ ફિલ્મના ડિરેક્ટર આદિત્ય ધરે સાર્વજનિક રૂપે આ મુદ્દા પર કોઈ લાંબુ નિવેદન આપ્યું નથી. તેના બદલે, તેણે ફિલ્મની સફળતા અને દર્શકોની પ્રતિક્રિયા માટે આભાર વ્યક્ત કરતા ટ્વિટર/સોશિયલ મીડિયા પર કહ્યું કે, ફિલ્મ પ્રત્યેનો પ્રેમ જોઈને તે આભારી અનુભવી રહ્યો છે અને તેણે પોતાની ટીમ તેમજ કલાકારોનો આભાર પણ માન્યો છે. વિશ્લેષણના સ્તરે એવું સમજવામાં આવી રહ્યું છે કે, આદિત્ય ધર અને ટીમે તેની ફિલ્મને થ્રિલર-સ્પાય શૈલીમાં મૂકી છે, જેમાં કેટલીક વાસ્તવિક ઘટનાઓથી પ્રેરિત તત્વો સામેલ છે, પરંતુ ફિલ્મને કોઈ ચોક્કસ ઐતિહાસિક દસ્તાવેજ તરીકે જોવાને બદલે તેને એક મનોરંજક કથા તરીકે લેવી જોઈએ. સોશિયલ મીડિયા અને દર્શકોની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક દર્શકોનું કહેવું છે કે, ફિલ્મ દર્શકોને મનોરંજન અને થ્રિલ આપે છે અને તેમાં જે રાજકીય મુદ્દાઓ છે તે સિનેમાનો ભાગ છે. જ્યારે કેટલાક દર્શકોએ સીધું કહ્યું છે કે, કેટલાક સંવાદો અથવા કથા પ્રોપગેન્ડા જેવી લાગે છે, ખાસ કરીને જ્યારે એવું વિચારવામાં આવે છે કે, રાજકીય જૂથોને આંતરિક મુદ્દાઓ સાથે જોડીને દર્શાવવામાં આવ્યા છે, જેને તેઓ ખોટું અથવા અતિશયોક્તિપૂર્ણ માને છે. 'ફિલ્મનો રાજકીય સૂર કંઈક વધૂ પડતો સ્પષ્ટ છે' Reddit ચર્ચામાં એક યુઝરે લખ્યું કે, 'ફિલ્મનો રાજકીય સૂર કંઈક વધુ પડતો સ્પષ્ટ છે અને કેટલીક ઘટનાઓને વધારાની રીતે જોડીને દર્શાવવામાં આવી હોય તેવું લાગે છે, જેના કારણે લોકો તેને રાજકીય એજન્ડા તરીકે પણ વાંચી રહ્યા છે.' બીજી તરફ, કેટલીક સોશિયલ મીડિયા ટિપ્પણીઓ કહે છે કે, 'આ બધું માત્ર એક ફિલ્મ છે અને લોકોએ તેને મનોરંજનના દૃષ્ટિકોણથી લેવું જોઈએ, તેને રાજકીય ધરણાં કે પ્રચાર તરીકે ન જોવું જોઈએ.' વિશ્લેષણ: શું સાચું છે અને શું ફિલ્મી દૃષ્ટિ? છેલ્લા કેટલાક દિવસોથી વધતા વિવાદ અને ટીકાઓ વચ્ચે તે સ્પષ્ટ છે કે, ‘ધુરંધર 2’ એ મનોરંજનથી ઉપર રાજકીય પ્રશ્નો ઊભા કર્યા છે. ભલે તે નામ-જોડાણના આધારે હોય, કથાના રાજકીય સંકેતને કારણે, અથવા વાસ્તવિક જીવનથી પ્રેરિત તત્વને વાર્તામાં સામેલ કરવાના સંદર્ભમાં. વિશ્લેષકોનું કહેવું છે કે, ફિલ્મ નિર્માતાઓએ જૂની ઘટનાઓ, ગુપ્તચર તત્વો અને રાજકીય વળાંકોનો ઉપયોગ થ્રિલર તરીકે કર્યો છે, જેવું કે વિશ્વભરની ઘણી જાસૂસી ફિલ્મોમાં થતું આવ્યું છે. તે જરૂરી નથી કે દર વખતે ફિલ્મમાં દર્શાવવામાં આવેલી દરેક વાત વાસ્તવિકતાનું સીધું પ્રતિબિંબ હોય, પરંતુ તે સંયોજન અને સિનેમેટિક ડ્રામાનો ભાગ હોઈ શકે છે. જોકે, વિવાદ ખૂબ ઝડપથી ચાલી રહ્યો છે અને કેટલાક નેતાઓના તીખા નિવેદનોને કારણે તે રાજકીય ચર્ચામાં ફેરવાઈ ગયો છે, પરંતુ ફિલ્મને લઈને દર્શકોની પ્રતિક્રિયા મિશ્રિત છે. કેટલાક તેને મનોરંજન અને રાષ્ટ્રીયતાનું પ્રતિનિધિત્વ માને છે, જ્યારે કેટલાક તેને રાજકીય સંદેશ આપનાર સમજે છે. બંને પ્રવાહો સોશિયલ મીડિયા અને સમાચાર પ્લેટફોર્મ પર સામે આવી રહ્યા છે, જેનાથી આ વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    PM Modi Lok Sabha Speech LIVE : लोकसभा में एशिया पर बोले मोदी | PM Modi on West Asia
    Next Article
    લોકસભામાં PM મોદીએ કહ્યું- પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ હાલમાં ચિંતાજનક:દુનિયાની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ, ભારત સામે અનેક પડકારો; આ દેશોમાંથી 3.75 લાખ ભારતીયો સુરક્ષિત રીતે પરત ફર્યા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment