Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીજીએ સ્થાપેલી રાષ્ટ્રીય શાળામાં 2 સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય:બે આરોપીઓએ 3 મહિના સુધી કુકર્મ આચરી વીડિયો બનાવ્યો, એક આરોપી 'સ્ટોન કિલર કેસ'નો સાક્ષી

    12 hours ago

    રાજકોટના વિદ્યાનગર રોડ પર આવેલી અને મહાત્મા ગાંધીના સત્યાગ્રહ સા્થે જોડાયેલી ઐતિહાસિક રાષ્ટ્રીય શાળાના સંકુલમાં કામ કરતા બે સગીરો સાથે બે શખસોએ સતત ત્રણ મહિના સુધી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. પોલીસે કુકર્મ આચરનારા બે શખસોને ઝડપી પાડ્યા છે. ચોંકાવનારી વાત એ કે, બંને આરોપીઓએ સગીરો સાથે આચરેલા કુકર્મના વીડિયો બનાવ્યા હતા. જે પણ પોલીસને હાથ લાગ્યા છે. બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં એક આરોપી સ્ટોન કિલર કેસનો સાક્ષી હોવાનું સામે આવ્યું છે. છેલ્લા ત્રણ મહિનાથી સગીરોનું શારીરિક શોષણ કરાયું હોવાનો ઘટસ્ફોટ પ્રાપ્ત વિગતો મુજબ, ભોગ બનનાર બંને સગીરો રાષ્ટ્રીય શાળાના પરિસરમાં મજૂરી કામ કરતા હતા. આ દરમિયાન તેઓ સંદીપ વિનોદભાઇ કણસાગરા ઉર્ફે લાલા પટેલ અને જયેશ પ્રાણભાઇ મજેઠિયા નામના શખ્સોના સંપર્કમાં આવ્યા હતા. આરોપીઓએ આ માસૂમ સગીરોને ખાવા-પીવાની લાલચ આપી હતી અને ત્યારબાદ પરિસરમાં આવેલી રૂમમાં લઈ જઈ અવારનવાર સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ છેલ્લા 3 મહિના કરતા વધુ સમયથી સગીરોનું શારીરિક શોષણ કરી રહ્યા હતા. સગીરો સાથે આચરાયેલા કુકર્મનો વીડિયો બનાવ્યો આરોપીઓ માત્ર શોષણ કરીને જ અટક્યા નહીં, પરંતુ તેઓ બંને સગીરોને ડરાવી-ધમકાવીને ચૂપ રાખતા હતા. સગીરોએ પોલીસ સમક્ષ કેફિયત આપી કે આરોપીઓ વારંવાર એવી ધમકી આપતા હતા કે, જો આ વાત કોઈને કહેશો તો જાનથી મારી નાખીશું. આ ડરના છાયામાં સગીરો લાંબા સમય સુધી આ નરક જેવી યાતના સહન કરતા હતા. આ દરમિયાન આરોપીઓએ પોતાના કુકર્મનો વીડિયો પણ બનાવ્યો હતો, જે હવે પોલીસના હાથમાં આવ્યો છે. આ વીડિયો આ કેસમાં સૌથી મહત્વનો ટેકનિકલ પુરાવો સાબિત થશે. જયેશ મેજેઠિયા વર્ષ 2016માં નોંધાયેલા 'સ્ટોન કિલર' કેસનો મુખ્ય સાક્ષી પોલીસે આ ઘટનાની ગંભીરતા જોઈને તુરંત જ સંદીપ કણસાગરા અને જયેશ મજેઠિયાને ઝડપી પાડ્યા છે. આ કેસમાં એક ચોંકાવનારી વિગત એ પણ સામે આવી છે કે આરોપી જયેશ મજેઠિયા વર્ષ 2016માં રાજકોટમાં થયેલા ચકચારી 'સ્ટોન કિલર' કેસનો મુખ્ય સાક્ષી હતો. તે સમયે સ્ટોન કિલરના હુમલામાં જયેશ બચી ગયો હતો અને તેની જુબાનીથી પોલીસને સ્ટોન કિલર સુધી પહોંચવામાં મદદ મળી હતી. જે વ્યક્તિ એક સમયે ગુનાનો ભોગ બનતા બચી હતી, તે આજે પોતે સગીરો સાથે આટલા જઘન્ય ગુનામાં સંડોવાયેલી હોવાનું બહાર આવતા સૌ કોઈ સ્તબ્ધ છે. સમગ્ર મામલે એસીપી બી. વી. જાધવે જણાવ્યું હતું કે, રાજકોટમાં બે સગીરો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાયું હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. સગીરોનું છેલ્લા ત્રણ મહિનાથી શોષણ કરાતું હતું. આ ઘટનાની જાણ થતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી સંદીપ કણસાગરા અને જયેશ મજેઠીયાની ધરપકડ કરી છે. પોલીસે બંને શખ્સો વિરુદ્ધ આઈપીસીની કલમ 351, 54-2 અને પોક્સો સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ શ્રય કરી છે. પોલીસ દ્વારા બંને સગીરોનો મેડિકલ ટેસ્ટ અને ઓસિફિકેશન ટેસ્ટ કરાવવામાં આવ્યો છે, જેમાં તેમની ઉંમર 14 થી 17 વર્ષની હોવાનું પુષ્ટિ થઈ છે. આથી પોલીસે આરોપીઓ વિરુદ્ધ પોક્સો (POCSO) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીજીની વિચારધારા અને પવિત્રતા સાથે જોડાયેલી રાષ્ટ્રીય શાળા કે જ્યાં દેશ-વિદેશના પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે, ત્યાં જ આવું પાશવી કૃત્ય આચરવામાં આવતા સંસ્થાની સુરક્ષા અને વ્યવસ્થા સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. હાલ એ-ડિવિઝન પોલીસે આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. મહાત્મા ગાંધીએ કરાવ્યું હતું રાષ્ટ્રીય શાળાનું નિર્માણ રાજકોટમાં 1921માં પ્રજાભિમુખ વહીવટ માટે પ્રસિધ્ધ સ્વ.રાજવી લાખાજીરાજને ગાંધીજી પ્રત્યેના પ્રેમના કારણે 13 એકર જમીન આપી હતી. જેના પર ખુદ મહાત્મા ગાંધીજીએ સ્વાતંત્ર્ય ચળવળ અને સ્વરાજ સહિતના ઉમદા હેતુ સાથે રાષ્ટ્રીય શાળાનું નિર્માણ કરાવ્યું હતું, આ શાળા અને આ બોર્ડ તો આજે છે પણ તેના મૂળ હેતુ તો દિવો લઈને શોધવા પડે તેમ છે. આ જ સ્થળે ગાંધી વિચાર સાથે કુમારશાળા ધમધમતી અને એક સમયે ત્યાં 4000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા. છેલ્લે 2017માં વિદ્યાર્થીઓ ઘટીને માત્ર 37 થઈ ગયા અને શાળા બંધ કરાવી દીધી હતી. આ સમાચાર પણ વાંચોઃ હું ડિવોર્સી છું, મારો કોન્ટેક્ટ કરી દોઢ વર્ષ સંબંધ બાંધ્યા રાજકોટમાં શિક્ષિકાએ તેના પૂર્વ વિદ્યાર્થી સામે લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યાની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. શિક્ષિકા વર્ષ 2012માં ધો.10ના જે વિદ્યાર્થીને ભણાવી રહી હતી, તે વિદ્યાર્થીએ 12 વર્ષ બાદ તે જ શિક્ષિકાનો સોશિયલ મીડિયામાં કોન્ટેક્ટ કર્યો અને ત્યારબાદ લગ્નની લાલચ આપી દોઢ વર્ષ સુધી અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન યુવક શિક્ષિકાને ચારધામ યાત્રા અને થાઈલેન્ડ પણ ફરવા લઈ ગયો હતો. આ ઉપરાંત યુવકે રોકડ અને સોના-ચાંદીના દાગીના સહિત 6 લાખ રૂપિયા શિક્ષિકા પાસેથી લીધા હતા. જોકે, બાદમાં યુવકે અન્ય યુવતી સાથે સગાઈ કરી લીધાનો ભાંડો ફૂટતા શિક્ષિકાએ લગ્ન કરવા કહ્યું હતું. પરંતુ યુવકે રૂપિયા પાછા આપવા અને લગ્નની ના પાડતા શિક્ષિકાએ ફરિયાદ નોંધાવી હતી. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    પ્રવાસીઓ માટે રેલવેનો ગુજરાતમાં પ્રથમ પ્રયોગ:સાસણગીરમાં 360 ડિગ્રી ફરતી ખુરસીઓ સાથે મીટરગેજ ‘જંગલ સફારી ટ્રેન’ દોડાવશે, બિકાનેરમાં ‘વિસ્ટાડોમ’ની મોડિફાઈંગ કામગીરી
    Next Article
    Dwarka Road Incident | ખંભાળિયા–દ્વારકા હાઇવે રોડ પર અકસ્માત | Khambhadiya | Bus | Passenger | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment