Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડલીમાં સિકોતરમાતા ત્રિમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ:હાથી-ઘોડા સાથે શોભાયાત્રા, શતચંડી યજ્ઞ; 2 એપ્રિલે મૂર્તિ પ્રતિષ્ઠા

    6 days ago

    પાટણ જિલ્લાના વડલી ગામે આવેલા સિકોતર માતા ત્રિમંદિર ધામ સંકુલમાં નવીન મંદિરના જીર્ણોદ્ધાર અને મૂર્તિઓના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો છે. સંવત 2082 ના ચૈત્ર સુદ તેરસથી પૂર્ણિમા સુધી ચાલનારા આ ત્રણ દિવસીય મહોત્સવમાં શતચંડી મહાયજ્ઞ અને મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા મુખ્ય આકર્ષણ રહેશે. આ ત્રિ-દિવસીય મહોત્સવના પ્રથમ દિવસે, 31 માર્ચ, 2026 ના રોજ સવારે 7:30 કલાકે કમલેશભાઈ પ્રજાપતિના નિવાસસ્થાનેથી ભવ્ય કળશયાત્રા અને શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં સિકોતર માતાજીને હાથી પર બિરાજમાન કરાયા હતા. બે રથ, હાથી અને વાજતે-ગાજતે નીકળેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો, ગ્રામજનો અને દીકરીઓ માથે કળશ લઈ જોડાયા હતા. ઉપસ્થિત સાધુ-સંતોનું સાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસની રાત્રે 8:30 કલાકે લોકડાયરાનું આયોજન કરાયું છે, જેમાં કલાકાર અનુપસિંહ વાઘેલા અને બળવંતભાઈ ચૌધરી પોતાની પ્રસ્તુતિ આપશે. આ સમગ્ર આયોજન વીરચંદભાઈ વસ્તારામ પ્રજાપતિ પરિવાર અને સમસ્ત ભક્તગણ દ્વારા કરવામાં આવ્યું છે. મહોત્સવના બીજા દિવસે, 1 એપ્રિલ, 2026 ના રોજ યજ્ઞશાળામાં પ્રાતઃ પૂજન, પ્રાસાદ વાસ્તુ અને હોમ કર્મ સહિતની વિવિધ ધાર્મિક વિધિઓ સંપન્ન થશે. આ દરમિયાન હોમાત્મક કુંડી શતચંડી મહાયજ્ઞનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જે શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બનશે. મહોત્સવના અંતિમ અને મુખ્ય દિવસે, 2 એપ્રિલ, 2026 ના રોજ બપોરે 12:39 કલાકે મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા વિધિ શાસ્ત્રોક્ત પદ્ધતિથી કરવામાં આવશે. આ ખાસ પ્રસંગે મંદિર પર હેલિકોપ્ટર મારફતે પુષ્પવર્ષા કરવાનું આયોજન કરાયું છે. ત્યારબાદ બપોરે 3:30 કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ અને સાંજે 4:00 કલાકે મહાઆરતી યોજાશે. મહોત્સવની પૂર્ણાહુતિના ભાગરૂપે રાત્રે 8:30 કલાકે માનસી કુમાવતના રાસગરબા અને રાત્રે 9:00 કલાકે 501 દીવાની ભવ્ય મહાઆરતીના દર્શનનું આયોજન કરાયું છે. આ ત્રણ દિવસ દરમિયાન ભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ ત્રિમંદિર સંકુલમાં ગૌશાળા પણ કાર્યરત છે અને હાલમાં હજારોની સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ ગુફામાં પેઇન્ટિંગ એક્સિબિશન ‘Borrowed Earth’નો પ્રારંભ:ફિલ્મમેકર તન્મય શાહે કહ્યું- મારો પ્રયાસ માલિકીની માનસિકતા છોડી જવાબદારીની દૃષ્ટિ કેળવવાનો છે
    Next Article
    ખાડી પૂરની આફત રોકવા સુરત મનપાનો એક્શન પ્લાન:ઇતિહાસમાં પ્રથમવાર પોકલેન મશીન ખાડીમાં ઉતારી સફાઈ કરાશે, દરેક વોર્ડમાં એક પોકલેન મશીન ફળવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment