Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શોષણખોર સરકારને ગોપાલ ઇટાલિયાએ ખુલ્લી પાડી:ગુજરાતમાં ફિક્સ પેના કેસમાં સુપ્રીમ કોર્ટમાં સરકાર તરફે લડતા વકીલોને પ્રતિ મુદતના 2 લાખ ફી ચૂકવાઈ, 14 વર્ષથી કેસ ચાલુ

    8 hours ago

    ચાલુ વિધાનસભા સત્રમાં આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા એક મહત્વનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, ગુજરાત સરકારની 5 વર્ષ ફિક્સ પગાર નીતિને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરાઈ છે, ત્યારે સરકાર પોતાની પક્ષે રાખેલા વકીલોને કેટલી ફી આપી રહી છે. વકીલોને પ્રતિ મુદતના 2 લાખ ફી ચૂકવાઈ જેના જવાબમાં જાણવા મળ્યું હતું કે, એપ્રિલ, 2012થી ગુજરાત સરકારની ફિક્સ પે નીતિને પડકારતી અરજી ઉપર સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી છે. જેમાં સરકાર પક્ષે અત્યાર સુધી કુલ 9 જેટલા વકીલો રોકવામાં આવ્યા છે. જેમાં એડવોકેટ મહેશ અગ્રવાલને 2 લાખ રૂપિયા જેટલી ફી, હરીશ સાલ્વેની ફી નિયત કરવામાં આવી નથી, મુકુલ રોહતગીને કોન્ફરન્સ અને અપીયરન્સ પેટે 2 લાખ રૂપિયા ફી, કે વિશ્વનાથનની ફિ નિયત કરવામાં નથી આવી, તુષાર મહેતાને દિવસના 2 લાખ રૂપિયા ફી ચુકવવામાં આવી હતી. મહેશ અગ્રવાલને ત્રણ લાખ રૂપિયા ફી ચૂકવવાની બાકી કે.કે વેણુગોપાલને કોન્ફરન્સ અને અપીયરન્સના 5 લાખ તેમજ તેના ક્લાર્કને 50 હજાર રૂપિયા ફી ચૂકવવામાં આવતી હતી. નીરજ કિશન કૌલની ફી નિયત કરવામાં આવી નહોતી, જ્યારે મનીષા શાહને દિવસના 2 લાખ રૂપિયા ફી ચુકવવામાં આવી હતી. ઉપરોક્ત વકીલો પૈકી મહેશ અગ્રવાલને ત્રણ લાખ રૂપિયા ફી ચૂકવવાની બાકી છે અને મનીષા શાહને 1.75 લાખ રૂપિયા ફી ચુકવવાની બાકી છે. જ્યારે તમામ વકીલોને ફી ચૂકવાઈ ગઈ છે. સરકાર કર્મચારીઓના વિરોધની અવગણી વકીલોને લાખોની ફી ચૂકવે છે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વર્ગ-3ની જગ્યા ઉપર સ્પર્ધાત્મક પરીક્ષા આપીને પસંદગી પામતા ઉમેદવારોને પહેલા 5 વર્ષ માટે ફિક્સ પગાર આપવામાં આવે છે. જે 19,600 થી લઈને 40,600 હજાર જેટલો હોય છે. ફિક્સ પેના લાખો કર્મચારીઓ તેનો વિરોધ કરી રહ્યા છે, પરંતુ સરકાર તે વિરોધની અવગણીને વકીલોને દિવસની લાખો રૂપિયા ફી આપીને સુપ્રીમમાં કેસ લડી રહી છે. ઉપરોક્ત વકીલો પૈકી તુષાર મહેતા વર્તમાન સોલિસિટર જનરલ છે, કમલ ત્રીવેદી એડવોકેટ જનરલ છે, જ્યારે મનીષા શાહ એડિશનલ એડવોકેટ જનરલ છે.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ઈઝરાયલે કહ્યું- ઈરાની સિક્યુરિટી ચીફ માર્યા ગયા; બાળક દત્તક લેવા પર માતાને 12 અઠવાડિયાની રજા, ગીર સોમનાથમાં ‘સફેદ ઝેર’નું કારખાનું પકડાયું
    Next Article
    Zerodha's Nithin Kamath Criticises 'Invasive' Permissions In Banking Apps, Says He 'Doesn't Use' Them

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment