Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોથા માળની બાલ્કની ધરાશાયી થતા અફરાતફરી:બરાનપુરા વિસ્તારમાં ચોથા માળેની બાલ્કની ધરાશાયી થતાં ત્રણ લોકોનું ફાયરે રેસ્ક્યુ કરી બચાવ્યા, વરસાદ દરમિયાન 19 વૃક્ષ ધરાશાયી થયા

    1 week ago

    વડોદરા શહેરમાં ગત રાતથી પડી રહેલા અંદાજે સાત ઇંચ જેટલા ભારે વરસાદ વચ્ચે બરાનપુરા વિસ્તારમાં એક મોટો અકસ્માત સર્જાતા રહીશોમાં અફરાતફરી મચી ગઈ હતી. અહીં આવેલી ચાર માળની એક જર્જરિત ઇમારતના ચોથા માળની બાલ્કની અચાનક તૂટી પડી હતી. ધડાકાભેર બાલ્કની ધરાશાયી થતાં આસપાસના લોકો ભયના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડનું ત્વરિત રેસ્ક્યુ ઓપરેશન ઘટનાની જાણ થતાં જ ગાજરાવાડી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરોએ ઇમારતની સ્થિતિનું નિરીક્ષણ કરીને ચોથા માળે ફસાયેલા ત્રણ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. સમયસર હાથ ધરાયેલા રેસ્ક્યુ ઓપરેશનના કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની કે ઇજા નોંધાઈ નથી. આ અંગે સૈનિક ચિરાગસિંહ પરમારે માહિતી આપતા જણાવ્યું હતું કે, "ઘટનાની જાણ થતાં જ અમારી ટીમ સ્થળ પર દોડી આવી હતી. અહીં બિલ્ડિંગની બાલ્કની તૂટેલી હાલતમાં હતી. અંદર ફસાયેલા ત્રણ લોકોને સલામત રીતે બહાર કાઢી બિલ્ડિંગનું વીજ કનેક્શન કાપી દેવાયું છે તેમજ આગળની કાર્યવાહી માટે નિર્ભયતા શાખાને જાણ કરવામાં આવી છે." જર્જરિત મકાનો અને તંત્રની કામગીરી સામે સવાલો વડોદરામાં સતત વરસી રહેલા અતિભારે વરસાદના કારણે શહેરમાં ભારે હોનારત સર્જાઈ છે. શહેરમાં અત્યાર સુધીમાં અંદાજે 19 જેટલા વૃક્ષો ધરાશાયી થયા છે. શહેરના બે અલગ-અલગ વિસ્તારોમાં મકાનની બાલ્કની અને દીવાલ ધરાશાયી થવાના બનાવો સામે આવ્યા છે. ચોમાસાની શરૂઆતમાં જ જર્જરિત મકાનો તૂટી પડવાની ઘટનાઓ સામે આવતાં, પાલિકા તંત્ર દ્વારા આવી જોખમી ઇમારતો સામે લેવાતા પગલાં પર ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. તંત્ર દ્વારા હાલ ઇમારતની સલામતી અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પેરા પાવરલિફ્ટિંગમાં ભારતને મેડલ ન મળ્યો:અશોક ચોથા, પરમજીત છઠ્ઠા સ્થાને રહ્યા; કોમનવેલ્થ ગેમ્સના પેરા સ્વિમિંગમાં 2 ભારતીય ફાઈનલમાં
    Next Article
    રાજકોટમાં આપઘાતના બે બનાવ:બીમારીથી કંટાળી વૃધ્ધાએ ઝેરી દવા પી અને ગૃહક્લેશથી કંટાળી આધેડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment