Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાહોદ નગરપાલિકા પ્રમુખ પદની ચૂંટણી 19 મેના રોજ યોજાશે:જીલ્લા ચૂંટણી અધિકારીએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું; પદ માટે અંકિતા ભાભોર અને મીનાક્ષી નિનામાનું નામ મોખરે

    11 hours ago

    દાહોદ નગરપાલિકાના પ્રમુખ પદની ચૂંટણી માટે 19 મે, 2026ની તારીખ જાહેર કરવામાં આવી છે. અનુસૂચિત આદિજાતિ (એસટી) મહિલા માટે અનામત આ બેઠક પર ભાજપના અંકિતા ભાભોર અને મીનાક્ષી નિનામાના નામ મોખરે છે. તાજેતરની ચૂંટણીમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે આ અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે. 26 એપ્રિલે યોજાયેલી ચૂંટણી અને 28 એપ્રિલે થયેલી મતગણતરી બાદ ભાજપે 36માંથી 20 બેઠકો જીતીને સત્તા હાંસલ કરી છે. પ્રથમ ટર્મ માટે પ્રમુખનો હોદ્દો એસટી મહિલા માટે અનામત હોવાથી, ભાજપમાંથી આ વર્ગની વિજેતા મહિલાઓમાંથી પસંદગી કરવામાં આવશે. પાલિકામાં ભાજપના વિજેતા ઉમેદવારોમાં અનુસૂચિત આદિજાતિ વર્ગની માત્ર બે જ મહિલાઓનો સમાવેશ થાય છે. આથી, પ્રમુખ પદ માટેની સ્પર્ધા સીમિત બની છે. વોર્ડ નંબર 2ના વિજેતા ઉમેદવાર અંકિતા ભાભોર અને વોર્ડ નંબર 3ના વિજેતા ઉમેદવાર મીનાક્ષી નિનામાના નામો હાલમાં સૌથી વધુ ચર્ચામાં છે. પક્ષમાં બહુમતી હોવાથી આ બંનેમાંથી કોઈ એકનું પ્રમુખ બનવું નિશ્ચિત મનાય છે. ચૂંટણી પ્રક્રિયા મુજબ, 19 મેના રોજ સવારે 11:00 કલાકે નગરપાલિકાના સભાખંડમાં પ્રથમ સભા યોજાશે. આ બેઠક પ્રાંત અધિકારી મિલિંદ દવેના અધ્યક્ષ સ્થાને મળશે, જેમાં પ્રમુખની વરણી માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ભાજપ પાસે 20 બેઠકોનું મજબૂત સંખ્યાબળ હોવાથી પ્રમુખ પદ મેળવવું તેમના માટે સરળ છે. જ્યારે કોંગ્રેસ પાસે 14 અને અપક્ષો પાસે 2 બેઠકો છે. અનામત બેઠકની મર્યાદાને કારણે વિપક્ષી છાવણીની રણનીતિ પર પણ સૌની નજર રહેશે. નગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીને લગતી તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ચીફ ઓફિસરને તમામ સદસ્યોને સમયસર નોટિસ પાઠવવા અને તામીલીની વ્યવસ્થા કરવા આદેશ અપાયા છે. ભાજપ મોવડીમંડળ દ્વારા કયા ચહેરા પર મહોર મારવામાં આવે છે, તે જોવું દાહોદના સ્થાનિક રાજકારણ માટે મહત્વનું રહેશે.
    Click here to Read More
    Previous Article
    પ્રજાને મોંઘવારીનો વધુ એક ડામ:અમૂલે દૂધના ભાવમાં લિટરે 2 રૂપિયા વધાર્યા, આવતીકાલથી લાગુ
    Next Article
    રાજપીપલા નાગરિક બેંક દ્વારા ATM સેવા શરૂ:ગ્રાહકોને ઝડપી અને સુવિધાસભર બેંકિંગનો લાભ મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment