Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંબાજીમાં ચૈત્રી નવરાત્રિ 19 માર્ચથી:ટ્રસ્ટ દ્વારા ઘટ સ્થાપન અને દર્શનનો નવો સમય જાહેર

    14 hours ago

    યાત્રાધામ અંબાજીમાં 19 માર્ચ, 2026 થી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થશે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નવરાત્રિ દરમિયાન માતાજીની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરતું નવું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. આ ઉજવણી ચૈત્ર સુદ એકમથી શરૂ થઈ ચૈત્ર સુદ આઠમ સુધી ચાલશે. ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે, એટલે કે 19 માર્ચના રોજ સવારે 07:30 કલાકે શાસ્ત્રોક્ત વિધિ મુજબ ઘટ સ્થાપન કરવામાં આવશે. નવરાત્રિના આઠ દિવસ દરમિયાન, દરરોજ સવારે 07:00 થી 07:30 કલાકે આરતી થશે અને ત્યારબાદ સવારે 07:30 થી 11:30 કલાક સુધી દર્શન ખુલ્લા રહેશે. બપોરે 12:00 કલાકે માતાજીને રાજભોગ ધરાવવામાં આવશે. રાજભોગ બાદ બપોરે 12:30 થી 04:30 કલાક સુધી ભક્તો દર્શન કરી શકશે. સાંજના સમયે આરતી 07:00 થી 07:30 કલાકે યોજાશે, અને ત્યારબાદ સાંજે 07:30 થી 09:00 કલાક સુધી દર્શન ચાલુ રહેશે. ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે કે, ચૈત્ર સુદ આઠમ (તા. 26 માર્ચ, 2026) અને ચૈત્ર સુદ પૂનમ (તા. 02 એપ્રિલ, 2026) ના ખાસ દિવસોએ સવારની આરતી 06:00 કલાકે યોજાશે. 27 માર્ચ, 2026 થી અંબાજી મંદિરમાં દર્શન અને આરતીનો સમય રાબેતા મુજબ થઈ જશે. ટ્રસ્ટે જાહેર જનતા અને માઈભક્તોને આ નવા સમયપત્રકની નોંધ લેવા વિનંતી કરી છે.
    Click here to Read More
    Previous Article
    ‘ગુજરાતી હિન્દુ ચરમપંથી, મોદી-શાહ-CM પટેલ’:વિધાનસભા-અમદાવાદની સ્કૂલોને ખાલિસ્તાન નામે બોમ્બથી ઉડાવાની ધમકી, સંઘવીએ કહ્યું-ઇ-મેલ-ફીમેલથી ગુજરાત પોલીસ-જનતા ડરતી નથી
    Next Article
    પોરબંદરમાં ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ, કાયદો-વ્યવસ્થા મજબૂત કરવા સૂચના:તહેવારોની તૈયારીઓ, શ્રેષ્ઠ કામગીરી બદલ પોલીસકર્મીઓનું સન્માન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment