Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 19 માર્ચે જામનગરની મુલાકાતે:કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે, તડામાર તૈયારીઓ શરૂ

    9 hours ago

    ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 19 માર્ચે જામનગરની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ કરોડો રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રીના કાર્યક્રમની શરૂઆત સવારે 8:30 કલાકે હાપા માર્કેટિંગ યાર્ડથી થશે. અહીં તેઓ ખેડૂત ભોજનાલય અને ખેડૂત આરામ ગૃહનું લોકાર્પણ કરશે. ત્યારબાદ સવારે 11:00 કલાકે જામનગરના મ્યુનિસિપલ ટાઉન હોલમાં એક કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે જામનગર શહેરના આશરે 190 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત, જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પંચાયત હસ્તકના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત પણ કરાશે. આ પ્રસંગે મુખ્યમંત્રી સાથે જિલ્લા પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયા, સાંસદ પૂનમબેન માડમ, રાજ્યમંત્રી રિવાબા જાડેજા, ધારાસભ્યો રાઘવજી પટેલ, મેઘજી ચાવડા અને દિવ્યેશ અકબરી ઉપસ્થિત રહેશે. શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી અને જિલ્લા ભાજપ અધ્યક્ષ ડો. વિનોદ ભંડેરી પણ હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અગાઉ જામનગરના નવા ફ્લાયઓવર બ્રિજનું પણ લોકાર્પણ કર્યું હતું. આ આગામી કાર્યક્રમને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    16 વર્ષીય સગીરાને હાઈકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી:દુષ્કર્મ પીડિતાને 16 સપ્તાહનો ગર્ભ, પેનલમાં સિનિયર ડોક્ટરો હશે
    Next Article
    US Minors Sue Musk's X AI, Alleging Grok Generated Their Sexual Images

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment