Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહારાષ્ટ્રમાં બર્ડફ્લૂની એન્ટ્રીથી ગાંધીનગર હાઈએલર્ટ મોડ પર:ગુજરાત સરકારનું પશુપાલન વિભાગ સફાળું જાગ્યું , ચારેય તાલુકા માં 18 ટીમો દ્વારા સઘન સર્વેલન્સ કરાશે

    9 hours ago

    મહારાષ્ટ્રના પુના જિલ્લાના બારામતીમાં પેરાગ્રીન ફાલ્કન પક્ષીઓમાં બર્ડફ્લૂની પુષ્ટિ થતાની સાથે જ ગુજરાત સરકારનું પશુપાલન વિભાગ સફાળું જાગ્યું છે. મહારાષ્ટ્રમાં આ વાયરસને કારણે પક્ષીઓના મોતના અહેવાલો બાદ ગાંધીનગર જિલ્લામાં સંક્રમણ અટકાવવા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે 18 ટીમોને એક્ટિવ કરી સઘન સર્વેલન્સ કરવા સૂચના આપી દેવાઈ છે. તંત્ર દ્વારા આગોતરા સાવચેતીના પગલાં લેવાનું શરૂ મહારાષ્ટ્રના પુના જિલ્લાના બારામતી વિસ્તારમાં પેરાગ્રીન ફાલ્કન પક્ષીમાં બર્ડફ્લૂ વાયરસ જોવા મળ્યો છે અને ત્યાં પક્ષીઓના મરણ પણ નોંધાયા છે. આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરા સાવચેતીના પગલાં લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જિલ્લા વિકાસ અધિકારી બી.જે. પટેલે સ્થિતિની ગંભીરતા પારખીને જિલ્લા પશુપાલન અધિકારીને તાત્કાલિક સુરક્ષાત્મક પગલાં લેવા આદેશ આપ્યા છે. જેના પગલે જિલ્લા પશુપાલન અધિકારી ડૉ. એસ.આઈ. પટેલે તમામ પશુચિકિત્સા અધિકારીઓને રોગચાળો અટકાવવા માટેના પ્રોટોકોલ સાથે સત્તાવાર આદેશો આપી દેવાયા છે. જિલ્લામાં બર્ડફ્લૂનો ખતરો રોકવા માટે જિલ્લાના 4 તાલુકાઓમાં પશુચિકિત્સા અધિકારીઓની કુલ 18 ટીમો કાર્યરત કરવામાં આવી છે. દરેક જગ્યાએ સતત અને સઘન મોનીટરીંગ રાખવા ખાસ આદેશ આ ટીમોને ગામડે-ગામડે જઈને સર્વે કરવાની અને પોલ્ટ્રી ફાર્મની સમયાંતરે મુલાકાત લેવાની કડક સૂચના અપાઈ છે. ખાસ કરીને પોલ્ટ્રી ફાર્મ ધરાવતા પશુપાલકોને આ રોગના લક્ષણો અને ભયાનકતા વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે. જો કોઈ વિસ્તારમાં પક્ષીઓના અચાનક કે વધુ પ્રમાણમાં મોત થાય તો તેના સેમ્પલ તાત્કાલિક એકત્ર કરી ચુસ્ત પ્રોટોકોલ સાથે મધ્યપ્રદેશના ભોપાલ ખાતે આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઈ સિક્યુરિટી એનિમલ ડિસીઝ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવશે. ગાંધીનગરના ઉવારસદ, પોર, વલાદ, પાલજ, પ્રાંતિયા, મગોડી તેમજ દહેગામના બહિયલ, જલુન્દ્રા અને કલોલ-માણસાના વિવિધ વિસ્તારોમાં આવેલા મરઘાં ફાર્મ પર સતત અને સઘન મોનીટરીંગ રાખવા ખાસ આદેશ આપવામાં આવ્યા છે.જો કે ગાંધીનગર જિલ્લામાં હાલમાં પક્ષીઓમાં બર્ડફ્લૂનો એક પણ કેસ નોંધાયો નથી. તેમ છતાં તંત્ર કોઈ પણ પ્રકારની કચાસ રાખવા માંગતું નથી અને સાવચેતીના ભાગરૂપે સતત સુપરવિઝન કરવા સુચના આપી દેવાઈ છે. આ અંગે સૂત્રોએ કહ્યું કે, પક્ષીઓમાં જોવા મળતા ખાસ પ્રકારના લક્ષણો પર નજર રાખવા તાકીદ કરાઈ છે. જેમાં લક્ષણો વિના પક્ષીઓના ટોળામાં અચાનક થતા મૃત્યુ,શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ અને નાકમાંથી પાણી નીકળવું,પક્ષીઓની કલગી, પગ અને ચાંચનો રંગ વાદળી-જાંબુડીયો થઈ જવો,માથા, ગળા અને આંખની આસપાસ સોજો આવવો,ઇંડા મૂકવાનું બંધ થવું કે ઓછા થવા અને ઇંડાના પડ પાતળા પડવા,પક્ષીઓમાં સુસ્તી, ખોરાક-પાણીનો ત્યાગ અને ઝાડા થવા જેવા લક્ષણો જણાઈ આવે તો તુરંત પશુ પાલન તંત્રને જાણ કરવા સુચના આપી દેવાઈ છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં રખડતા શ્વાનોનો આતંક:વર્ધમાનનગરમાં રાહદારીઓની પાછળ દોડતા શ્વાનોનો વિડીયો સામે આવ્યો, સ્થાનિકોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ
    Next Article
    ACFના અમેરિકામાં 12 વર્ષ:USમાં ક્રિકેટ કોચિંગ એજ્યુકેશનને સ્ટ્રોંગ બનાવે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment