Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં 17 વર્ષીય કિશોરનું વીજ કરંટથી મોત:મોબાઈલ ચાર્જર કાઢતી વખતે હાથ પ્લગના સંપર્કમાં આવતાં આંચકો લાગ્યો

    17 hours ago

    ગોધરા તાલુકાના નાના રણછોડપુરા ગામે મોબાઈલ ચાર્જર કાઢતી વખતે વીજ કરંટ લાગવાથી 17 વર્ષીય કિશોરનું મૃત્યુ થયું છે. ખરસાલીયા ગામના ગૌરવ કુમાર શૈલેષભાઈ સોલંકી આ ઘટનાનો ભોગ બન્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ગૌરવ કુમાર નાના રણછોડપુરા ગામે તેમના ઘરે સ્વિચ બોર્ડમાંથી મોબાઈલનું ચાર્જર એડેપ્ટર કાઢી રહ્યા હતા. આ દરમિયાન અકસ્માતે તેમનો હાથ પ્લગના સંપર્કમાં આવતા તેમને જોરદાર વીજ આંચકો લાગ્યો હતો. વીજ કરંટ લાગતા ગૌરવ જમીન પર પટકાયા હતા. પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેમનું અવસાન થયું હતું. આ ઘટનાને પગલે પરિવારમાં શોક વ્યાપી ગયો છે. ખરસાલીયા અને નાના રણછોડપુરા સહિત આસપાસના વિસ્તારોમાં પણ આ દુર્ઘટના અંગે ચર્ચા છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળ-પાટણ પાલિકામાં શ્રાવણ માસ નિમિત્તે સત્યનારાયણ કથાનું આયોજન:પ્રમુખસહિત નગરપાલિકાના પદાધિકારીઓ, કાઉન્સિલરો અને અન્ય આગેવાનો જોડાયા
    Next Article
    લાલપુરમાં વડાપ્રધાનના 'મન કી બાત'નું સામૂહિક શ્રવણ:ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ રહ્યા ઉપસ્થિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment