Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંજાબે ગુજરાતને 164 રનનો ટાર્ગેટ આપ્યો:ટીમે ખરા સમયે વિકેટ ગુમાવી દીધી, સાઈ સુદર્શન ફિફ્ટી ફટકારીને આઉટ થયો

    1 day ago

    IPLમાં રવિવારની બીજી મેચમાં પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 164 રનનો ટાર્ગેટ આપ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાતે ટૉસ જીતીને બોલિંગ લીધી હતી. પંજાબે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 163 રન બનાવ્યા હતા. જવાબી ઇનિંગ્સમાં ગુજરાત તરફથી વોશિંગ્ટન સુંદર અને રાહુલ તેવટિયા ક્રિઝ પર છે. નવમી ઓવરના પહેલા બોલ પર જોસ બટલર 25 રન બનાવી આઉટ થયો હતો. તેને વિજયકુમાર વૈશાખે શ્રેયસ અય્યરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ પહેલા કેપ્ટન શુભમન ગિલ (5 રન)ને અર્શદીપ સિંહે કૂપર કોનોલીના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. શેડગેની ફિફ્ટી, સ્ટોઇનિસે 40 રન બનાવ્યા પંજાબની ટીમે 47 રન પર 5 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી સૂર્યાંશ શેડગેએ માર્કસ સ્ટોઇનિસ સાથે મળીને 44 બોલમાં 79 રનની ભાગીદારી કરીને ટીમનો સ્કોર 100ને પાર પહોંચાડ્યો હતો. શેડગેએ 29 બોલમાં 57 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે સ્ટોઇનિસ 40 રન બનાવીને આઉટ થયો હતો. ગુજરાત તરફથી જેસન હોલ્ડરે 4 વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સિરાજ અને કાગીસો રબાડાને 2-2 વિકેટ મળી હતી.
    Click here to Read More
    Previous Article
    Jabalpur Cruise Accident: क्रूज हादसे में 13 लोगों की मौत का कौन है जिम्मेदार ? | Bargi Dam Accident
    Next Article
    Dwarka Stray Cattle Attack | જામખંભાળિયામાં આખલાના આતંકે 13 વર્ષના માસુમનો લીધો જીવ | Gujarati News

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment