Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દૂષિત પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ:રાજકોટનાં વોર્ડ નં-16માં રહેતા નાગરિકે કહ્યું- દોઢ વર્ષ જૂનો આ સમસ્યા નવા મેયર ઉકેલશે તેવી આશા, પણ મેયર ઉદ્ઘાટન ઓછા કામ વધુ કરે તો સારૂ

    12 hours ago

    રાજકોટનાં વોર્ડ નં 16માં આવેલા સાગર સોસાયટી વિસ્તારના રહીશો છેલ્લા દોઢ વર્ષથી પીવાના દૂષિત પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે મહાનગરપાલિકા દ્વારા પૂરા પાડવામાં આવતા પીવાના પાણીમાં ગટરનું ગંદુ પાણી ભળી રહ્યું છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફેલાવવાનો ભય પેદા થયો છે. આ દૂષિત અને વાસ મારતા પાણીના કારણે સોસાયટીના મોટાભાગના ઘરોમાં માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે અને નાના બાળકો તેમજ વડીલો બીમારીનો ભોગ બની રહ્યા છે. વહેલી તકે આ સમસ્યાનું નિવારણ લાવવા સ્થાનિકોએ એકઠા થઈને તંત્ર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને મનપાના અધિકારીઓ સામે રોષ ઠાલવ્યો હતો. આ દૂષિત પાણીની ગંભીર સમસ્યા અંગે સ્થાનિક રહીશ સાહિલભાઈએ તંત્રની પોલ ખોલતા આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, તેઓ છેલ્લા દોઢ વર્ષથી પીવાના ગંદા પાણીને કારણે ત્રાહિમામ પોકારી ગયા છે. સાહિલભાઈએ જણાવ્યું કે, તેઓએ સિટી ગ્રામ પોર્ટલ તેમજ રાજકોટ મહાનગરપાલિકાની ઓનલાઈન એપ્લિકેશન પર પણ અંદાજે 12થી 15 વખત ફરિયાદો નોંધાવી છે, અને પૂર્વ મેયર નયનાબેન પેઢડિયા સમક્ષ પણ રજૂઆતો કરી ચૂક્યા છે, છતાં સમસ્યા હલ થતી નથી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જ્યારે પણ રહીશો દ્વારા ફરિયાદ કરવામાં આવે છે, ત્યારે મનપાના કર્મચારીઓ આવીને રસ્તા પર ખાડા ખોદી નાખે છે અને સમસ્યાનું કોઈ કાયમી નિવારણ લાવ્યા વિના તે ખાડાઓ અધૂરા પૂરીને ચાલ્યા જાય છે. આ ખોદાયેલા ખાડાઓને કારણે મચ્છરોનો ભારે ઉપદ્રવ વધ્યો છે, જે રોગચાળાને વધુ વેગ આપી રહ્યો છે. મનપાના અધિકારીઓ માત્ર દેખાડો કરવા માટે જુદા-જુદા સ્થળોએ દરોડા પાડીને પોતાની વાહ-વાહ લૂંટે છે, પરંતુ સામાન્ય નાગરિકોના પીવાના પાણી જેવા મૂળભૂત પ્રશ્નો તરફ તદ્દન આંખ આડા કાન કરી રહ્યા છે. અમારી એકમાત્ર માંગ છે કે, આ જૂની તેમજ જર્જરિત થઈ ગયેલી પાઈપલાઈનના કારણે વારંવાર ગટરનું પાણી મિક્ષ થવાની ઘટનાઓ બને છે, તેથી તત્કાલ ધોરણે આખી સાગર સોસાયટીમાં નવી ડીઆઈ પાઈપલાઈન નાખવામાં આવે. તેમણે નવનિયુક્ત મેયર પાસે આશા હોવાનું જણાવી એવી માંગ કરી છે કે તેઓ સરકારી કાર્યક્રમોના ઉદ્ઘાટનો ઓછા કરે અને પ્રજાના પાયાના કામો વધારે કરે. જો આગામી દિવસોમાં આ દૂષિત પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં લાવવામાં આવે તો સોસાયટીના રહીશો દ્વારા મનપા કચેરીએ જઈને અધિકારીઓને ગંદુ પાણી બોટલમાં ભરી પીવડાવવાની ચીમકી પણ તેમણે આપી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ રાજકોટનાં જુદા-જુદા વિસ્તારમાં દૂષિત પાણી મળતું હોવાની ફરિયાદો સામે આવી ચૂકી છે. તાજેતરમાં મળેલા જનરલ બોર્ડમાં પણ આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. અને અધિકારીઓ દ્વારા આ સમસ્યા હલ કરવાની ખાતરી પણ આપવામાં આવી હતી. ત્યારે હવે વોર્ડ નંબર 16નાં નાગરિકોની આ સમસ્યા ક્યારે દૂર થાય છે તે તો આવનારો સમય જ બતાવશે.
    Click here to Read More
    Previous Article
    સુરત રેલવે સ્ટેશન પર DRIના દરોડા:20 કરોડનું 2 કિલો શુદ્ધ કોકેઇન જપ્ત, એક શખ્સની ધરપકડ
    Next Article
    Bengaluru triple murder: Main accused’s partner arrested in Puducherry

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment