Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લખનઉમાં વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ, પુરતું ફ્યુઅલ ભર્યુ નહોતું!:154 મુસાફરો સવાર હતા, દુબઈથી કાઠમંડુ જઈ રહ્યું હતું; પાયલટે ATCને કોલ કર્યો

    12 hours ago

    લખનઉ એરપોર્ટ પર શનિવારે સવારે દુબઈથી કાઠમંડુ જઈ રહેલા વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. વિમાનમાં ઇંધણ ઓછું થઈ ગયું હતું. પાયલટને જેવો તેનો અંદાજો આવ્યો, તેણે તરત જ એર ટ્રાફિક કંટ્રોલ (એટીસી) ને ફોન કર્યો અને લેન્ડિંગની મંજુરી માંગી. મંજુરી મળ્યા બાદ વિમાનને સવારે 8:22 વાગ્યે સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું. ફ્લાય દુબઈની ફ્લાઇટ (FZ-1133) માં 154 મુસાફરો સવાર છે. ટેકનિકલ ટીમે વિમાનની તપાસ કરી છે. બાદમાં તેમાં ઇંધણ ભરવામાં આવ્યું છે. અધિકારીઓનું કહેવું છે કે જરૂરી ઔપચારિકતાઓ પૂરી થયા બાદ વિમાનને કાઠમંડુ મોકલવામાં આવશે. ફ્લાય દુબઈની વિમાન સેવા મિડલ ઈસ્ટ, યુરોપમાં પણ ફ્લાય દુબઈની ટિકિટો અન્ય કંપનીઓની સરખામણીમાં સસ્તી માનવામાં આવે છે. 2008માં દુબઈ સરકારના સહયોગથી આ કંપની શરૂ કરવામાં આવી હતી. તેનું મુખ્ય મથક દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર છે. ફ્લાય દુબઈ મિડલ ઈસ્ટ, એશિયા, યુરોપ, આફ્રિકાના ઘણા શહેરો માટે વિમાન સેવા ચલાવી રહી છે. ભારતના ઘણા શહેરોમાંથી પણ તેની સીધી ફ્લાઇટ્સ છે. 31 માર્ચે પણ ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું લખનઉમાં આ પહેલા 31 માર્ચે એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ફ્લાઇટ પશ્ચિમ બંગાળના બાગડોગરાથી દિલ્હી જઈ રહી હતી. સૂત્રો અનુસાર, ફ્લાઇટ યુપીના આંબેડકરનગર ઉપર હતી, ત્યારે પાયલટના કેબિનમાં ધુમાડો દેખાયો. તે સમયે ફ્લાઇટ 36 હજાર ફૂટની ઊંચાઈ પર હતી. પાયલટે ધુમાડો અનુભવાતા જ લખનઉ એર ટ્રાફિક કંટ્રોલને મેડે કોલ કર્યો. મેડે કોલ પછી મુસાફરોને ઓક્સિજન માસ્ક આપી દેવામાં આવ્યા. લખનઉમાં ઇમરજન્સી લેન્ડિંગની મંજુરી લઈને ફ્લાઇટને સાંજે 5:17 વાગ્યે સુરક્ષિત લેન્ડ કરાવવામાં આવી. આ સમાચાર પણ વાંચો... એર ઇન્ડિયા ફ્લાઇટનું એન્જિન બંધ, પાઈલટનો ઇમરજન્સી કોલ:મુંબઈથી બેંગલુરુ જઈ રહી હતી, 20 મિનિટમાં પાછી ફરી; ટેકઓફ દરમિયાન તણખા પણ દેખાયા મુંબઈથી બેંગલુરુ જઈ રહેલી એર ઈન્ડિયાની એરબસ A320 Neo ફ્લાઈટ AI2812 બુધવાર-ગુરુવારની મોડી રાત્રે ઉડાન ભર્યાના લગભગ 20 મિનિટ પછી મુંબઈ એરપોર્ટ પર પાછી ફરી. અધિકારીઓએ જણાવ્યું કે હવામાં એક એન્જિન બંધ થતાં પાઈલટે રેડિયો પર ‘PAN PAN’ કોલ આપ્યો, ત્યારબાદ ફ્લાઈટને પ્રાથમિકતાના આધારે સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવી. એવિએશન ઇમરજન્સી પ્રોટોકોલમાં આ કોલ ‘MAYDAY’ થી એક સ્તર નીચે માનવામાં આવે છે. એનો અર્થ એ થાય છે કે પરિસ્થિતિ ગંભીર છે અને તાત્કાલિક મદદની જરૂર છે, પરંતુ તાત્કાલિક જીવલેણ જોખમની પરિસ્થિતિ નથી. સંપૂર્ણ સમાચાર વાંચો...
    Click here to Read More
    Previous Article
    રોયલ એનફિલ્ડની પહેલી ઇલેક્ટ્રિક બાઇક 'ફ્લાઇંગ ફ્લી C6' લોન્ચ:₹2.79 લાખ કિંમત, BaaS મોડેલમાં ₹1.99 લાખમાં મળશે; બેંગલુરુમાં ટેસ્ટ રાઇડ શરૂ
    Next Article
    બાપુનગર-વિરાટનગર વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર જાહેર:રાજકોટમાં વિજ્ય વિશ્વાસ સંમેલનમાં સ્ટેજ પર બેઠેલા ઉમેદવારની ટિકિટ કપાઈ શકે!, કોંગ્રેસના તસ્લીમ આલમ તીર્મીઝિએ પોલીસ જાપ્તા સાથે ફોર્મ ભર્યું

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment