Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના જય ધ્રુવે બસ્તરમાં યુવાનોને ઇનોવેશન માટે પ્રેરિત કર્યા:1500 આદિવાસી યુવાનને સ્ટાર્ટઅપ અને ટેક્નોલોજીનું માર્ગદર્શન આપ્યું

    8 hours ago

    છત્તીસગઢના બસ્તર ખાતે આયોજિત ત્રણ દિવસીય ‘ઇનોવેશન મહાકુંભ’માં પાટણના શિક્ષણવિદ્ અને સંશોધક જય ધ્રુવે ચેરપર્સન તરીકે હાજરી આપી હતી. તેમણે નક્સલ પ્રભાવિત વિસ્તારોના 1500 થી વધુ આદિવાસી યુવાનોને સ્ટાર્ટઅપ અને ટેક્નોલોજી ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરિત કર્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્યપાલ રમણ ડેકા અને મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ‘ઇનોવેશન મહાકુંભ’નું આયોજન છત્તીસગઢ સરકાર, ભારત સરકારના શિક્ષણ મંત્રાલય, CGCOST, MFCC અને IIT ભિલાઈના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. પાટણના શિક્ષણવિદ્ અને ઇનોવેશન માર્ગદર્શક જય ધ્રુવને વિશેષ આમંત્રિત કરી ચેરપર્સન તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. બસ્તર, કાંકેર, નારાયણપુર, કોંડાગાંવ, દંતેવાડા, બીજાપુર અને સુકમા જેવા 7 નક્સલ પ્રભાવિત જિલ્લાઓમાંથી 1500 થી વધુ આદિવાસી વિદ્યાર્થીઓ અને ઇનોવેટર્સ આ મહાકુંભમાં જોડાયા હતા. જય ધ્રુવે સતત ત્રણ દિવસ સુધી આ યુવાનો સાથે રહીને નેતૃત્વ, કૌશલ્ય વિકાસ, આત્મનિર્ભર ભારત અને ઉદ્યોગસાહસિકતા જેવા વિષયો પર ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે અંતરિયાળ વિસ્તારોના યુવાનોમાં રહેલી પ્રતિભાને જો યોગ્ય પ્લેટફોર્મ મળે તો તેઓ માત્ર નોકરી શોધનાર નહીં પણ નોકરી આપનાર બની શકે છે. આ મહાકુંભમાં રાજકીય અને શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણીઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી હતી. જેમાં છત્તીસગઢના રાજ્યપાલ રમણ ડેકા, મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈ, કેબિનેટ મંત્રી કેદાર કશ્યપ, ઓ.પી. ચૌધરી તેમજ વિવિધ સંસ્થાઓના કુલપતિઓ અને વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. IIT ભિલાઈ, દિલ્હી અને મુંબઈના ડિરેક્ટરો તથા દેશની પ્રતિષ્ઠિત કંપનીઓના CEO એ પણ યુવાનો સાથે સંવાદ સાધ્યો હતો. જય ધ્રુવે વિવિધ મહાનુભાવો સાથે આદિવાસી વિકાસ અને ઇનોવેશન આધારિત મોડલ અંગે ચર્ચાઓ કરી હતી. નક્સલવાદ અને ભયના ઓછાયા હેઠળ જીવતા વિસ્તારોમાં શિક્ષણ અને સંશોધન દ્વારા નવી ક્રાંતિ લાવવાના આ પ્રયાસમાં પાટણના યુવા શિક્ષણવિદ્દની ભૂમિકા નોંધપાત્ર રહી હતી. સમગ્ર આયોજન અંતરિયાળ વિસ્તારના યુવાનોને રાષ્ટ્રીય મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે સફળ સાબિત થયું હતું.
    Click here to Read More
    Previous Article
    સાબરમતી સેન્ટ્રલ જેલમાં મારામારી:‘તું બાયલો છે’ કહી કેદીએ બીજા કેદીને ઢોર માર માર્યો: હાથમાં ફેક્ચર થતા સિવિલ ખસેડાયો
    Next Article
    Rajeev Khandelwal Says He Still Feels Guilty After Losing His Mother To Cancer: "Khud Ko Gunehagaar Samajhta Hoon"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment