Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જલાલપોરમાં સસ્તા અનાજ કૌભાંડ:પરવાનેદારે 150 કિલો ઘઉં કાળાબજારમાં વેચ્યા, બે સામે ગુનો

    8 hours ago

    નવસારી જિલ્લાના જલાલપોરમાં સસ્તા અનાજ કૌભાંડનો પર્દાફાશ થયો છે. કોરોના મહામારી દરમિયાન ગરીબો માટે આવેલા 150 કિલો ઘઉં કાળાબજારમાં વેચી દેવાયા હતા. આ મામલે કોર્ટના આદેશ બાદ દુકાન સંચાલક સહિત બે વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જલાલપોર તાલુકાના માછીવાડ-દિવાદાંડી ગામમાં દલપતભાઈ પરભુભાઈ ટંડેલ સસ્તા અનાજની દુકાન ચલાવતા હતા. વર્ષ 2020માં કોવિડ-19 મહામારી દરમિયાન, તેમણે રેશનકાર્ડ ધારકો માટે સરકારે મોકલેલા 150 કિલો ઘઉં અન્ય આરોપી દિવ્યેશ રમણભાઈ ટંડેલને પ્રતિ કિલો ₹10ના ભાવે કુલ ₹1500માં કાળાબજારમાં વેચી દીધા હતા. આ ગેરરીતિ અંગે ગ્રામજનો અને ફરિયાદી મનીષકુમાર કપ્તાને ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હતી. તત્કાલીન મામલતદારે સ્થળ તપાસ કરતા દુકાન સંચાલકની ગેરરીતિ સ્પષ્ટ થઈ હતી. આના પરિણામે, જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા મે 2020માં આ દુકાનનો પરવાનો કાયમી ધોરણે રદ કરવામાં આવ્યો હતો. આ મામલે લાંબી કાયદાકીય લડત બાદ, નવસારી કોર્ટે ફોજદારી તપાસ નંબર 55/2022 હેઠળ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. જિલ્લા કલેક્ટરના આદેશ મુજબ, જલાલપોરના પુરવઠા નાયબ મામલતદાર અમૃતલાલ કાંતિલાલ ગોહેલે જલાલપોર પોલીસ મથકે બંને આરોપીઓ વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, 1955ની કલમ 3 અને 7 તેમજ PDS કંટ્રોલ ઓર્ડર-2001 હેઠળ ગુનો નોંધાવ્યો છે. આ કેસમાં અગાઉ તત્કાલીન મામલતદાર એસ.એ. શાહ અને જિલ્લા પુરવઠા અધિકારી ડો. વિશાલ યાદવ સામે પણ કાર્યવાહીની હિલચાલ હતી. જોકે, સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી બાદ એસ.એ. શાહ સામેની કાર્યવાહી પર સ્ટે આપવામાં આવ્યો છે, જ્યારે ડો. વિશાલ યાદવ તે સમયે હોદ્દા પર ન હોવાથી તેમને પણ રાહત મળી છે. હાલમાં પોલીસે નાયબ મામલતદારની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    આશીર્વાદ લીધા, શાલ ઓઢાડી અને ભેટ્યા:રાષ્ટ્રગાન ગાયું તો જેલમાં ગયા, ગૌ-હત્યા બંધ કરાવી; 98 વર્ષના માખનલાલ સરકાર કોણ છે, જેમનું PM મોદીએ સન્માન કર્યું
    Next Article
    ઓપરેશન મુસ્કાન થકી સુરત પોલીસની મોટી સફળતા:સુરતમાં 4 મહિનામાં 696 ગુમ થયેલા લોકોના ચહેરા પર સ્મિત પાછું લાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment