Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં:ટોયલેટ-ઓડિટોરિયમ પાસેથી 15 દારૂની ખાલી બોટલો મળી, સિક્યોરિટી પાછળ મસમોટો ખર્ચ છતાં નશાખોરી; કુલપતિના તપાસના આદેશ

    14 hours ago

    રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જે એક સમયે શિક્ષણ ક્ષેત્રે સમગ્ર રાજ્યમાં અવ્વલ ગણાતી હતી તે હવે નશાખોરીને કારણે બદનામ થઈ રહી છે. યુનિવર્સિટીના જેન્ટ્સ ટોયલેટમાંથી 9 અને ઓડિટોરિયમ પાસેથી 6 મળી કુલ 15 દારૂની ખાલી બોટલો મળી આવતા ભારે ચકચાર જાગી છે. આ ઘટનાને પગલે યુનિવર્સિટીના વહીવટી તંત્ર અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. હાલમાં આ મુદ્દે કુલપતિએ તપાસના આદેશ આપ્યા અને જવાબદારો સામે કડક પગલાં લેવાની ખાતરી આપી છે. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા દર મહિને સિક્યોરિટી પાછળ લાખોનો ખર્ચ કરવામાં આવે છે તેમ છતાં આવી અસામાજિક પ્રવૃત્તિઓ રોકવામાં નિષ્ફળતા મળી રહી હોવાનું જણાય છે. સાંજે 5 વાગ્યા પછી રાહદારીઓ માટે કેમ્પસમાં પ્રવેશ પ્રતિબંધ હોવા છતાં દારૂની બોટલોનો જથ્થો અંદર કેવી રીતે પહોંચ્યો તે એક મોટો પ્રશ્ન છે. આ સમગ્ર મામલે ચિંતાજનક બાબત એ છે કે, જ્યાંથી આ બોટલો મળી તે સ્થળ મુખ્ય બિલ્ડિંગથી માત્ર 100 મીટર અને ગાંધીગ્રામ-1 પોલીસ સ્ટેશનતી માત્ર 500 મીટરના અંતરે આવલું છે. પોલીસની આટલી નજીક હોવા છતાં યુનિવર્સિટી કેમ્પસમાં દારૂની મહેભિલો જામતી હોવાની આશંકા સેવાઈ રહી છે. મ્યુ. કમિશનર દ્વારા સફાઈ કામદારો માટે બનતા કોમ્યુનિટી હોલાની મુલાકાત રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરના સફાઈ કામદારોના સામાજિક અને સાંસ્કૃતિક ઉત્થાન માટે વોર્ડ નં.3માં જામનગર રોડ પર આધુનિક સુવિધાઓ ધરાવતા કોમ્યુનિટી હોલનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. અંદાજીત રૂ.8.69 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા આ G+2 બિલ્ડીંગની કામગીરીની સમીક્ષા કરવા માટે આજે મ્યુ. કમિશનર તુષાર સુમેરાએ સ્થળ મુલાકાત લીધી હતી. તેમણે નિર્ધારિત સમયમર્યાદામાં અને ગુણવત્તાયુક્ત કામગીરી પૂર્ણ કરવા માટે એજન્સી અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આ પ્રોજેક્ટ અંદાજીત 3458.94 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલો છે, જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર વિશાળ પાર્કિંગ, ઓફિસ રૂમ, લિફ્ટ અને ટોઇલેટ બ્લોક જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. બિલ્ડીંગના પ્રથમ અને બીજા માળ પર મેરેજ ફંક્શન હોલ, ડાઇનીંગ હોલ, વર-વધુ માટે સ્પેશિયલ રૂમ અને આધુનિક કિચનની વ્યવસ્થા કરવામાં આવશે. સફાઈ કામદારો અને તેમના પરિવારજનો સન્માનજનક રીતે લગ્ન પ્રસંગો કે ધાર્મિક કાર્યક્રમો યોજી શકે તે હેતુથી આ કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. મચ્છર-પાણીજન્ય રોગોના કેસમાં વધારો થતા તંત્ર દોડતું થયું રાજકોટમાં છેલ્લા એક સપ્તાહમાં રોગચાળાના આંકડા સામે આવ્યા છે. ગત સપ્તાહ દરમિયાન ડેન્ગ્યુનો 1 પોઝિટિવ કેસ નોંધાયો છે, જેનાથી વર્ષ 2026 ના કુલ કેસની સંખ્યા 9 થઈ છે. મેલેરિયાના આ વર્ષના કુલ 2 કેસ નોંધાયા છે, જ્યારે ચિકુનગુનિયાનો હજુ સુધી કોઈ કેસ સામે આવ્યો નથી. અન્ય રોગોમાં શરદી-ઉધરસના 488, સામાન્ય તાવના 446, ઝાડા-ઉલ્ટીના 156 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ટાઈફોઈડ અને કમળાનો 1-1 કેસ નોંધાયો છે. ચાલુ વર્ષ 2026માં અત્યાર સુધીમાં શરદી-ઉધરસના કુલ 9,836 અને સામાન્ય તાવના 7,662 કેસ નોંધાઈ ચૂક્યા છે. મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા રોગચાળો અટકાવવા સઘન પગલાં લેવામાં આવ્યા છે. મચ્છરના ઉત્પત્તિ સ્થાનો નાબૂદ કરવા માટે 13664 ઘરોમાં પોરાનાશક કામગીરી અને 1421 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું છે. તપાસ દરમિયાન મચ્છરના પોરા મળતા રહેણાંક વિસ્તારમાં 121 અને કોર્મશિયલ એકમોમાં 32 આસામીઓને નોટીસ ફટકારવામાં આવી છે. પાણીજન્ય રોગોના અટકાયતી પગલાં રૂપે આરોગ્ય વિભાગ દ્વારા કુલ 1011 ક્લોરીન ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે. આરોગ્ય અધિકારી દ્વારા લોકોને સાફ-સફાઈ રાખવા અને મચ્છરની ઉત્પત્તિ અટકાવવા માટે અપીલ કરવામાં આવી છે. 47 રેકડીઓ અને 3406 બોર્ડ જપ્ત કરી 8 લાખનો દંડ વસૂલાયો રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ 1 માર્ચ 2026 થી 15 માર્ચ 2026 દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં આક્રમક કામગીરી કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત જાહેર માર્ગો પર નડતરરૂપ 47 રેકડી-કેબીન અને 3406 બોર્ડ-બેનરો જપ્ત કરવામાં આવ્યા છે. ઉપરાંત, વિવિધ સ્થળોએથી 458 પરચુરણ ચીજવસ્તુઓ અને 3259 કિલોગ્રામ શાકભાજી તથા ફળોનો જથ્થો પણ કબજે લેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા આ સમયગાળા દરમિયાન મંડપ કમાન છાજલી ભાડા પેટે રૂ. 2,78,550 અને વહીવટી ચાર્જ પેટે રૂ. 6,16,615 મળી કુલ રૂ. 8,95,165 ની માતબર રકમ વસૂલ કરવામાં આવી છે. શહેરના ધરાર માર્કેટ, સંતકબીર રોડ, પેડક રોડ, કાલાવડ રોડ, 150 રિંગ રોડ અને રેસકોર્ષ સહિતના મુખ્ય વિસ્તારોમાં આ કાર્યવાહી હાથ ધરાઈ હતી. ટ્રાફિકની સમસ્યા નિવારવા અને માર્ગો ખુલ્લા કરવા માટે એન્ક્રોચમેન્ટ ઓફિસરની સૂચના મુજબ ટીમોએ સઘન ચેકિંગ કર્યું હતું. નાગરિકોને અવરજવરમાં સુવિધા રહે અને શહેરની સુંદરતા જળવાય તે માટે કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં પણ આવી ઝુંબેશ ચાલુ રાખવામાં આવનાર છે. મોઢવણિક મહાજન દ્વારા શ્રીનાથજીની ઝાંખી અને જ્ઞાતિ ભોજનનું આયોજન રાજકોટમાં મોઢવણિક મહાજન દ્વારા યુવીએમસી પાર્ટી લોન્સના તૃતીય વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે રવિવારે એક અલૌકિક ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રીનાથજીની ઝાંખી અને વિરાટ જ્ઞાતિ ભોજન મહાપ્રસાદ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉમટી પડ્યા હતા. કાર્યક્રમમાં ખ્યાતનામ ગાયક આસીફ જેરિયા અને તેમની ટીમના 46 કલાકારોએ શ્રીજીના અષ્ટસમા - મંગળા, શૃંગાર, ગ્વાલ, રાજભોગ, ઉત્થાપન, ભોગ, આરતી અને શયનના દર્શન સુમધુર સંગીત સાથે કરાવ્યા હતા. આ પ્રસંગે મહાજન પ્રમુખ ભાગ્યેશ વોરા, મેનેજિંગ ટ્રસ્ટી કિરેન છાપિયા અને અન્ય ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે 1872 માં સ્થાપિત આ સંસ્થાએ 125 વર્ષ જૂની હાથી ખાના સ્થિત વાડીનું 31 માર્ચ 2023નાં આધુનિક લોકેશન પર સ્થળાંતર કર્યું હતું. એકાદશીના પવિત્ર દિવસે યોજાયેલા આ કાર્યક્રમમાં જ્ઞાતિજનો માટે ફરાળી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ધર્મોત્સવમાં પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ હર્ષદભાઈ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભાગ્યેશભાઈ વોરા, સુનિલ વોરા, અશ્વિન વડોદરિયા અને અન્ય ટ્રસ્ટી મંડળે ભારે જહેમત ઉઠાવી હતી.
    Click here to Read More
    Previous Article
    પ્રામાણિક કારદાતાઓએ તિજોરી છલકાવી:રાજકોટ મનપાનાં વેરાવિભાગની આવક રૂ. 400 કરોડને પાર, રૂ. 10,000 સુધી વ્યાજમાફીની યોજના 31 માર્ચ સુધી ચાલુ, રજાના દિવસોમા પણ વેરો ભરી લાભ લઇ શકાશે
    Next Article
    ઉનાના ચકચારી દલિતકાંડમાં 5 આરોપી દોષિત:9 વર્ષ જૂના કેસમાં સેશન્સ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, પુરાવાના અભાવે અન્યને નિર્દોષ જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment