Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:15 દિવસ પછી ચોમાસું આગળ વધ્યું, ગુજરાતમાં રેડ એલર્ટ-દરિયામાં તોફાન, લખનઉમાં સુરતના તક્ષશિલા જેવો અગ્નિકાંડ, 15 વિદ્યાર્થી જીવતાં ભડથું

    1 day ago

    નમસ્તે, કાલના મોટા સમાચારો જોઈએ તો ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં કોચિંગ સેન્ટરમાં ભયાનક આગ ભભૂકી ઉઠી. આ દુર્ઘટનામાં 15 વિદ્યાર્થીનાં મોત થયાં છે. મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ઊલટફેર આવ્યો છે. ઉદ્ધવ ઠાકરેની શિવેસનાના 6 સાંસદો બળવો કરીને એકનાથ શિંદેના જૂથમાં જોડાઈ ગયા છે. સિંધુ જળ સમજૂતીના કારણે તરસ્યા રહેલા પાકિસ્તાને ભારત સામે યુદ્ધ કરવાની ચીમકી આપી છે. 15 દિવસ પછી ચોમાસું આગળ વધતાં સારા સંકેત મળ્યા છે. છત્તીસગઢમાં એન્ટ્રી કરી છે. ગુજરાતમાં પણ તોફાની પવન સાથે આગામી 5 દિવસ વરસાદની આગાહી છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પદ્મ પુરસ્કાર 2026 ના વિજેતાઓને સન્માનિત કરશે. આમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 56 પદ્મ શ્રી પુરસ્કારો સામેલ છે. 2. રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિ કેસમાં MP (મધ્યપ્રદેશ) હાઈકોર્ટમાં સુનાવણી થશે. તેમના પર પૂર્વ CM શિવરાજ સિંહ ચૌહાણના પુત્ર કાર્તિકેયનું નામ પનામા પેપર્સ કેસ સાથે જોડવાનો આરોપ છે. 📰 કાલના મોટા સમાચારો 1. લખનઉમાં સુરતના તક્ષશીલા જેવી ઘટના, એનિમેશન સેન્ટરમાં ભીષણ આગ:15 વિદ્યાર્થીના મોત, એક સ્ટુડન્ટ કૂદતા લોખંડની ગ્રીલ પર પડ્યો યુપીની રાજધાની લખનઉમાં સોમવારે બપોરે 2:15 વાગ્યે એક બિલ્ડિંગમાં આગ લાગી ગઈ. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે. જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ છે. જે બિલ્ડિંગમાં આગ લાગી, તે અલીગંજ વિસ્તારમાં આવેલી છે. બેઝમેન્ટ, ગ્રાઉન્ડ અને પ્રથમ માળ પર પેટ શોપ અને ક્લિનિક છે. બીજા માળ પર 'લર્નિંગ સ્પેસ' નામની લાઇબ્રેરી (કોચિંગ) અને 'હેડ હોપર સ્ટુડિયો' છે, જેમાં 3D આર્ટ પ્રોડક્શન અને ગેમ એસેટ આઉટસોર્સિંગનું કામ થાય છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ઉદ્ધવના 6 સાંસદો શિંદેની શિવસેનામાં જોડાયા:4 વર્ષમાં બીજી વખત ભંગાણ, શિંદે બોલ્યા- છગ્ગો માર્યો; આદિત્યએ પક્ષ બદલનારાઓને વેચાયેલા કહ્યા મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના 9માંથી 6 સાંસદો સોમવારે એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા. બળવાખોર સાંસદોએ નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે તેમના નંદનવન બંગલા પર બેઠક કરી. ત્યારબાદ બળવાખોર સાંસદોએ શિંદે સાથે પ્રેસ કોન્ફરન્સ કરીને પાર્ટી બદલવાની જાહેરાત કરી. આ દરમિયાન શિંદેએ કહ્યું- જ્યારે 2022માં અમે પાર્ટી અને ધનુષ-બાણ બચાવવા માટે વિદ્રોહ કર્યો હતો, ત્યારે 40 ધારાસભ્યો હતા અને હવે છગ્ગો લાગી ચૂક્યો છે. અમારી લડાઈ બાલાસાહેબના વિચારોને બચાવવા માટે છે, એટલા માટે આજે આ 6 સાંસદો બાલાસાહેબની અસલી શિવસેનામાં જોડાયા. વાંચો સંપૂર્ણ સમાચાર 3. રામ મંદિરનો ચઢાવો ગણનારા 40 કર્મચારીઓ હટાવાયા:CCTVની સંખ્યા વધારી, ધર્મ સેના અધ્યક્ષે મોદીને લેટર લખ્યો; ટ્રસ્ટ ભંગ કરવાની માંગ અયોધ્યા રામ મંદિરમાં ચઢાવો ગણતા 40 કર્મચારીઓને સોમવારે હટાવી દેવામાં આવ્યા. સૂત્રો અનુસાર, તેમની જગ્યાએ અન્ય કર્મચારીઓને ડ્યુટી પર લગાવવામાં આવ્યા છે. હટાવવામાં આવેલા કર્મચારીઓને બીજી જગ્યાએ ડ્યુટી પર લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, ગણતરી સ્થળ પર 3 CCTV વધારવામાં આવ્યા છે. હવે CCTVની સંખ્યા 4 થઈ ગઈ છે. આ તરફ, ધર્મ સેનાના અધ્યક્ષ સંતોષ દુબેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમણે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને ભંગ કરવાની માંગ કરી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. અમે ફરીથી યુદ્ધ શરૂ કરી દઈશું, પાકિસ્તાનની ભારતને ખોખલી ધમકી: સિંધુ જળ સંધિ મુદ્દે PAK રક્ષામંત્રી બગડ્યા; કહ્યું, અમને જે ક્ષણે પાણી પર જોખમ જણાશે ફરી યુદ્ધ થશે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે સિંધુ જળ સંધિ સ્થગિત રહેવા અંગે ભારતને ધમકી આપી છે. પાકિસ્તાની ચેનલ ARY ન્યૂઝ સાથેની વાતચીતમાં ખ્વાજા આસિફે કહ્યું કે, જો અમને લાગશે કે અમારી રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો છે અને પાણી પણ અમારી સુરક્ષાનો એક ભાગ છે, તો અમે ચોક્કસપણે ભારત વિરુદ્ધ યુદ્ધ કરીશું. તેમણે એમ પણ કહ્યું કે જો ભારત પાકિસ્તાન માટે પાણીની ઉપલબ્ધતાને ઝડપથી અસર કરવાનો પ્રયાસ કરતું જોવા મળશે તો લશ્કરી કાર્યવાહી પર વિચાર કરી શકાય છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. 15 દિવસ પછી ચોમાસું આગળ વધ્યું, છત્તીસગઢમાં એન્ટ્રી:રાજસ્થાનમાં કરા પડ્યા, MP-યુપીમાં હીટવેવનું એલર્ટ; તમિલનાડુમાં વાવાઝોડું 15 દિવસથી છત્તીસગઢ બોર્ડર પર અટકેલા ચોમાસાની દંતેવાડાના રસ્તે રાજ્યમાં એન્ટ્રી થઈ ગઈ છે. બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમે ચોમાસાને આગળ વધવામાં મદદ કરી છે. આ સાથે જ બસ્તરમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી કેટલાક દિવસોમાં તે રાજ્યના બાકીના જિલ્લાઓને પણ આવરી લેશે. તમિલનાડુના થુથુકોડીમાં રવિવારે વાવાઝોડું આવ્યું. પહેલા તેને ટોર્નેડો કહેવામાં આવ્યું હતું. પરંતુ IMDએ સોમવારે પુષ્ટિ કરતા કહ્યું કે થુથુકોડીની ઘટના લોકલ કન્વેક્ટિવ વોર્ટેક્સ એટલે કે ધૂળનો વંટોળ હતી. રવિવારે મેઘાલયમાં ભારે વરસાદ થયો. ખાસી હિલ્સ જિલ્લાના મોસિનરામમાં 24 કલાકમાં 530 મિમી વરસાદ નોંધાયો. એટલે કે એક રાતમાં અહીં જેટલો વરસાદ થયો, તેટલો જોધપુર-બીકાનેરમાં 6 મહિનામાં થાય છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ગુજરાત એલર્ટ, દરિયામાં તોફાનની આશંકા; 5 દિવસ માછીમારી ન કરવા કડક સૂચના ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂનની આસપાસ આવતું ચોમાસું આ વર્ષે 'અલ-નીનો' પેટર્ન અને સાયક્લોનિક અસરોના કારણે લંબાયું છે. સાર્વત્રિક વરસાદ ન થતાં ખેડૂતોની વાવણી ખોરંભાઈ છે. જોકે, આજે (22 જૂન) વહેલી સવારથી સુરત શહેર અને આસપાસના વિસ્તારો, વલસાડ, અમરેલી, નવસારીના ઇટાળવા-જમાલપોર, તાપીના વ્યારા-વાલોડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતાં સ્થાનિકોને ગરમીથી રાહત મળી છે. બપોરબાદ ભાવનગર, નવસારી, છોટાઉદેપુરમાં પણ ધીમીધારે વરસાદ નોંધાયો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. દીવ-દમણ, દાદરા-નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલના ધર્મપત્નીનું નિધન:હિંમતનગરમાં અંતિમવિધિ કરાશે; PM મોદીએ વ્યક્ત કરી સંવેદના સંઘ પ્રદેશ દીવ-દમણ, દાદરા-નગર હવેલીના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના ધર્મપત્ની ભાવનાબેન પટેલનું નિધન થતાં રાજકીય અને સામાજિક વર્તુળોમાં શોકની લાગણી વ્યાપી છે. તેમના અવસાનના સમાચાર મળતા જ દેશભરના આગેવાનો અને શુભેચ્છકો દ્વારા સંવેદના વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમની હિંમતનગરમાં અંતિમવિધિ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર શોક વ્યક્ત કરતાં લખ્યું કે, સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના ધર્મપત્ની ભાવનાબેન પટેલના અવસાનના સમાચારથી દુઃખ થયું. વર્ષોથી આ પરિવાર સાથે મારો નિકટનો પરિચય અને ઘનિષ્ઠ સંબંધ રહ્યો છે. આ દુઃખની ઘડીમાં હું પરિવારજનોને હૃદયપૂર્વક સાંત્વના પાઠવું છું અને પરમાત્મા સ્વર્ગસ્થ આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરું છું. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન. ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : 15 દિવસ પછી ચોમાસું આગળ વધ્યું, છત્તીસગઢમાં એન્ટ્રી:રાજસ્થાનમાં કરા પડ્યા, MP-યુપીમાં હીટવેવનું એલર્ટ; તમિલનાડુમાં વાવાઝોડું વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : બ્રિટિશ PM સ્ટાર્મરનું રાજીનામું:10 વર્ષમાં રાજીનામું આપનારા છઠ્ઠા વડાપ્રધાન; એન્ડી બર્નહેમ નવા વડાપ્રધાન બની શકે છે વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : ભારતમાં તખ્તાપલટનું PFIનું ષડયંત્ર:સ્લીપર સેલે કહ્યું- મેસેજિંગ એપથી બ્રેઈનવોશ, ટાર્ગેટ કિલિંગનું ટાસ્ક; પાકિસ્તાની હેન્ડલર્સે કહ્યું- જિહાદી બનો, શહાદત મળશે વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : નેતન્યાહુએ કહ્યું- હું ટ્રમ્પના ઇશારે નથી ચાલતો:લેબનોનમાંથી ઇઝરાયલી સેના હટાવવાની ના પાડી; અમેરિકા-ઈરાનની વાતચીત ફરી શરૂ વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ચાંદી આજે ₹5,826 મોંઘી, ₹2.37 લાખ પર પહોંચી:સોનાનો ભાવ ₹1,694 વધ્યો, 10 ગ્રામ 24 કેરેટ સોનું ₹1.46 લાખ થયું વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : હરમનપ્રીત 200 T-20 રમનાર પ્રથમ ક્રિકેટર:શ્રી ચરણીએ ડબલ વિકેટ મેડન ઓવર ફેંકી; સાઉથ આફ્રિકાનો વર્લ્ડકપમાં હાઈએસ્ટ રનચેઝ વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : સંતની દુઃખી વ્યક્તિને શીખામણ:સફળતા ત્યારે જ મળે જ્યારે આપણે આપણી ઊર્જાને વેરવિખેર કરવાને બદલે એક દિશામાં લગાવીએ વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ હમશકલના કારણે 17 વર્ષ જેલમાં વિતાવ્યા અમેરિકામાં રિચર્ડ એન્થની જોન્સને પોતાના હમશકલના (એક સરખા દેખાતા વ્યક્તિના) કારણે 17 વર્ષ જેલમાં વિતાવવા પડ્યા હતા. સાક્ષીઓએ ખોટી ઓળખના આધારે તેમને લૂંટના ગુનામાં દોષિત ગણાવ્યા હતા. બાદમાં ખબર પડી કે તે જ વિસ્તારમાં તેમનો હમશકલ પણ રહેતો હતો. સજા રદ થયા પછી તેમને 11 લાખ ડોલર એટલે કે અંદાજે 9 કરોડ રૂપિયાનું વળતર મળ્યું હતું. 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. પારકી પંચાત : પાટીલની રાહ જોતા જોતા ઊંઘ આવી ગઈ:સુરતના મેયરે સ્પીચમાં લોચા માર્યાં; લો બોલો, યોગ કરીને મંત્રીજી તો વિસ્તારનું નામ જ ભૂલી ગયા 2. મંડે મેગા સ્ટોરી : મેલોનીની સિગારેટ, પુતિનનો અમર થવાનો પ્રોજેક્ટ:વર્લ્ડ લીડર્સની મુલાકાતોમાં શું થાય છે; પીએમ મોદી કેવી રીતે કરે છે તૈયારી 3. ડાયાબિટીસના દર્દીઓ માટે સૂર્ય નમસ્કાર સંજીવની સમાન!:રિસર્ચમાં થયો મોટો ખુલાસો, યોગ ગુરુ પાસેથી જાણો આસન કરવાની સાચી રીત અને જરૂરી સાવચેતીઓ 4. આજનું એક્સપ્લેનર:13 દિવસથી ચોમાસું અટકી ગયું, હવામાનની કઈ 5 સિસ્ટમ જવાબદાર; અત્યાર સુધીમાં 38% ઓછો વરસાદ, આખરે રાહત ક્યારે મળશે? 5. નવો મોબાઈલ ખરીદવાની ઉતાવળ ન કરતા!:જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે લોન્ચ થશે 6 દમદાર સ્માર્ટફોન્સ, જાણો કયો ફોન સૌથી બેસ્ટ 6. કમાણી ક્યારેક 30 હજાર તો ક્યારેક 1 લાખ!:અનિશ્ચિત આવકમાં બચત અને રોકાણ કેવી રીતે કરવું? ફ્રીલાન્સર્સ માટે 5 મની રૂલ્સ 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ રાશિફળ મંગળવારનું રાશિફળ:ગ્રહોની સ્થિતિ કન્યા, મકર અને કુંભ રાશિના ભાગ્યને પ્રબળ કરશે, વૃશ્ચિક જાતકોએ સંતાનો સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખવો વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    NEET re-test: In Bihar ‘dummy candidate’ racket — MBBS students, biometric verification personnel
    Next Article
    US issues oil sanctions waiver; Tehran dials refiners, traders for sales

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment