Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:15 મિનિટના તોફાની વરસાદે ખેડૂતોના લાખો રૂપિયાના પાકને જમીનદોસ્ત કર્યો

    17 hours ago

    કચ્છની તપતી ધરા પર અત્યારે સૂર્યનારાયણ અગનગોળા ફેંકી રહ્યા છે, ત્યારે અચાનક બદલાયેલા મિજાજે ધરતીપુત્રોના અરમાનો પર પાણી ફેરવી દીધું છે. સામાન્ય રીતે જૂન મહિનામાં જે વરસાદની ચાતક નજરે રાહ જોવાય છે, તે વરસાદ હવે ‘બારમાસી’ બનીને કમોસમે ત્રાટકી રહ્યો છે. વૈશાખ મહિનાની કાળઝાળ ગરમી વચ્ચે મંગળવારે કચ્છના આકાશમાં વાદળોના ગડગડાટ સાથે જે ‘માવઠું’ વરસ્યું, તેણે ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવી લીધો છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં આવેલા પલટાએ અંજાર અને ભુજના ગ્રામ્ય વિસ્તારોમાં વિનાશ વેર્યો છે. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા તોફાની પવન અને માત્ર 15 થી 20 મિનિટ સુધી પડેલા બરફના કરાએ જવાહરનગર, મોખાણા, નવાગામ, હીરાપર અને મોડસર અને ડગાળા જેવા હરિયાળા વિસ્તારોને પાયમાલ કરી નાખ્યા છે. ખેતરોમાં લહેરાતો પાક જ્યારે પવનના પ્રકોપ સામે જમીનદોસ્ત થયો, ત્યારે ખેડૂતોની આંખોમાં આસું સિવાય કંઈ બાકી રહ્યું નથી. જે પાકને લોહી-પરસેવો પાઈને ઉછેર્યો હતો, તે ક્ષણભરમાં જમીન દોષ થઇ ગયો હતો. જુવાર, મગ, બાજરી, મકાઈ અને રજકાને મોટી નુકશાની ખેતરોમાં જે જુવારનો પાક તૈયાર હતો, તે અતિભારે પવનના કારણે જમીનદોસ્ત થઈ ગયો છે. સૌથી વધુ નુકસાન મગના પાકને થયું છે, લણણીની તૈયારીમાં રહેલા મગના છોડ પરથી ફળિયો ખરી પડી છે અને પાંદડા સંપૂર્ણ નાશ પામ્યા છે, જેનાથી ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. આ ઉપરાંત, બાજરી, મકાઈ, રજકો અને રામોલ જેવા પાકોમાં પણ વ્યાપક નુકસાની જોવા મળી છે. એક તરફ કાળઝાળ ગરમી અને બીજી તરફ આ કુદરતી આફતને કારણે ધરતીપુત્રો પાયમાલ થઈ ગયા છે. મોંઘા બિયારણ અને મહેનત એળે ગઈ છે. શહેરોમાં નોંધાયેલ તાપમાન કંડલા એરપોર્ટ : 41 ડિગ્રી ભુજ : 39 ડિગ્રી કંડલા પોર્ટ : 38.3 ડિગ્રી હજુ 7 દિવસ ગરમીની આગાહી હવામાન વિભાગની આગાહી મુજબ, હાલમાં માવઠાની કોઈ નવી સત્તાવાર શક્યતા નથી, પરંતુ ગરમીમાંથી પણ મુક્તિ મળવાની નથી. આગામી સાત દિવસ સુધી કચ્છમાં પારો 40 ડિગ્રીની આસપાસ જ રહેશે. દરિયાકાંઠાના ભેજવાળા પવનોને કારણે બફારો વધશે, જે લોકોની મુશ્કેલીમાં વધારો કરશે. કચ્છવાસીઓએ ભાગ્યે જ આવું વિરોધાભાસી વાતાવરણ જોયું હશે. એક તરફ કંડલા એરપોર્ટ પર પારો 41 ડિગ્રીને પાર કરીને લૂ ફેંકી રહ્યો છે, ત્યારે તેની જ બાજુના ગામડાઓમાં ખેતરો પાણી-પાણી થઈ ગયા છે.
    Click here to Read More
    Previous Article
    જામનગર ધોરણ 10નું 85.08% પરિણામ જાહેર:મોદી સ્કૂલના વિદ્યાર્થીઓએ ગુજરાતમાં મેળવ્યો ઉચ્ચ ક્રમ
    Next Article
    કલેક્ટરને આવેદન:શ્રમ કાયદાઓની વિવિધ કલમોના ઉલ્લંઘન અને ઠેકા શ્રમિકોના શોષણ પર રોક લગાવો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment