Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ-હરિદ્વાર ટ્રેન એક મહિના માટે શરૂ:15 વર્ષની કાયમી માંગ છતાં કામચલાઉ વ્યવસ્થાથી યાત્રીઓમાં નારાજગી

    11 hours ago

    ભાવનગર ડિવિઝન દ્વારા વેરાવળથી હરિદ્વાર માટે એક માસની સાપ્તાહિક ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે. સોમનાથ વિસ્તારની 15 વર્ષ જૂની કાયમી ટ્રેનની માંગણી સામે આ કામચલાઉ વ્યવસ્થાથી યાત્રીઓમાં નારાજગી જોવા મળી રહી છે. ભાવનગર ડિવિઝન મેનેજર દિનેશકુમાર વર્મા અને ડીસીએમ અતુલકુમાર ત્રિપાઠી દ્વારા આ ટ્રેન શરૂ કરાઈ છે. આ ટ્રેન (નંબર 09203) વેરાવળથી દર મંગળવારે બપોરે 4:05 કલાકે ઉપડીને બીજા દિવસે બુધવારે સવારે 8:40 કલાકે હરિદ્વાર પહોંચશે. પરત ફરતી ટ્રેન (નંબર 09204) દર બુધવારે રાત્રે 9:30 કલાકે હરિદ્વારથી ઉપડીને બીજા દિવસે ગુરુવારે સવારે 9:45 કલાકે વેરાવળ પહોંચશે. 7 જુલાઈ, 2026ના રોજ વેરાવળ રેલવે સ્ટેશન પર સ્ટેશન માસ્તર એલ.ડી. મહાપાત્રાની આગેવાની હેઠળ આ ટ્રેનનું પ્રસ્થાન થયું હતું. આ પ્રસંગે DRUCC મેમ્બર અનિસ રાચ્છ, સૌરાષ્ટ્ર પેસેન્જર એસોસિએશનના સેક્રેટરી મુકેશ ચોલેરા, વેરાવળ રેલવે યાત્રી સમિતિના લાલચંદભાઈ પરશુરામ, ગજેન્દ્રભાઈ અપારનથી, ભાવેશભાઈ સિદ્ધપુરા, ઇશ્વરભાઇ ડોલરીયા તેમજ રેલવે પોલીસ IPF ભવાનીસિંઘ શેખાવત સહિતની ટીમ હાજર રહી હતી. આ ટ્રેન વેરાવળથી જુનાગઢ, જેતલસર, ઢસા, ધોળા, બોટાદ, ધંધુકા, ગાંધીગ્રામ, સાબરમતી, મહેસાણા, અજમેર, દિલ્હી સહિત કુલ 34 સ્ટેશનો પર સ્ટોપ લેશે. ટ્રેનમાં કુલ 22 કોચ છે, જેમાં 2 એસી કોચ, 16 સ્લીપર કોચ અને 4 જનરલ કોચનો સમાવેશ થાય છે. વેરાવળથી હરિદ્વાર સુધીનું જનરલ ટિકિટ ભાડું ₹445, સેકન્ડ ક્લાસ સ્લીપર કોચનું ₹855, 3ACનું ₹2120 અને 2ACનું ₹2930 નક્કી કરવામાં આવ્યું છે. DRUCC ભાવનગર ડિવિઝનના મેમ્બર અનિસ રાચ્છે જણાવ્યું હતું કે આ ટ્રેન શરૂ થવાથી દેશ-વિદેશથી આવતા સુપ્રસિદ્ધ સોમનાથ યાત્રાધામના દર્શનાર્થીઓને વધુ લાભ મળશે. તેમણે આ ટ્રેનને એક મહિના માટે નહીં, પરંતુ કાયમી ધોરણે ચાલુ રાખવા માટે પાર્લામેન્ટ બોર્ડ, રેલવે મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવજી, ભાવનગર ડિવિઝનના અધિકારીઓ, જુનાગઢ લોકસભા સંસદ રાજેશભાઈ ચુડાસમા અને રાજ્યસભાના સભ્ય માનસિંગભાઈ પરમાર સહિતના અગ્રણીઓ સમક્ષ માંગણી કરી છે. ઉલ્લેખનીય છે કે સોમનાથ વિસ્તારમાંથી હરિદ્વાર માટે ડાયરેક્ટ ટ્રેનની માંગ છેલ્લા 15 વર્ષથી એટલે કે 2010થી કરવામાં આવી રહી છે. રેલવે યાત્રી સલાહકાર સમિતિના સિનિયર સિટીઝન રમેશભાઈ ચોપડકર, વિક્રમભાઈ તન્ના, રમેશભાઈ ખખર, હસુભાઈ કાનાબાર, દિનેશભાઈ ઉનડકટ, ઉપેન્દ્રભાઈ તન્ના સહિતના સભ્યો દ્વારા આ અંગે અનેક રજૂઆતો કરવામાં આવી હતી. DRUCC મેમ્બર અનિસ રાચ્છે એક યાદીમાં આ ટ્રેનને કાયમી શરૂ રાખવાની અપેક્ષા વ્યક્ત કરી છે.
    Click here to Read More
    Previous Article
    પરપ્રાંતી મજૂરનું હાર્ટ એટેક આવતા મોત:કુવાડવા રોડ પરથી ફર્નિચરનો ધંધાર્થી ક્રેટા કારમાં સીટ નીચે ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતા ઝડપાયો
    Next Article
    સુરતના કામરેજમાં 16 અને પલસાણામાં 14 ઈંચ વરસાદ:જિલ્લામાં ભારે વરસાદના કારણે જળબંબાકાર, આવતીકાલે શહેર-જિલ્લાની શાળાઓમાં રજા જાહેર, વરાછામાં વૃક્ષ ધરાશાયી થતા બેના મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment