Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:પોરબંદર જિલ્લાનું 1400 મેટ્રિક ટન ખાતર ભારત ન પહોંચતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા

    2 days ago

    ખાડી દેશોમાં યુદ્ધની અસર હવે ખેડૂતોમાં પણ જોવા મળી રહી છે.ચોમાસાના હવે ગણતરીના મહિના બાકી છે અને ખેડૂતો ખરીફ પાકના વાવેતર માટે બિયારણ,ખાતરની ખરીદી કરી રહ્યા છે પરંતુ યુદ્ધને પગલે ખરીફ પાકના વાવેતર માટેના પાયાના ખાતરની અછત સર્જાઈ છે. પોરબદર જિલ્લાને ડી.એ.પી.નામનું પાયાનું ખાતર અંદાજે 1400 ટન ફાળવણી કરવામાં આવી છે પરંતુ હાલ આ ખાતર ભારતમાં ન પહોંચતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે તો યુદ્ધને લઈને અન્યપાયાના ખાતારમાં અછત હોવાથી પ્રતિ થેલીએ રૂ.300 થી 500 રૂપિયા સુધીનો ભાવ વધારો નોંધાયો છે. અમેરિકા,ઈરાન અને ઇઝરાઇલ વચ્ચે ચાલી રહેલ યુદ્ધને લઈને વિશ્વભરના દેશોમાં અસર જોવા મળી છે.ખાસ કરીને ઈરાન દ્વારા તેમનો હોર્મુઝ સમુદ્રીમાર્ગ કોમર્શિયલ શિપ અને કન્ટેનરો માટે અવાર જવર બંધ કરી દેતા સમગ્ર વિશ્વમાં અને ભારતમાં ક્રૂડ તેલ સહિત યુદ્ધગ્રસ્ત દેશોમાંથી આવતા મટીરીયલ્સની અછત ઉભી થઇ છે ત્યારે હાલ ભારતમાં યુદ્ધને લઈને પેટ્રોલ-ડીઝલ અને ગેસ બાદ હવે ખેડૂતોના ઉપયોગી એવા રાસાયણિક ખાતર પર અસર જોવા મળી રહી છે. આગામી દિવસોમાં ચોમાસાનો પ્રારંભ થવાનો છે ત્યારે ચોમાસાની સિઝનમાં વાવેતર થતા પાકમાં પાયાની ખાતર માટે વપરાતા ડી.એ.પી.ખાતરની અછત ઉભી થઇ છે. ખાડી દેશોમાં આવતા લુઝ રાસાયણિક ખાતર અછત ઉભી થઇ છે જેને લઈને ડી.એ.પી.રાસાયણિક ખાતરની અછત જોવા મળી રહી છે.પોરબંદર જિલ્લાને ચાલુ માસમાં કુલ 1400 મેટ્રિક ટન ડી.એ.પી.ખાતરની ફાળવવા કરવામાં આવી છે. પરંતુ યુદ્ધને લઈને આ ખાતરની સપ્લાય ધીમી હોવાથી હાલ ખેડૂતોને ડી.એ.પી.ખાતર મળતું નથી તો યુદ્ધને લઈને અન્ય પાયાના ખાતારમાં અછત હોવાથી પ્રતિ થેલીએ રૂ.300 થી 500 રૂપિયા સુધીનો ભાવ વધારો નોંધાતા તેમજ ડી.એ.પી.ખાતરમાં ભાવ વધારો ન થતા ખેડૂતોમાં ડી.એ.પી.ખાતરની માંગ પણ વધુ જોવા મળી રહી છે. યુદ્ધને લઈને ક્યાં ખાતરમાં કેટલો ભાવ વધારો નોંધાયો ખાડી દેશોમાં યુદ્ધને લઈને ખેડૂતોના પાક વાવેતર વપરાતા પાયાના ખાતર 20.20.0.13.ખાતરનો અગાઉ રૂ.1550 હતો જેમાં વધારો થઈ હાલ રૂ.2250 ભાવ થયો છે તો12.32.16.નો અગાઉ રૂ. 1875 હતા જેમાં વધારો થઈ હવે રૂ.2150 થયા છે. આગોતરા વાવેતરમાં મુશ્કેલી પડશે-ખેડૂત હાલ ખેડૂતો ઉનાળુ પાક તૈયાર થતા ખેતીની ખેડ કરી અને પિયતના પાણીની સુવિધા હોય તેવા ખેડૂતો આગોતરું ખરીફ પાકનું વાવેતર કરે છે પરંતુ ડી.એ.પી.ખાતરની અછત હોવાથી તેમજ અન્ય ખાતરના ભાવ વધુ હોવાથી ખેડૂતો પાયાના ખાતર વગર જ વાવેતર કરવાની ફરજ પડશે. >પોલુભાઈ ચૌહાણ,ખેડૂત
    Click here to Read More
    Previous Article
    કર્લી જળાશયની હાલત દયનીય:કર્લી જળાશયમાં ગાંડીવેલનો આતંક, જળચર પ્રાણીઓ સામે ખતરો મંડરાયો
    Next Article
    'Vaibhav Sooryavanshi Should Play Test Cricket': India Great Explains Logic After Stunning Take

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment