Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માસૂમનો કાળજું કંપાવનારો અંત:રાજકોટમાંથી વતનમાં જવાની જીદ કરનાર 14 વર્ષના બાળકની હત્યા કરી રાક્ષસે માથું અને ધડ અલગ કર્યા, અમાનુષી અત્યાચાર કરી જીવ લેનાર ઠેકેદાર ઝડપાયો

    1 week ago

    રાજકોટ પોલીસના ઈતિહાસમાં સૌથી પડકારજનક અને હૈયું કંપાવી દેનારા ગુનાઓ પૈકીના એક એવા 'ધડ વગરના માથા'ના રહસ્ય પરથી આખરે 8 વર્ષના લાંબા સમય બાદ પડદો ઊંચકાયો છે. ડિસેમ્બર 2018માં આજી નદીના પટમાંથી મળી આવેલા એક માસૂમ બાળકના કપાયેલા માથાનો ભેદ ઉકેલવામાં રાજકોટ પોલીસને સફળતા મળી છે. અદ્યતન ટેકનોલોજી અને ડીએનએ (DNA) પરીક્ષણની મદદથી આ અતિ જટિલ કેસનો ઉકેલ લાવીને પોલીસે સાબિત કર્યું છે કે કાયદાના હાથ ગમે તેટલા લાંબા હોય છે અને પાપ ગમે તેટલું છુપાવવામાં આવે, એક દિવસ બહાર આવીને જ રહે છે. પશ્ચિમ બંગાળના એક નિર્દોષ બાળક પર કામ ન કરવા બદલ અમાનુષી અત્યાચાર ગુજારી તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરનાર નરાધમ ઠેકેદાર અજીતમુલા અઝમતમુલાની પાપલીલાનો આખરે અંત આવ્યો છે. રાજકોટ જેલમાં બંધ આ આરોપીનો કબ્જો મેળવી પોલીસ હવે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે. આજી નદીના પટમાં સર્જાયું હતું હૈયું કંપાવનારું દ્રશ્ય આ ચકચારી ઘટનાની શરૂઆત 18 ડિસેમ્બર 2018ના રોજ થઈ હતી. રાજકોટ શહેરના ભગવતીપરા અને રૂખડીયા કોલોની રાજીવનગરને જોડતા બેઠા પુલ નજીક આજી નદીના પટમાં વચોવચ એક બાળકનું કપાયેલું માથું પડ્યું હતું. સવારે કુદરતી હાજતે નીકળેલી સ્થાનિક મહિલાઓની નજર આ ભયાનક દ્રશ્ય પર પડતા આખો વિસ્તાર ચીચીયારીઓથી ગૂંજી ઉઠ્યો હતો. આ અંગે સ્થાનિક જાગૃત નાગરિક અલ્લારખાભાઇ શાહમદારે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા જોઈને બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિતનો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસને પ્રાથમિક તપાસ કરતા જાણવા મળ્યું કે આ માથું કોઈ 10 થી 12 વર્ષના (બાદમાં 14 વર્ષ હોવાનું ખુલ્યું) માસૂમ બાળકનું હતું, જેને કોઈ ધારદાર હથિયાર વડે ગળું કાપીને ધડથી અલગ કરવામાં આવ્યું હતું. પોલીસે આજુબાજુના સમગ્ર વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, પરંતુ બાળકનું માત્ર માથું જ મળી આવ્યું હતું. નદીના પાણીમાં બાળકના શરીરના અન્ય ભાગો કે ધડને શોધવા માટે ફાયર બ્રિગેડની ટીમની મદદ લેવામાં આવી હતી. તરવૈયાઓએ નદીના ઊંડા પાણીમાં ભારે જહેમત ઉઠાવી હતી, તેમ છતાં શરીરનો અન્ય કોઈ ભાગ મળી આવ્યો ન હતો. આ ક્રૂર ઘટનાને પગલે પોલીસે બાળકની ઓળખ આપનાર વ્યક્તિને રૂ. 50,000 નું ઇનામ આપવાની પણ જાહેરાત કરી હતી, પરંતુ લાંબા સમય સુધી કોઈ કડી મળી શકી ન હતી. પોલીસના અથાગ પ્રયત્નો અને વૈજ્ઞાનિક તપાસ માસૂમ બાળકની ઓળખ મેળવવા માટે રાજકોટ પોલીસે તમામ સંભવિત પ્રયાસો કર્યા હતા. આજીનદીની વચોવચ મળી આવેલા માથાના આધારે તજજ્ઞોની મદદથી બાળકના સંભવિત ચહેરાના સ્કેચ તૈયાર કરવામાં આવ્યા હતા. આ સ્કેચને શહેરના જુદા જુદા વિસ્તારોમાં તેમજ જાહેર સ્થળો પર લગાવવામાં આવ્યા હતા જેથી કોઈ તેને ઓળખી શકે. આ ઉપરાંત, આજી નદીના કિનારે આવેલી અવાવરું રૂખડીયા કોલોનીની ભૂગર્ભ ગટરો, અવાવરું કૂવાઓ અને ખાડાઓમાં પણ પોલીસે ઝીણવટભરી તપાસ કરી હતી, પરંતુ ક્યાંયથી કોઈ પુરાવો હાથ લાગ્યો ન હતો. પોલીસે તપાસનો વ્યાપ વધારતા આજી નદીકાંઠાના વિસ્તારોમાં ઘરે-ઘરે જઈને રેશનકાર્ડની વિગતો સાથે પરિવારના સભ્યોની માહિતી એકત્ર કરી હતી. આટલું જ નહીં, ઘટનાના સમયે આજી નદીના આજુબાજુના વિસ્તારમાં સક્રિય રહેલા અંદાજિત 2,00,000 જેટલા મોબાઈલ ફોનના ડેટા મેળવી તેનું ટેકનિકલ એનાલિસિસ કર્યું આવ્યું હતું. રાજ્યભરમાંથી તેમજ દેશના અન્ય રાજ્યોમાંથી ગુમ થયેલા બાળકોની વિગતો પણ મંગાવવામાં આવી હતી. આ કેસમાં તમામ દિશામાંથી પ્રાથમિક તબક્કે નિષ્ફળતા મળી રહી હતી. 114 દિવસ બાદ કરાઈ હતી માથાની દફનવિધિ 18 ડિસેમ્બર 2018ના રોજ મળી આવેલા માથાનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ (PM) કરાવવામાં આવ્યું હતું અને ભવિષ્યની તપાસ માટે ડીએનએ (DNA) સેમ્પલ સાચવી લેવામાં આવ્યા હતા. બાળકની ઓળખ ન થવાને કારણે આ માથું લાંબા સમય સુધી સિવિલ હોસ્પિટલના કોલ્ડ રૂમમાં સાચવી રાખવામાં આવ્યું હતું. અંતે બનાવના 114 દિવસ બાદ એટલે કે 12 એપ્રિલના રોજ બી-ડિવીઝન પોલીસે ભાવનગર રોડ પર આવેલા માનવ ક્રાંતિ બાળકોના સ્મશાન ખાતે ધાર્મિક વિધિપૂર્વક આ માથાની દફનવિધિ (અંતિમવિધિ) કરી હતી. 2025ની બાળ મજૂરીની રેડ અને પાપી ઠેકેદારનો પર્દાફાશ આ કેસમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે આજથી એક વર્ષ પહેલા એટલે કે 7 જૂન 2025ના રોજ રાજકોટ SOG અને પોલીસે સોનીબજાર વિસ્તારમાં બાળ મજૂરી સંદર્ભે એક મોટી રેડ પાડી હતી. આ દરોડા દરમિયાન પશ્ચિમ બંગાળના ઠેકેદાર અજીતમુલા અઝમતમુલાને ઝડપી લેવામાં આવ્યો હતો અને તેના કબ્જામાંથી 21 જેટલા નિર્દોષ બાળકોને મુક્ત કરાવવામાં આવ્યા હતા. આ બાળકો પાસે રાજકોટની સોની બજારમાં ચાંદી અને સોનાના ઘરેણા બનાવવાની મજૂરી કરાવવામાં આવતી હતી. તે સમયે પૂછપરછમાં ઠેકેદારે જણાવ્યું હતું કે તે આ બાળકોને પશ્ચિમ બંગાળથી તેમના માતા-પિતાની મંજૂરી સાથે લાવતો હતો અને તેમને માસિક રૂ. 8000 નું વેતન આપતો હતો. જોકે, બાળકો ક્યારેય કામ કરવાની ના પાડે અથવા સામે દલીલ કરે, તો તે તેમના પર અમાનુષી અત્યાચાર ગુજારતો અને ઢોર માર મારતો હતો. મુક્ત કરાયેલા બાળકોને જ્યારે તેમના પરિવારોને સોંપવામાં આવ્યા, ત્યારે પશ્ચિમ બંગાળના એક પરિવારે જણાવ્યું કે તેમનું એક બાળક લાંબા સમયથી ગુમ છે અને આ ઠેકેદારે તેને પરત કર્યો નથી. એસીપી ક્રાઇમની શંકા અને ગુનાની કબૂલાત બાળકો પર થતા અત્યાચારની આ પેટર્ન જોઈને એસીપી ક્રાઇમ ભરત બસિયાને ઠેકેદાર અજીતમુલાના ક્રૂર વલણ પર ઊંડી શંકા ગઈ હતી. તેમણે 2018ના ધડ વગરના માથાના અનસોલ્વ કેસને શંકા સાથે જોડીને આરોપીની કડક પૂછપરછ શરૂ કરી હતી. સતત પૂછપરછના અંતે આખરે નરાધમ ઠેકેદારે કબૂલાત કરી હતી કે તેણે જ એક બાળકની હત્યા કરી આજી નદીમાં ફેંકી દીધો હતો. જોકે આ દરમિયાન તેની સામે હત્યાની કોશિશના અન્ય એક ગુનામાં બંગાળ પોલીસે પણ ધરપકડ કરી હોવાથી તે ત્યાંની જેલમાં હતો. પશ્ચિમ બંગાળ પોલીસે પણ જ્યારે અલગ-અલગ દિશામાં તપાસ કરી ત્યારે સામે આવ્યું હતું કે ઠેકેદાર અજીતમુલાએ બિનોદ હાસદા અને પૂર્ણિમા બિનોદભાઈ હાસદાના પુત્રને પરત મોકલ્યો ન હતો. ડીએનએ (DNA) ટેસ્ટે અપાવ્યો પાકો પુરાવો હત્યાના આ રહસ્યને વૈજ્ઞાનિક રીતે સાબિત કરવા માટે રાજકોટ પોલીસે ગુમ થયેલા 14 વર્ષના બાળકના માતા-પિતા બિનોદ હાસદા અને પૂર્ણિમા બિનોદભાઈ હાસદાને પશ્ચિમ બંગાળથી રાજકોટ બોલાવ્યા હતા. જોકે પરિવાર પાસે અહીં આવવા માટે પૈસાની વ્યવસ્થા નહોતી. જેને લઈને પોલીસે તેઓને અહીં આવવા અને પરત જવાની વ્યવસ્થા કરી આપી હતી. બાદમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમના ડીએનએ (DNA) સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલ્સને 2018માં મળી આવેલા માથાના સાચવેલા ડીએનએ સેમ્પલ સાથે મેચ કરવા માટે ગાંધીનગરની સ્ટેટ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ખાતે મોકલવામાં આવ્યા હતા. રાજકોટ જેસીપી ચૈતન્ય માંડલીકે આ અંગે જણાવ્યું હતું કે, પોલીસે દેશના અલગ-અલગ રાજ્યોમાંથી અંદાજિત 35 જેટલા ગુમ થયેલા બાળકોની વિગતો તપાસી હતી. 2018ના માથાના સ્કેચને પશ્ચિમ બંગાળના પરિવારના ગુમ થયેલા બાળકના ફોટા સાથે સરખાવતા બંને વચ્ચે ઘણું સામ્ય જોવા મળ્યું હતું, જેથી અમારી શંકા દ્રઢ બની હતી. એડવાન્સ ટેકનોલોજી દ્વારા ડીએનએ મેચિંગની જટિલ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને અંદાજે 6 મહિના સુધી મહત્વપૂર્ણ રિપોર્ટની રાહ જોવામાં આવી હતી. આખરે, ગાંધીનગર લેબમાંથી ડીએનએ રિપોર્ટ પોઝિટિવ (મેચ) આવતા જ આ માથું બિનોદ હાસદાના ગુમ થયેલા પુત્રનું જ હોવાનું સત્તાવાર રીતે સાબિત થઈ ગયું અને 8 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. શા માટે કરાઈ માસૂમ બાળકની નિર્મમ હત્યા? વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પોલીસ તપાસમાં હત્યા પાછળનું જે કારણ સામે આવ્યું છે તે ધ્રુજારી લાવી દે તેવું છે. આરોપી અજીતમૌલા સોની બજારમાં માસૂમ બાળકો પાસે તનતોડ મજૂરી કરાવતો હતો. મૃતક બાળક પશ્ચિમ બંગાળથી અહીં આવ્યા બાદ વારંવાર પોતાના વતનમાં માતા-પિતા પાસે પરત જવાની જીદ કરતો હતો અને પોતાના કામના રૂપિયા માંગતો હતો. આ બાબતથી ગુસ્સે ભરાયેલા નરાધમ ઠેકેદારે બાળક પર અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો અને તેને એટલો ઢોર માર માર્યો હતો કે માસૂમનું મોત નીપજ્યું હતું. બાળકનું મોત થતાં આરોપી ગભરાઈ ગયો હતો અને ગુનાનો નાશ કરવા માટે તેણે કાળજું કંપાવનારું કૃત્ય કર્યું હતું. જેમાં તેણે ધારદાર હથિયાર વડે મૃત બાળકના શરીર પરથી માથું અને ધડ અલગ-અલગ કરી દીધા હતા. આરોપીએ પૂછપરછમાં સ્વીકાર્યું હતું કે, જો માથું અને ધડ અલગ-અલગ જગ્યાએ ફેંકવામાં આવે તો બાળકની ઓળખ ક્યારેય ન થાય અને પોતે પોલીસ પકડથી દૂર રહી શકે. આ યોજના હેઠળ તેણે બાળકનું માથું આજી નદીના પટમાં ફેંકી દીધું હતું. પોલીસની આગળની કાર્યવાહી અને વિશેષ પૂછપરછ DNA રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ, મૃત બાળકના પરિવાર વતી વિધિવત ફરિયાદ નોંધીને રાજકોટ પોલીસે કાયદાકીય સકંજો મજબૂત કર્યો છે. આરોપી અજીતમુલા અઝમતમુલા હાલ રાજકોટની જેલમાં બંધ હોવાથી, પોલીસ દ્વારા અદાલતી પ્રક્રિયા પૂર્ણ કરીને જેલમાંથી તેનો કબ્જો મેળવવામાં આવ્યો છે અને હત્યાના ગુના હેઠળ તેની સત્તાવાર ધરપકડ કરવામાં આવી છે. પોલીસ હવે આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે કે તેણે 8 વર્ષ પહેલા કયા હથિયારથી બાળકનું માથું કાપ્યું હતું, તે હથિયાર ક્યાં છુપાવ્યું છે અને બાળકના શરીરના અન્ય ભાગો (ધડ અને અંગો) કઈ કઈ જગ્યાએ અને કેવી રીતે નિકાલ કર્યા હતા. આ ઉપરાંત, આરોપી અગાઉ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના સરહદી વિસ્તારોમાંથી આવા કેટલા બાળકોને ગેરકાયદેસર રીતે મજૂરી માટે રાજકોટ લાવ્યો હતો, તેમાંથી કેટલા બાળકો સુરક્ષિત પોતાના વતન પહોંચ્યા છે અને કેટલા ગુમ છે, તે દિશામાં પણ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે 8 વર્ષ બાદ ઉકેલાયેલા આ કરુણ કેસમાં આગામી દિવસોમાં હજુ પણ ઘણા ચોંકાવનારા ખુલાસા થવાની સંભાવના સેવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    વાપીમાં ₹22 કરોડના ખર્ચે આધુનિક ઓડિટોરિયમ તૈયાર:નાણાં મંત્રી કનુ દેસાઈના હસ્તે લોકાર્પણ, તેમના જ નામે હોલનું નામ રખાયું
    Next Article
    Inside Mika Singh’s 99th house, designed by Gauri Khan: ‘Shah Rukh said lootegi tujhe’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment