Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્વતંત્રતા દિવસ પહેલા આતંકવાદી શહઝાદ ભટ્ટીનું નેટવર્ક ખતમ:14 રાજ્યોમાંથી 253 લોકોની અટકાયત; તેમની પાસેથી પાકિસ્તાનમાં બનેલા ગ્રેનેડ મળ્યા

    2 days ago

    ભારતીય સુરક્ષા એજન્સીઓએ સ્વતંત્રતા દિવસ પહેલા પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સાથે સંકળાયેલા આતંકવાદી સંગઠન શહઝાદ ભટ્ટી નેટવર્કને ધ્વસ્ત કરી દીધું છે. એજન્સીઓએ 14 રાજ્યોમાં કાર્યવાહી કરી. નેટવર્કના 200 થી વધુ લોકોની ધરપકડ કરીને તેના હુમલાનું કાવતરું નિષ્ફળ બનાવવાનો દાવો કર્યો છે. ગૃહ મંત્રાલય અનુસાર, 12 ઓગસ્ટના રોજ રાજ્ય પોલીસ દળો સાથે રિયલ ટાઈમ ઈન્ટેલિજન્સ શેરિંગ સિસ્ટમ દ્વારા આ સંયુક્ત ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. શાહ બોલ્યા- આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટોલરન્સ નીતિ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે X પર પોસ્ટ કરીને કાર્યવાહીની જાણકારી આપી. તેમણે કહ્યું કે આ નેટવર્ક ઘણી આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હતું. શાહે લખ્યું, “મોદી સરકારે સ્વતંત્રતા દિવસ પહેલા ISIના આતંકવાદી સંગઠન શહઝાદ ભટ્ટી નેટવર્કને નષ્ટ કરી દીધું. 200થી વધુ સભ્યોની ધરપકડ કરીને તેના હુમલાનું ષડયંત્ર નિષ્ફળ બનાવ્યું. ભારતીય સુરક્ષા દળોએ 14 રાજ્યોમાં અલગ-અલગ જગ્યાઓ પર કાર્યવાહી કરીને આ નેટવર્કને તોડી પાડ્યું. આ આતંકવાદ વિરુદ્ધ ભારતની ઝીરો ટોલરન્સ નીતિનું શાનદાર ઉદાહરણ છે.” IED, ગ્રેનેડ અને પિસ્તોલ જપ્ત અમિત શાહે જણાવ્યું કે ISI પાસેથી ફંડિંગ મેળવતા આ જૂથ પાસેથી IED, પાકિસ્તાન ઓર્ડનન્સ ફેક્ટરીની માર્કિંગવાળા ગ્રેનેડ, પિસ્તોલ, જીવતા કારતૂસ અને જાસૂસી માટે ઉપયોગમાં લેવાતા CCTV કેમેરા જપ્ત થયા છે. ગૃહ મંત્રાલય અનુસાર ISI સિન્ડિકેટનું કનેક્શન ભારતમાં ગ્રેનેડ, IED અને પેટ્રોલ બોમ્બ હુમલાઓ સાથે છે. આ નેટવર્ક ટાર્ગેટ કિલિંગમાં પણ સામેલ રહ્યું છે. મંત્રાલયે જણાવ્યું કે નેટવર્ક સ્થાનિક મદદગારોને પોલીસ, સંરક્ષણ અને ધાર્મિક સ્થળોની રેકી કરવા માટે પૈસા આપતું હતું. આ ઉપરાંત, જાસૂસી માટે આ સ્થળોએ CCTV કેમેરા લગાવવાનું કામ પણ કરાવવામાં આવતું હતું. 80 થી વધુ FIR નોંધાઈ ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, શહઝાદ ભટ્ટી નેટવર્ક વિરુદ્ધ અત્યાર સુધીમાં 80 થી વધુ FIR નોંધવામાં આવી છે. આ કેસ UAPA, ભારતીય ન્યાય સંહિતા, આર્મ્સ એક્ટ, નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ અને વિસ્ફોટક પદાર્થ અધિનિયમ હેઠળ નોંધવામાં આવ્યા છે. મંત્રાલયે જણાવ્યું કે જપ્ત કરાયેલા IED, પાકિસ્તાન ઓર્ડનન્સ ફેક્ટરીના માર્કિંગવાળા ગ્રેનેડ, પિસ્તોલ, જીવતા કારતૂસ અને જાસૂસી માટે ઉપયોગમાં લેવાયેલા CCTV કેમેરા આ નેટવર્કના સીધા સરહદ પારના સંબંધોની પુષ્ટિ કરે છે. NIAનો દાવો- બ્રાઝિલમાં છુપાયો છે ભટ્ટી શહઝાદ ભટ્ટી બ્રાઝિલમાં છુપાયેલો છે. જુલાઈમાં પંજાબ સાથે સંકળાયેલા આતંકી હુમલાઓની તપાસ કરી રહેલી રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની તપાસમાં તેનો ખુલાસો થયો હતો. NIAનો દાવો છે કે ભટ્ટી, બ્રાઝિલથી વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા યુવાનોને પોતાની સાથે જોડે છે અને પછી તેમને પોતાના એક વોટ્સએપ ગ્રુપમાં જોડીને તેમની પાસેથી ઘટનાઓને અંજામ અપાવે છે.
    Click here to Read More
    Previous Article
    326 સાંસદો, 14 રાજ્યના CM પર ફોજદારી કેસ:સુપ્રીમ કોર્ટમાં રજૂ કરાયો અહેવાલ, લોકસભાના 251 અને રાજ્યસભાના 75 સભ્યો સામે કેસ
    Next Article
    રાજકોટમાં આપઘાતના બે બનાવ:શ્રમિક પરિવારની સગીરાને કામે જવા બાબતે કહેતા માઠુ લાગી જતાં ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું, પતિના વિયોગમાં પત્નીનો ઝેરી પાવડર પી આપઘાત

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment