Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    14 કોર્ટોમાં દરરોજ 200થી વધુ કેસોને અસર‎:પાલનપુરના વકીલો 7 દિવસથી હડતાળ ઉપર

    9 hours ago

    પાલનપુરના જોરાવર પેલેસ સંકુલમાં આવેલી જિલ્લા કોર્ટને જગાણા ખસેડવા મુદ્દે 17 એપ્રિલથી શરૂ થયેલો વિરોધ પ્રદર્શન સતત પાંચ દિવસથી જારી છે. બાર એસોસિએશનના 900થી વધુ વકીલ હાલમાં વકીલાત કર્યા વગર ધરણા પર ઉતરીને ગમે તે ભોગે પાલનપુરની કોર્ટને જગાણા ન ખસેડવા સરકાર પર દબાણ વધાર્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી હાઇકોર્ટ થી જુદા જુદા સિનિયર એડવોકેટ આવીને આ મુદ્દાને સમર્થન આપી રહ્યા છે. અગાઉ જે જિલ્લામાં કોર્ટ બદલાવાથી મુશ્કેલીઓ ઊભી થઈ તેવી મુશ્કેલી પાલનપુરમાં ન થાય તેનું પણ માર્ગદર્શન આપી રહ્યા છે. પાલનપુર બાર એસોસિએશનના પ્રકાશભાઈ એ જણાવ્યું કે પાલનપુર જોરાવર પેલેસ સંકુલમાં જુદી જુદી 14થી વધુ કોર્ટ આવેલી છે. જેમાં હાલ વકીલોની ગેરહાજરીમાં કેસો ન ચાલવાના લીધે પ્રતિ દિન 200થી વધુ કેસોને અસર થઈ રહી છે અને તારીખો પડી રહી છે. અમે આ મુદ્દાને લઇ હાઇકોર્ટમાં પણ ધ્યાન દોર્યું છે. એસો.ના પ્રમુખ ભાવેશભાઈ રાવલે જણાવ્યું હતું કે આ સમગ્ર પાલનપુર શહેરનો મુદ્દો છે.
    Click here to Read More
    Previous Article
    પાલનપુર પાલિકા ચૂંટણીનો ચિતાર:, સફાઈ, પાણી સહિત પાયાની સુવિધાઓને લઇને જનતાની ઉમેદવારો સામે નારાજગી
    Next Article
    US Navy Chief Quits Amid Iran War, Hormuz Blockade

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment