Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સવની ગામમાં 137 લોકોએ રક્તદાન કર્યું:ઝાલા પરિવાર દ્વારા સ્વ. નરસિંગભાઈની પુણ્યતિથિએ કેમ્પ યોજાયો

    9 hours ago

    ગીર સોમનાથ જિલ્લાના સવની ગામમાં સ્વ. નરસિંગભાઈ અરજણભાઈ ઝાલાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે એક મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝાલા પરિવાર દ્વારા આયોજિત આ કેમ્પમાં કુલ 137 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આયોજનમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગીર સોમનાથ જિલ્લા શાખાની બ્લડ બેંકનો સહયોગ રહ્યો હતો. આ રક્તદાન કેમ્પ સવની ગામની જ્ઞાનદીપ વિદ્યાલય ખાતે યોજાયો હતો. જશાભાઈ ખેર અને સરપંચ વિજયભાઈ ઝાલાએ દીપ પ્રાગટ્ય કર્યું હતું. આચાર્ય માનસિંગભાઈ પરમારે ઉદ્ઘાટન સંબોધન આપ્યું હતું. આ પ્રસંગે આગેવાનો નારણભાઈ ઝાલા,વિક્રમભાઈ પટાટ અને રાજવીર ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય અતિથિ અનિલભાઈ વાઝા અને ભગીરથસિંહ ઝાલાએ રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગીર સોમનાથના ચેરમેન અતુલભાઈ કાનાબાર અને ચેરમેન એમિરેટ્સ કિરીટભાઈ ઉનડકટની આગેવાની હેઠળ, રેડ ક્રોસ વતી સેક્રેટરી ગિરીશભાઈ ઠક્કર અને કમિટીના સભ્ય વિમલભાઈ ગજ્જરે ઝાલા પરિવારને સન્માન પત્ર આપી સન્માનિત કર્યા હતા. તેમણે રેડ ક્રોસના સ્ટાફ મેમ્બર્સને પણ પ્રોત્સાહિત કર્યા હતા. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની સ્ટાફ ટીમમાં રસીકભાઈ ગોસ્વામી, દિવ્યેશ અપારનાથી, ધ્રુવ દવે, લક્ષ્મણભાઈ સિંધલ અને દીપક ગરચર સહિત સૌએ ઉત્તમ સેવાઓ આપી હતી.
    Click here to Read More
    Previous Article
    ‘પતિ પોર્ન બતાવતો, સસરા હિડન કેમેરાથી નહાતા-કપડાં બદલતા વીડિયો લેતા’:પૂર્વ જેલ સુપ્રિટેન્ડેન્ટ સસરાએ વહુને બાહુપાશમાં જકડી અશ્લીલ માગ કરી, પતિના અન્ય મહિલાઓ સાથે સંબંધ; FIR
    Next Article
    વડાપ્રધાન મોદી આવતીકાલે જામનગરની મુલાકાતે:આગમનથી રાત્રિ રોકાણ સુધીનો મિનિટ-ટુ-મિનિટ કાર્યક્રમ જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment